click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સણસોલી ગામે સ્વયંભૂ પ્રગટ હનુમાનજીનું મંદિર, દાદા 5000 વર્ષથી બિરાજમાન હોવાની લોકવાયકા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સણસોલી ગામે સ્વયંભૂ પ્રગટ હનુમાનજીનું મંદિર, દાદા 5000 વર્ષથી બિરાજમાન હોવાની લોકવાયકા
Gujarat

સણસોલી ગામે સ્વયંભૂ પ્રગટ હનુમાનજીનું મંદિર, દાદા 5000 વર્ષથી બિરાજમાન હોવાની લોકવાયકા

કાલોલથી 12 કિલોમીટરના અંતરે આવેલા હનુમાનજીના મંદિર આસપાસ હંમેશા શાંત વાતાવરણ પથરાયેલુ હોય છે. દાદા સણસોલી ગામે બિરાજમાન છે એટલે સણસોલી હનુમાન નામથી પ્રસિદ્ધ છે.

Last updated: 2025/04/19 at 10:45 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

કાલોલ તાલુકાના સણસોલી ગામે હનુમાનજીનું અદભુત અલૌકીક મંદિર આવેલુ છે. આ મંદિરની ગાથા રોચક છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ આરામની મુદ્રામાં બિરાજમાન છે. હજારો વર્ષોથી આ મૂર્તિનો મહિમા અપરંપાર છે. લોકવાયકા પ્રમાણે ભીમનું અભિમાન ઉતારવા હનુમાનજીએ તેમના માર્ગમાં પોતાની પૂંછ આડી કરી દીધી હતી. કાલોલ તાલુકાના છેવાડે આવેલા સણસોલી ગામે હનુમાનજીદાદા બિરાજમાન છે. લોકમાન્યતા અનુસાર હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. કાલોલથી 12 કિલોમીટરના અંતરે આવેલા હનુમાનજીના મંદિર આસપાસ હંમેશા શાંત વાતાવરણ પથરાયેલુ હોય છે. દાદા સણસોલી ગામે બિરાજમાન છે એટલે સણસોલી હનુમાન નામથી પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળથી સ્થિત દાદાના મંદિરે અદભૂત નજારો જોવા મળે છે. ગામની નજીક મેસરી નદી પસાર થાય છે. સણસોલી ગામે આવેલા દાદાના આ પૌરાણિક મંદિરની અનેક વિશિષ્ટતા છે. મહાભારત કાળ સમયે આ વિસ્તાર ઘનઘોર જંગલમાં પથરાયેલો હતો. અને તે વિસ્તાર હેડંબાવન તરીકે ઓળખાતો હતો. હનુમાનદાદા અંદાજે 5000 વર્ષ પહેલાં અહિં બિરાજમાન થયા હોવાની લોકવાયકા છે.

Contents
કાલોલના સણસોલી ગામે હનુમાનજીનું મંદિરભક્તો મનોકામના પૂર્ણ થતા હનુમાનજીને તેલ ચડાવે

