click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મોદીએ કહ્યું- તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન આ વખતે DMK અને કોંગ્રેસના I.N.D.I.ગઠબંધનનું બધુ અભિમાન ઉતારી દેશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મોદીએ કહ્યું- તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન આ વખતે DMK અને કોંગ્રેસના I.N.D.I.ગઠબંધનનું બધુ અભિમાન ઉતારી દેશે
Gujarat

મોદીએ કહ્યું- તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન આ વખતે DMK અને કોંગ્રેસના I.N.D.I.ગઠબંધનનું બધુ અભિમાન ઉતારી દેશે

Last updated: 2024/03/15 at 2:43 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેરસભા સંબોધી હતી. PMએ કહ્યું- દેશના આ દક્ષિણ ભાગમાં કન્યાકુમારીથી આજે જે લહેર ઉઠી છે તે ખૂબ દુર સુધી જવાની છે. હું 1991માં એકતા યાત્રા લઈને કન્યાકુમારીથી કાશ્મીર ગયો હતો, આ વખતે હું કાશ્મીરથી કન્યાકુમારી આવ્યો છું.

Contents
INDI ગઠબંધનના લોકોનો ઇતિહાસ કૌભાંડોથી ભરેલો છેઅટલજીએ નોર્થ-સાઉથ કોરિડોરનો પાયો નાખ્યો હતોDMK તમિલનાડુના ભૂતકાળ અને વારસાની પણ દુશ્મન છે.શ્રીલંકાથી માછીમારોને ફાંસીના માંચડેથી ઉતારીને ભારત લાવ્યાપરિવારવાદ પર નિશાન સાધ્યું હતુંતેલંગાણાના સીએમ પીએમને મોટા ભાઈ કહે છે

મોદીએ વધુમાં કહ્યું- જમ્મુ-કાશ્મીરના લોકોએ દેશના ભાગલા પાડવાનું સ્વપ્ન જોનારાઓને નકારી દીધા છે. હવે તમિલનાડુના લોકો પણ આવું કરવા જઈ રહ્યા છે. હું તમિલનાડુની ધરતી પર મોટા પરિવર્તન જોઈ રહ્યો છું. આ વખતે તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન ડીએમકે અને કોંગ્રેસના INDI ગઠબંધનનું બધુ અભિમાન ઉતારી દેશે.

INDI ગઠબંધનના લોકોનો ઇતિહાસ કૌભાંડોથી ભરેલો છે

INDIનું ગઠબંધન ક્યારેય તમિલનાડુને વિકસિત નહીં કરી શકે. આ લોકોનો ઇતિહાસ કૌભાંડોથી ભરેલો છે. આ લોકોની રાજનીતિનો આધાર પ્રજાને લૂંટવા માટે સત્તામાં આવવાનો છે. એક તરફ ભાજપની કલ્યાણકારી યોજનાઓ છે તો બીજી તરફ કરોડોના કૌભાંડો છે.

PMએ કહ્યું- અમે ઓપ્ટિકલ ફાઈબર અને 5G આપ્યું, અમારા નામે ડિજિટલ ઈન્ડિયા સ્કીમ છે. INDI ગઠબંધનના નામે લાખો કરોડોનું 2જી કૌભાંડ છે અને એ લૂંટમાં ડીએમકે સૌથી મોટું ભાગીદીર હતું. અમારા નામે UDAN સ્કીમ છે. ઈન્ડી ગઠબંધનના નામે હેલિકોપ્ટર કૌભાંડ છે. અમારી ખેલો ઇન્ડિયા અને TOPS યોજનાઓથી, દેશે રમતગમતમાં મોટા લક્ષ્યાંક મેળવ્યા છે, પરંતુ તેમનું નામ CWG કૌભાંડથી કલંકિત છે.

અટલજીએ નોર્થ-સાઉથ કોરિડોરનો પાયો નાખ્યો હતો

મોદીએ કહ્યું- કન્યાકુમારીએ હંમેશા ભાજપને ઘણો પ્રેમ આપ્યો છે. અટલજીએ 20 વર્ષ પહેલા નોર્થ સાઉથ કોરિડોરનો પાયો નાખ્યો હતો. આ કોરિડોરનો કન્યાકુમારી-નારીકુલમ બ્રિજનું કામ આ લોકોએ આટલા વર્ષો સુધી લટકાવી રાખ્યું. 2014માં અમારી સરકાર આવી ત્યારે અમે તેને પૂર્ણ કર્યું હતું. આ માટે અમારે વધારાનું ભંડોળ પૂરું પાડવું પડ્યું અને પછી આ કામ શરૂ થઈ શક્યું.

