સુરતના Pandesara GIDC વિસ્તારમાં આવેલી એક ડાઈંગ મિલમાં દુર્ઘટનાગ્રસ્ત ઘટના સામે આવી છે. New Paras Dyeing Mill ખાતે કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોને ગેસ લીકેજના કારણે ગૂંગળામણ થતા સારવાર દરમિયાન તમામના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય સોનુકુમાર ઉર્ફે ધનજંય કમલેશ પાસવાન, દિનુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન (20), મહેન્દ્ર મેસર પાસવાન અને સંદીપ સંતોષ પાસવાન ગુરુવાર (5 માર્ચ 2026)ની રાત્રે મિલમાં આવેલી કેમિકલ ટાંકી સાફ કરવા માટે ઉતર્યા હતા.
શ્રમિકો ઇલેક્ટ્રિક મોટરની મદદથી ટાંકીમાંથી પાણી બહાર કાઢી અંદર જમા થયેલો કચરો સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન ટાંકીમાં રહેલી ગેસ પાઈપમાંથી અચાનક કેમિકલ ગેસ લીકેજ શરૂ થયું હતું, જેના કારણે ટાંકીની અંદર ઝેરી ગેસ ફેલાઈ ગયો હતો.
ગેસના પ્રભાવને કારણે ચારેય શ્રમિકોને ગૂંગળામણ થવા લાગી અને થોડા જ સમયમાં તેઓ ટાંકીની અંદર બેભાન થઈ ગયા હતા. ઘટના બનતા જ મિલના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ ચારેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
શ્રમિકોને Dindoli Private Hospital માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે મોડી રાત્રે સોનુકુમાર ઉર્ફે ધનજંયનું મોત થયું હતું. ત્યારબાદ શુક્રવારે સવારે દિનુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્રનું મોત થયું હતું. જ્યારે શુક્રવારે સાંજે મહેન્દ્ર અને સંદીપનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતક ધનજંયના પાંચ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
આ બનાવની જાણ થતાં Pandesara Police Station ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે Surat Civil Hospital ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતક ચારેય યુવકો કંપનીના કર્મચારી નહોતા. તેઓ કોન્ટ્રાક્ટ હેઠળ બહારથી કેમિકલ ટાંકી સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ પોલીસ ગેસ લીકેજ કેવી રીતે થયું અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે મુદ્દે તપાસ કરી રહી છે.
મૃતક સંદીપ સંતોષ પાસવાનનો પરિવાર વતનમાં રહેતો હતો. તે સુરતના ગણેશનગર વિસ્તારમાં રહી મજૂરી કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel