click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…
Gujarat

બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…

ઓપરેશન સિંદૂર અંગે બીએસએફ અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન BSF મહિલા જવાનોએ ફોરવર્ડ ડ્યુટી પોસ્ટ પર લડાઈ લડી.

Last updated: 2025/05/27 at 2:56 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

જમ્મુના અખનૂર વિસ્તારની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં પાકિસ્તાન સેના દ્વારા ઉશ્કેરણી વિના કરવામાં આવેલા ગોળીબાર બાદ એક આતંકવાદી લોન્ચપેડને ‘સંપૂર્ણપણે નષ્ટ’ કરી દીધું હતું. આ માહિતીની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પુષ્ટિ કરી છે. બીએસએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, લુની ખાતેનું લોન્ચપેડ એક સટીક હુમલામાં નષ્ટ કરી દેવામાં આવ્યું. કથિત રીતે આ લોન્ચપેનો ઉપયોગ ઘૂસણખોરી અને સરહદ પારના હુમલાઓને સુવિધાજનક બનાવવા માટે કરવામાં આવતો હતો.

#WATCH | Jammu | BSF DIG SS Mand says, "On 8th May 2025, our surveillance detected movement of 40-50 persons coming towards the border. We did pre-emptive strikes. Soon after, Pakistan started firing on BSF BOPs, to which we retaliated well. Inputs suggest that many terrorists,… pic.twitter.com/UutSolyysL

— ANI (@ANI) May 27, 2025

જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફ ચોકીઓ પર પાકિસ્તાની સેના દ્વારા કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યા બાદ આ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ સફળતા અંગે એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે કેવી રીતે BSF એ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને નબળું પાડ્યું કારણ કે BSF એ પાકિસ્તાનની કરોડરજ્જુ, લૂની લોન્ચપેડને નષ્ટ કરી દીધી. હવે ત્રણ અધિકારીઓએ BSF પર નિવેદન બહાર પાડ્યું છે.

#WATCH | Jammu | On Operation Sindoor, BSF IG Jammu Shashank Anand says," BSF's women personnel fought on forward duty posts during Operation Sindoor. Our brave women personnel, Assistant Commandant Neha Bhandari commanded a forward post, Constable Manjit Kaur, Constable Malkit… pic.twitter.com/nTGZot6Zig

— ANI (@ANI) May 27, 2025

ઓપરેશન સિંદૂર અંગે BSFના IG જમ્મુ શશાંક આનંદ કહે છે કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન BSF મહિલા જવાનોએ ફોરવર્ડ ડ્યુટી પોસ્ટ પર લડાઈ લડી. અમારી બહાદુર મહિલા જવાનો, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારીએ ફોરવર્ડ પોસ્ટનું નેતૃત્વ કર્યું, કોન્સ્ટેબલ મનજીત કૌર, કોન્સ્ટેબલ મલકિત કૌર, કોન્સ્ટેબલ જ્યોતિ, કોન્સ્ટેબલ સંપા અને કોન્સ્ટેબલ સ્વપ્ના અને અન્યોએ આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સામે ફોરવર્ડ પોસ્ટ પર લડાઈ લડી.”

તેમણે આગળ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા BSF ચોકીઓ પર ડ્રોન હુમલા અને ગોળીબારમાં, અમે BSFના સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ, કોન્સ્ટેબલ દીપક કુમાર અને ભારતીય સેનાના નાયક સુનીલ કુમારને ગુમાવી દીધા. અમે અમારી બે પોસ્ટ્સને અમારા ગુમાવેલા કર્મચારીઓના નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ, અને એક પોસ્ટને ‘સિંદૂર’ નામ આપવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ.

ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ પર BSFની કાર્યવાહી અંગે, RS પુરા સેક્ટરના BSF DIG ચિતર પાલે જણાવ્યું, “9 મેના રોજ પાકિસ્તાને અમારી ઘણી ચોકીઓને નિશાન બનાવી. સૌથી પહેલા તેમણે ફ્લેટ ટ્રેજેક્ટરી હથિયારો અને મોર્ટારથી અમારી ચોકીઓને નિશાન બનાવી. તેમણે અમારા એક ગામ, અબ્દુલિયાનને પણ નિશાન બનાવ્યું. અમારા BSF જવાનોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો. જ્યારે તેમણે ગોળીબાર ઓછો કર્યો, ત્યારે તેમણે ડ્રોનની પ્રવૃત્તિ વધારી દીધી. જવાબમાં, BSF એ પાકિસ્તાની આતંકવાદી ઠેકાણા મસ્તપુરને નિશાન બનાવીને નષ્ટ કરી દીધું.”

સુંદરબની સેક્ટરના BSF ડીઆઈજી વરિન્દર દત્તાએ કહ્યું, “8 મેના રોજ અમને માહિતી મળી હતી કે પાકિસ્તાનમાં સરહદ પાર લુની આતંકવાદી ઠેકાણા પર 18 થી 20 આતંકવાદીઓ હાજર છે અને તેઓ અહીં ઘૂસણખોરી કરી શકે છે. પરંતુ અમે હુમલો કરીને તેમને ચોંકાવી દીધા, જેના કારણે ભારે નુકસાન થયું.”

BSFના DIG એસ.એસ. મંડે કહ્યું, “8 મે 2025 ના રોજ, અમારા સર્વેલન્સને સરહદ તરફ 40-50 લોકોની ગતિવિધિઓ મળી આવી. અમે આગમચેતીથી હુમલો કર્યો. તરત જ, પાકિસ્તાને BSF સરહદ ચોકીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો, જેનો અમે પણ જડબાતોડ જવાબ આપ્યો. ઇનપુટ્સથી ખબર પડી છે કે અમારા હુમલામાં ઘણા આતંકવાદીઓ, તેમના સમર્થકો, રેન્જર્સ અને અધિકારીઓ ઘાયલ થયા છે.” આઈજી બીએસએફ જમ્મુ શશાંક આનંદે કહ્યું, “9 મેના રોજ, પાકિસ્તાને અખનૂર નજીકના વિસ્તારોમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. 9-10 મેના રોજ, પાકિસ્તાને અખનૂર સરહદ પર ભારે ગોળીબાર કર્યો. બીએસએફે પાકિસ્તાનના લુની આતંકવાદી લોન્ચ પેડને યોજનાબદ્ધ રીતે નિશાન બનાવ્યું હતું.”

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે હુમલાના 15 દિવસ પછી 6-7 મેની રાતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકીઓના 9 ઠેકાણાઓને સ્ટ્રાઈક કરીને નષ્ટ કરી દીધા હતા. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો હતો અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓને ભારતીય હવાઈ સુરક્ષા પ્રણાલીએ નિષ્ફળ કરી દીધા હતા.

You Might Also Like

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી

US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે

2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા

મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

TAGGED: Border Security Force, BSF Officers, guajrti news, India Pakistan Tension, INDIAN ARMY, oneindianews, Operation Sindoor, pm modi, Press conference, Terrorists, topnews, આંતરરાષ્ટ્રીય સરહદ, બીએસએફે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 27, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે વુમેન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
Next Article સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માટે આવેલા દંપતીને આપી હૃદય સ્પર્શી સલાહ, કહ્યું ડિનર ડેટ પર જાઓ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
Gujarat મે 29, 2025
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
Gujarat મે 29, 2025
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
Gujarat મે 29, 2025
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
Gujarat મે 29, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?