મેં હાલમાં થૂથુકુડીમાં ચિદમ્બરનાર પોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. અમારી સરકાર માછીમારોના કલ્યાણ માટે પણ કામ કરી રહી છે. તેમને આધુનિક માછીમારી બોટ માટે નાણાકીય સહાય પૂરી પાડવાથી લઈને તેમને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના દાયરામાં લાવવા માટે અમે તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે.

DMK તમિલનાડુના ભૂતકાળ અને વારસાની પણ દુશ્મન છે.

મોદીએ કહ્યું- DMK માત્ર તમિલનાડુના ભવિષ્ય અને ભૂતકાળની જ નહીં પરંતુ તેની વારસાની પણ દુશ્મન છે. હું અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા અહીં આવ્યો હતો, મેં અહીંના પ્રાચીન તીર્થ સ્થાનોની મુલાકાત લઈને દર્શન કર્યા હતા, પરંતુ DMKએ અયોધ્યામાં સમારોહ જોવા માટે પણ પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને સખત ઠપકો આપવો પડ્યો હતો.

શ્રીલંકાથી માછીમારોને ફાંસીના માંચડેથી ઉતારીને ભારત લાવ્યા

મોદીએ કહ્યું- INDI ગઠબંધન પણ તમિલનાડુના લોકોના જીવન સાથે રમત રમવા માટેના ગુનેગાર છે. શ્રીલંકામાં આપણા માછીમાર ભાઈઓને ફાંસીની સજા આપવામાં આવી, પણ મોદી ચૂપ ન રહ્યા.
મેં દરેક રસ્તાનો ઉપયોગ કર્યો અને દરેક પ્રકારનું દબાણ કર્યું અને તમામ માછીમારોને માંચડેથી ઉતારીને શ્રીલંકાના હું ભારત પરત લાવ્યો.

દિલ્હીમાં બેઠેલા લોકોની ઊંઘ બગડી રહી છે કારણ કે આ અવાજ કન્યાકુમારીથી આવી રહ્યો છે. તમારો પ્રેમ અને આશીર્વાદ માત્ર મને જ નહીં પરંતુ સમગ્ર દેશની ઉર્જાને નવી શક્તિ આપે છે.

પરિવારવાદ પર નિશાન સાધ્યું હતું

PM મોદીએ સંગારેડ્ડીમાં ભત્રીજાવાદને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું- શું તમે જાણો છો કે આ લોકો મારી સાથે કેમ દુર્વ્યવહાર કરી રહ્યા છે? આ મોદી તેમની આંખમાં શા માટે કણાની જેમ ખુંચે છે? કારણ છે – હું તેમના કરોડોના કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યો છું.

PMએ કહ્યું- હું તેમના પરિવારવાદ સામે બોલી રહ્યો છું. કોઈ અંગત આક્ષેપો કર્યા નથી. તે લોકો મારી વાતનો જવાબ નથી આપતા, તેઓ કહેવા લાગ્યા છે કે મોદીનો પરિવાર નથી. જો મારો પરિવાર હોય, તો શું તમને ચોરી કરવાની અને સત્તા પર કબજો કરવાની છૂટ છે?

મોદીએ કહ્યું- સત્તામાં રહીને વિપક્ષના લોકોએ ભ્રષ્ટાચાર માટે જમીન-આકાશ વેચી દીધા અને પોતાની હવેલીઓ બનાવી. મેં આજ સુધી મારું ઘર પણ બનાવ્યું નથી. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને હવે દેશનો વડાપ્રધાન છું ત્યારે મેં 150 કરોડ રૂપિયાની ભેટની હરાજી કરીને તે કરમનો ઉપયોગ જનતાની સેવામાં કર્યો હતો.

તેલંગાણાના સીએમ પીએમને મોટા ભાઈ કહે છે

તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ 5 માર્ચે પીએમ નરેન્દ્ર મોદીને મોટા ભાઈ તરીકે બોલાવ્યા હતા. આમ કહીને રેવંતે સ્પષ્ટ કરી દીધું હતું કે તે કેન્દ્ર સાથે તણાવ નહીં, પરંતુ સૌહાર્દપૂર્ણ સંબંધો ઈચ્છે છે. રેડ્ડીએ એમ પણ કહ્યું કે અમને પીએમનું સમર્થન જોઈએ છે, જેથી તેલંગાણા પણ ગુજરાતની જેમ વિકાસ કરી શકે.

You Might Also Like

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

TAGGED: BJP's performance, Congress's, DMK, I.N.D.I. alliance, pm modi, Tamil Nadu

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 15, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતી ફિલ્મી સિતારાઓ ને મળી રેડ કાર્પેટ, GIFA 2023 કર્ણાવતી યુનિર્વિસટી ગ્રાઉન્ડ ખાતે યોજાયો
Next Article સુપ્રીમ કોર્ટ નાગરિકતા સુધારા કાયદા પર રોકની માગ કરતી અરજી પર સુનાવણી કરવા તૈયાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
Gujarat Patan મે 16, 2025
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?