આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય Govind Parmar નું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
1943માં જન્મેલા ગોવિંદભાઈ પરમાર જમીન સાથે જોડાયેલા લોકપ્રિય નેતા તરીકે ઓળખાતા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપ કાર્યકરો અને સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ. 🙏
— Jagdish Vishwakarma (@iJagdishBJP) March 6, 2026
રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, ગોવિંદભાઈ પરમાર સૌપ્રથમ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમરેઠ બેઠક પરથી વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરીથી તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. આ ચૂંટણીમાં તેમણે 95,639 મત મેળવી ભવ્ય વિજય મેળવ્યો હતો.
સામાન્ય પરિવારમાંથી આવતા ગોવિંદભાઈ પરમારે પોતાના જાહેર જીવનમાં સમાજલક્ષી કાર્યોને હંમેશાં પ્રાથમિકતા આપી હતી. તેમની સરળતા અને લોકસેવાની ભાવનાને કારણે તેઓ ઉમરેઠ પંથકમાં ખાસ લોકપ્રિય રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશાં તત્પર અને સમર્પિત રહ્યા હતા.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના…
ૐ શાંતિ…!!
— Narendra Modi (@narendramodi) March 7, 2026
ગોવિંદભાઈ પરમારના અવસાન પર વડાપ્રધાન Narendra Modi એ શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, “ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશાં તત્પર અને સમર્પિત રહ્યા હતા.”
વડાપ્રધાને સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના પાઠવી છે.
ગોવિંદભાઈ પરમારના નિધનથી ઉમરેઠ વિસ્તાર તેમજ સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel