click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઓલપાડના સરોલી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઓલપાડના સરોલી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
Gujarat

ઓલપાડના સરોલી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

Last updated: 2024/01/06 at 2:17 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશથી ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો, જ્યા સુરત જિલ્લાના ૫૬૫ ગામોમાં પરિભ્રમણ કરી ૫૬૬માં ગામમાં આવીને યાત્રાનું સમાપન થયું હતું. ગ્રામવાસીઓ સાથે રેલવે રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઉમળકાભેર સ્વાગત કરી સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન કર્યું હતું. કાર્યક્રમમાં વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મંત્રીઓના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રેલવે રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, સંકલ્પ યાત્રા ગામે ગામ ફરીને માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુવિધ યોજનાઓના લાભો આપી રહી છે. સુરત જિલ્લામાં તા.૧૫મી નવેમ્બરે બારડોલીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ૫૬૫ ગામોમાં પરીભ્રમણ કરી આજે સરોલી ગામે સમાપન થયુ છે. વિકસિત ભારત યાત્રાએ ગામોમાં ભ્રમણ કરી જરૂરિયાતમંદ લોકોને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોક જાગૃતિ આણવી યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.  મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજના થકી આર્થિક સહાય મેળવી રહ્યા છે. નમો ડ્રોન દીદીમાં બહેનોને તાલીમ થકી ડ્રોન ઉડાવવા માટે તૈયાર કરાશે. પ્રાકૃતિક ખેતી ઉપયોગ જમીનને ફળદ્રુપ બનાવી લોકોને બીમારીઓથી મુક્ત અને તેમના આરોગ્યમાં સુધારો કરવા તેમણે અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરાવી હતી જે લોકવ્યાપી બની ઘરે ઘરે અને ગામે ગામ સ્વચ્છ બની રહ્યા છે ત્યારે સ્વચ્છતાની ઝુંબેશને આગળ વધારીને આપણા ગામને સ્વચ્છ બનાવીએ એમ તેઓએ ઉમેર્યું હતું.

વનમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, સુરત જિલ્લામાં શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સુરત જિલ્લમાં ૫૬૫ ગામોના ૪.૪૪ લાખથી વધુ લોકોએ સરકારી યોજનાનો લાભ લીધો છે. ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં ૩૩,૧૮૯ ખેડૂતોને દર વર્ષે રૂ.૬૦૦૦ની કિસાન સન્માન નિધિની સહાય મળી રહી છે. ૧૩,૭૪૭ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ.૧૨૫૦ ગંગા સ્વરૂપા પેન્શન તેમજ ઓલપાડ વિધાનસભામાં ગુજરાતમાં સૌથી વધુ ૧૩ હજાર પી.એમ. આવાસ નિર્માણ પામ્યા છે. લોકોએ જનધન ખાતા ખોલાવ્યા, જેથી વચેટિયાઓને નાબૂદ કરી લાભાર્થીને પૂરે પૂરો લાભ આપી શકાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજનામાં બહેનોને ડ્રોન ઉડાવવા માટેની તાલીમ આપવામાં આવશે અને ખેતરમાં નેનો યુરિયા અને દવાના ઝાંટકાવ માટે તૈયાર કરાશે. બહેનોને પગભર કરવા માટે તાલીમ આપી ૫૦૦ જેટલા સિલાઈ મશીન બહેનોને આપવામાં આવશે. ખેતી, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ વિભાગોમાં કાર્યરત યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા મંત્રીએ વિવિધ યોજનાઓ અને તેના લાભોની જાણકારી આપી હતી. સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન ભારત યોજના સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, એમ જણાવી ગ્રામજનોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ૧૫મી નવેમ્બરથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળ ઝારખંડના ખૂંટી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી હતી. જે સુરત જિલ્લાના બારડોલી ખાતેથી શરૂ કરવામાં આવી હતી. વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાબ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આજે ઓલપાડ તાલુકાના સરોલી ગમે આવી પહોંચ્યો છે. સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ૪.૪૫ લાખથી વધુ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો છે. જન આરોગ્યના હિતાર્થે અમલી બનેલી આયુષ્માન ભારત યોજના હેઠળ ૨.૧૩ લાખ લાભાર્થીઓ જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અપાયા છે એમ તેઓએ ઉમેર્યું હતું.

વિવિધ સ્ટોલ મારફતે ઉપલબ્ધ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેઓના અનુભવ જાણ્યા હતા. સખી મંડળની બહેનોએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતી નાટિકા રજૂ કરી હતી સાથે મંત્રીની ઉપસ્થિતમાં ડ્રોનનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તા.પં.પ્રમુખ નીતાબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ લાલુભાઈ પાઠક, પ્રાંત અધિકારશ્રી પાર્થ તલસાણીયા, નાયાબ જિલ્લા વિકાસ અધિકારી શિવરાજ ખુમાન, મામલતદારશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, મહામંત્રી કિશનભાઇ પટેલ, કુલદીપસિંહ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સરપંચ સ્મિતાબેન, ઉપસરપંચ રાકેશભાઈ, તલાટી કમ મંત્રી, તા.પં સભ્યો, આઈસીડીએસના બહેનો, તા. હેલ્થ ઓફિસર અને મેડિકલ હેલ્થ ઓફિસર, વિવિધ ગામોના સરપંચો, આંગણવાડી અને આશાવર્કર બહેનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર-તેજસ વશી (સુરત)

You Might Also Like

ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન

નરખડીના રામદેવજી આશ્રમ ખાતે યોગ અને સંસ્કાર શિબિર યોજાયો

નવસારી મનપાએ પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરી

વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ ના ભ્રષ્ટાચારમાં નાના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે

TAGGED: Allpad, bharat sankalp yatra, Collector of Surat, currentaffairs, currentnews, Darshanaben Jardosh, localnews, localnewsgujarat, localnewsingujarati, oneindia, oneindiagujrat, oneindianews, surat, topnews, topnewschannel, topnewschannelinhindi, Union Minister of State for Railways

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 6, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતનો ‘સમુદ્રવિજય’ : જહાજને ચાંચિયાઓનાં ચુંગાલમાંથી છોડાવ્યું
Next Article કામરેજ ખાતે ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે
Gujarat મે 20, 2025
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન
મે 20, 2025
નરખડીના રામદેવજી આશ્રમ ખાતે યોગ અને સંસ્કાર શિબિર યોજાયો
Gujarat Narmada મે 20, 2025
નવસારી મનપાએ પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરી
Gujarat Navsari મે 20, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?