હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શિવની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવાની ભગવાન શિવના આશીર્વાદ મળે છે. મંત્રોના જાપ કરવાથી અકાળ મૃત્યુનો ડર પણ દૂર થાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જીવનમાં રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે. આ મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. શિવપુરણમાં પણ તેનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. જો આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળા સાથે કરવામાં આવે તો અત્યંત લાભદાયી નીવડે છે.
મહામૃત્યુંજય મંત્રમહામૃત્યુંજય મંત્ર જાપની રીત આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળા સાથે કરવામાં આવે તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જાપ શુદ્ધ ઉચ્ચારણ સાથે થવો જોઈએ. શક્ય હોય તો કોઈ બ્રાહ્મણ પાસે વિધિસર મંત્રજાપ કરાવવા જેથી તેનો પ્રભાવ પડે. મહામૃત્યુંજય મંત્રને સવા લાખ વખત અને લઘુરુદ્રનો 11 લાખ વાર કરાવવો જોઈએ. સવારથી બપોર સુધી તેનો જાપ કરવાનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે જો મંત્રનો ઉચ્ચાર ખોટી રીતે કરવામાં આવે તો તેની અસર ઓછી થાય છે, તેથી ઉચ્ચારણની શુદ્ધતા પર ખાસ ધ્યાન આપો.મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના ફાયદા અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે: ભગવાન શિવને પ્રસન્ન કરતો આ મંત્ર વ્યક્તિને લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે છે. આ મંત્ર એવા લોકો માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે જેમને જીવનમાં અકાળ મૃત્યુનો ડર રહે છે અથવા વારંવાર અકસ્માતોનો સામનો કરવો પડે છે.
મહામૃત્યુંજય મંત્ર
ऊँ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।।