કાલોલના સણસોલી ગામે હનુમાનજીનું મંદિર

વર્ષો પહેલા મહાભારત કાળમાં હેડંબા વનમાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહિં રોકાયા હતા ત્યારે ભીમનું અભિમાન ઉતારવા તેમનો માર્ગ રોકવા માટે હનુમાનજીએ પોતાની પૂંછ માર્ગમાં આડી કરી હતી અને એટલે જ આ મંદિરમાં હનુમાનજીની પૂંછ જોઈ નથી શકાતી તેવી લોકવાયકા છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ વિશ્રામ મુદ્રામાં છે. ભારતભરમાં આ મુદ્રામાં હનુમાનજીની મૂર્તિ વાળુ મંદિર બીજે ક્યાંય ન હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીનું મંદિર વર્ષોથી એક જ પ્રકારનું એક જ સ્થિતિમાં રહેલું છે. વર્ષોથી સણસોલીયા હનુમાનજીને અનેક પ્રકારની વિધિ મુજબ આભૂષણોથી તૈયાર કરવામાં આવે છે વર્ષ દરમિયાન અનેક તહેવારો તેમજ હનુમાન જયંતી નિમિત્તે ચાંદીના છત્તર નીચે બિરાજમાન દાદાને આભૂષણોથી સજાવવામાં આવે છે. જ્યારે પણ મૂર્તિની સજાવટ કરવામાં આવે છે ત્યારે ચોલો ચડાવ્યા બાદ મૂર્તિનો ચાંદીના વરખથી શણગાર કરવામાં આવે છે અને સુંદર આભૂષણોથી સજાવટ કરવામાં આવે છે. મંદિરમાં વર્ષોથી ચાલતી પરંપરા હાલમાં પણ યથાવત છે. દાદાને ચોલો ચડાવવાની પરંપરા હાલની પેઢી પણ નિભાવે છે. હનુમાનજીને ચોલો ચડાવે ત્યારે જુનો ચોરો ઉતારવામાં આવે છે. અને તે ઉતારીને બાજુમાં આવેલા મંદિર પાસે તેનો ઢગ કરવામાં આવે છે. આ પરંપરા હજારો વર્ષથી ચાલી આવે છે એટલે ચોલાનો ઢગ હાલ મંદિર જેટલો ઊંચો થઈ ગયો છે. એકવાર સ્થાનિક મંદિરના પૂજારીને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં પૂજારીને કહેવામાં આવ્યું કે કાળભૈરવ ચોલાના ઢગ નીચે દબાઈ ગયેલા છે તેમને કાઢો. દટાયેલા કાળભૈરવને કાઢવા માટે સવારે મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટીગણ ભેગા થઈ વિધિ મુજબ ઢગને ખોલ્યો ત્યારે તેમાંથી કાળભૈરવની મૂર્તિ નીકળી હતી. તેને દાદાની બાજુમાં સ્થાપિત કરવામાં આવી છે.

ભક્તો મનોકામના પૂર્ણ થતા હનુમાનજીને તેલ ચડાવે

વર્ષોથી હનુમાનજીના મંદિરે ભાવિકો દૂરદૂરથી દર્શન કરવા આવે છે. જેમાં દર શનિવારે મંદિર ભાવિકોની ભીડથી ઉભરાય છે. દાદાના શરણે ભક્તો રાજ્યના દરેક ખૂણેથી અને વિદેશમાંથી પણ મંદિરે આવે છે અને દાદાના દર્શન કરી ધન્ય થાય છે. ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ થતા હનુમાનજીને તેલ ચડાવે છે. સણસોલી હનુમાન મંદિરમાં અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન મહંત પુરણદાસજી મથુરદાસજીએ સંવત 2028માં મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો ત્યારે અંગ્રેજોએ પણ તેમને લખાણ આપ્યું હતું કે આ મંદિર તેમના શાસન દરમ્યાન મંદિરનો પરિવાર જ સાચવે. સણસોલી ગામના સણસોલી હનુમાનજી મંદિરની પાછળ વર્ષો પહેલા એક ગુફા હતી જે ગુફા મેસરી નદીના પટ્ટ સુધી જતી હતી. નદીમાં કૃષ્ણ કુંડી અને કાબરીયો ધરો પણ આવેલા હતા પણ સમય જતાં આ બંને નદીના પટ્ટમાં પુરાઈને લુપ્ત થઈ ગયા.

You Might Also Like

‘અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..’, ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન

ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેના ફાયદા

‘ભારત સામે કોઇ આંગળી ઉઠાવશે, તો તેના જનાજામાં કોઇ રડવાવાળું નહીં રહે’ – સીએમ યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું

વિદેશ પ્રધાન એસ જયશંકરની સુરક્ષા વધારવામાં આવી, હવે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરશે

TAGGED: Dev Darshan, gujarti news, latest gujarti news, oneindia news, Sansoli Hanumanji, Sansoli Hanumanji Temple, Supernatural temple, topnewschannelinindia, કાલોલ તાલુકા, સ્વયંભૂ પ્રગટ હનુમાનજી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 1 મેથી બંધ નહીં થાય FASTag સુવિધા, સરકારે GPS ટોલ કલેક્શનના અહેવાલો પર આપી સ્પષ્ટતા
Next Article લોકભારતી સણોસરાની કેળવણીનું ફળ, વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં મળી નોકરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..’, ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન
Gujarat મે 14, 2025
ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેના ફાયદા
Gujarat મે 14, 2025
‘ભારત સામે કોઇ આંગળી ઉઠાવશે, તો તેના જનાજામાં કોઇ રડવાવાળું નહીં રહે’ – સીએમ યોગીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી
Gujarat મે 14, 2025
ભારતમાં ચીનનું સરકારી ગ્લોબલ ટાઈમ્સ અખબારનું X એકાઉન્ટ બંધ કરાયું
Gujarat મે 14, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?