click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે રાજપીપલાથી પ્રતિષ્ઠિત ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની જાહેરાત કરશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે રાજપીપલાથી પ્રતિષ્ઠિત ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની જાહેરાત કરશે
GujaratNarmada

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે રાજપીપલાથી પ્રતિષ્ઠિત ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની જાહેરાત કરશે

કલાકાર અને સામાજિક કાર્યકર સુશ્રી વિરાજકુમારી મહિડાએ તેમના દાદાના વારસાને સન્માન અપાવવા માટે આ એવોર્ડની સ્થાપના કરી

Last updated: 2025/04/09 at 6:24 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

સ્વ.રત્નસિંહજી મહિડાએ આદિવાસી બાળકોને વિનામૂલ્યે શિક્ષણની અમૂલ્ય તક પૂરી પાડી અસંખ્ય લોકોને મુખ્ય ધારામાં લાવી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું

પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ, સ્વ. રત્નસિંહજી મહિડાએ વર્ષ-૧૯૫૭ બાદ સ્થાપેલી ૭૨ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ થકી આજે પણ આદિવાસી સમાજમાં બાળમંદિરથી મહાવિદ્યાલય શિક્ષણ યજ્ઞ કાર્યરત

રાજપીપલાના જાણીતા કલાકાર સુશ્રી વિરાજકુમારી મહિડાએ તેમના દાદા અને પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ, સ્વર્ગસ્થ શ્રી રત્નસિંહજી મહિડાના વારસાને યાદ કરવા માટે ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની સ્થાપના કરી છે. આ એવોર્ડનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૨ એપ્રિલ-૨૦૨૫ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં રાજપીપળા ખાતે યોજાશે.

સ્વ.રત્નસિંહજી મહિડા પુરસ્કાર દર વર્ષે આદિવાસી સમુદાયોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને એનાયત કરવામાં આવશે. જેમનું કાર્ય સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિડાએ જે મૂલ્યો રજૂ કર્યા હતા તેની સાથે સુસંગત હશે. પસંદગી પ્રક્રિયાનું નિરીક્ષણ સુશ્રી વિરાજકુમારી મહિડા, રાજપીપલાના અગ્રણી શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ અને અભિનેતા-ભૂતપૂર્વ સાંસદ ડૉ.નીતિશ ભારદ્વાજ સહિતની એક પ્રતિષ્ઠિત પેનલ દ્વારા કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત સન્માન સ્થાનિક સમુદાયોના લોકો દ્વારા સમાજ પ્રત્યેના તેમના સમર્પણ અને યોગદાનની ઉજવણી કરતી અસાધારણ સિદ્ધિઓને માન્યતા આપે છે.

વર્ષ- ૧૯૫૭ થી શ્રી રત્નસિંહજી મહિડાનું શિક્ષણ દ્વારા આદિવાસી સશક્તિકરણનું વિઝન શરૂ થયું હતું. તેઓશ્રીએ રાજપીપળાના રાજવી પરિવારના સમર્થનથી શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની સ્થાપના કરી હતી. આ સાથે જ તેમણે આશ્રમશાળાઓ, બાલવાડી સંસ્કાર કેન્દ્રો, કુમાર-કન્યા છાત્રાલયો, શાળાઓ અને કોલેજો સહિત કુલ ૭૨ જેટલી સંસ્થાઓની સ્થાપના કરી હતી. જેમાં વંચિત ગરીબ આદિવાસી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને સહાય પૂરી પાડવામાં આવી હતી. તેઓની નિઃસ્વાર્થ નિરંતર સેવાથી અગાઉ મુખ્ય પ્રવાહથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા અસંખ્ય ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું અને પ્રદેશ- વિસ્તારમાં આદિવાસી સશક્તિકરણનો મજબૂત પાયો નંખાયો હતો. જે આજે વટવૃક્ષ બન્યો છે.

રત્નસિંહજી મહિડા પુરસ્કાર અંગે વાત કરતા સુશ્રી વિરાજકુમારી મહિડાએ કહ્યું,“શિક્ષણમાં મારા દાદાનો દ્રઢ વિશ્વાસ લોકોમાં પરિવર્તન અને સામાજિક કલ્યાણના માધ્યમ તરીકે નિરંતર પ્રદર્શિત થયો હતો. તેઓ ગુજરાતના આદિવાસી સમુદાયો માટે વર્ષો પહેલાં એક આશાનું કિરણ હતા, અને આદિવાસી સમાજને મુખ્યધારામાં લાવવા ખૂબ કાળજી રાખતા હતા. ‘રત્નસિંહજી મહિડા એવોર્ડ’ની સ્થાપના કરીને, હું આશા રાખું છું કે તેમની સેવા અને સમર્પણ શ્રેષ્ઠતાની ભાવનાને મૂર્તિમંત કરનારાઓનું ઉચિત સન્માન કરીને તેમનું મિશન-વિઝન કાયમી ચાલુ રાખીશું.”

આ પુરસ્કાર આદિવાસી સમુદાયોમાં પરિવર્તન લાવનારા અસાધારણ આદિવાસી લોકોની સિદ્ધિઓની ઉજવણી થકી દાદાના સન્માનને પ્રસ્તુત કરે છે. તેનો મુખ્ય હેતુ વિવિધ ક્ષેત્રોમાં આદિવાસી સિદ્ધિઓ પર પ્રકાશ પાડવાનો, આદિવાસી સમુદાયોમાં યુવા પેઢીઓને રોલ મોડેલ તરીકે રજૂ કરીને પ્રેરણા આપવાનો અને વૈશ્વિક મંચ પર આદિવાસી સશક્તિકરણ અને કલ્યાણને પ્રોત્સાહન આપવામાં ગુજરાતની સેવાકીય સ્થિતિને વધુ મજબૂત કરવાનો છે.

રાજપીપળાના અગ્રણી શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “રાજપીપળાનો રાજવી પરિવાર હંમેશા સામાજિક સુધારણા અને લોકોના ઉત્થાન માટે ખડેપગે-તત્પર રહ્યો છે. શ્રી રત્નસિંહજી મહિડાના અથાક પ્રયાસો મારા પૂર્વજો માટે પણ એક પ્રેરણારૂપ હતા. મને ખરેખર આજે ગર્વ છે કે, હું આ પહેલનો ભાગ બન્યો છું. જેને હું દિલથી સમર્થન આપું છું. આ પ્રયાસો થકી આપણા આદિવાસી સમુદાયોના અજ્ઞાત ભેખધારી નાયકોને ઓળખવાની ઉજળી તક મળી રહેશે તેવો મને પુરો વિશ્વાસ છે.”

રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના ગ્રાઉડ ખાતે યોજાનારા આ કાર્યક્રમના આયોજન અમલવારી અંગે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના અધ્યક્ષસ્થાને તા.૪/૦૪/ ૨૦૨૫ને શુક્રવારના રોજ બેઠક મળી હતી. જેમાં જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને માન.મુખ્યમંત્રીશ્રીની નર્મદા જિલ્લાની મુલાકાત સંદર્ભે વિવિધ સમિતિઓ બનાવી કામગીરીની વહેંચણી પણ કરવામાં આવી છે.

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

You Might Also Like

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

TAGGED: 'Ratnasinhji Mahida Memorial Award', Gujarat Chief Minister Shri Bhupendrabhai Patel, Narmada, Narmada Collector, Narmada news, narmada police, Rajpipla, ભૂપેન્દ્રભાઈ પટેલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
Next Article સિદ્ધપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Gujarat મે 9, 2025
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
Gujarat મે 9, 2025
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?