અહિં કલ્પિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી. મિસાઇલ હુમલાની જાણથી તંત્ર એલર્ટ થયું અને ૨૬ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડીને તાત્કાલિક સારવાર આપવામાં આવી. આ પ્રક્રિયામાં પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, જિલ્લા કલેકટર કચેરી, મહાનગરપાલિકા તેમજ સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સે સમન્વિત પ્રયાસો કર્યા. આ ડ્રિલનો હેતુ યુધ્ધજન્મ પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને સામૂહિક સહકારની પરખ કરવાનો હતો. કાર્યક્રમના ઇન્સીડન્ટ કમાન્ડર તરીકે પ્રાંત અધિકારી મયુર પરમાર કાર્યરત રહ્યા.