click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદમાં બિરાજમાન સૂર્ય પુત્ર શનિદેવ, સાડાસાતીના પ્રકોપથી ભક્તોને આપે છે મુક્તિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમદાવાદમાં બિરાજમાન સૂર્ય પુત્ર શનિદેવ, સાડાસાતીના પ્રકોપથી ભક્તોને આપે છે મુક્તિ
Gujarat

અમદાવાદમાં બિરાજમાન સૂર્ય પુત્ર શનિદેવ, સાડાસાતીના પ્રકોપથી ભક્તોને આપે છે મુક્તિ

અમદાવાદના શાહીબાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલું શનિદેવનું મંદિર આવેલુ છે. મંદિર આશરે ૩૩ વર્ષ જુનું છે. શાહીબાગ બ્રીજના નિર્માણ સમયે મંદિરને 1991માં ખસેડવામાં આવ્યું હતુ.

Last updated: 2025/04/05 at 10:52 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

શનિની સાડાસાતી વિશે અનેક વાતો પ્રચલિત છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિના ગ્રહોમાં ગોચર ગતિ કરે, ત્યારે વ્યક્તિના ગ્રહોમાં પનોતી બેસે છે. આ પનોતીને દૂર કરવા શનિદેવને રીઝવવામાં આવે છે. સમગ્ર દેશમાં શનિદેવના અનેક મંદિર આવેલા છે, અમદાવાદના શાહીબાગમાં મુખ્ય માર્ગ પર આવેલું શનિદેવનું મંદિર ઘણું પ્રખ્યાત છે. અમદાવાદના શાહીબાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલું શનિદેવનું મંદિર આવેલુ છે. મંદિર આશરે ૩૩ વર્ષ જુનું છે. શાહીબાગ બ્રીજના નિર્માણ સમયે મંદિરને 1991માં ખસેડવામાં આવ્યું હતુ. વસંત પંચમીના દિવસે મંદિરમાં મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી હતી. દર શનિવારે મંદિરે ભક્તોની ભીડ જામે છે. આ મંદિર હાલ આસ્થાનું પ્રતિક બન્યું છે. અહીં ખરા મનથી કોઈ પ્રાર્થના કરી હોય, તો ચોક્કસથી એ પ્રાર્થના ફળે છે. લોકો સાડાસાતીને દૂર કરવા તેમજ શનિદેવને રીઝવવા મંદિરે આવે છે.

Contents
અમદાવાદના શાહીબાગમાં શનિદેવ બિરાજમાનભાવિકોની શનિ મહારાજમાં અતૂટ શ્રદ્ધાગુજરાતમાં સૌમ્ય રૂપધારી એકમાત્ર પ્રતિમા

અમદાવાદના શાહીબાગમાં શનિદેવ બિરાજમાન

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા શનિ મહારાજનું મંદિર ખૂબ શ્રદ્ધા અને આસ્થા સાથે સંકળાયેલું છે. આ મંદિરમાં સુંદર કાળા આરસમાંથી કલાત્મક રીતે કંડારેલા શનિદેવ મહારાજ બિરાજમાન છે. શ્રી શનિદેવ મહારાજે પોતાના કરકમળોમાં પિતા સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે. તેથી તેમનું સ્વરૂપ કલ્યાણમય અને શુભકારી બન્યું છે. તેમની દ્રષ્ટિ ભક્તજનો પર ત્રાસી પડતી નથી. તેથી તેમનું સન્મુખ દર્શન શુભકારી બને છે. શ્રી શનિદેવ પોતાની અતિપ્રિય સવારી મહીષ એટલે કે, પાડા પર સવાર છે. સમગ્ર ગુજરાતમાં આવી સૌમ્ય રૂપધારી આ એકમાત્ર પ્રતિમા છે. આ મંદિરની સ્થાપના લગભગ 33 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ મંદિરની સ્થાપનાનો હેતુ દિવસના સમયે શનિ મહારાજની પૂજા અને તેલ અર્પણ કરવા માટે એક સ્થાન પ્રદાન કરવાનો છે. શનિ મંદિરમાં ભગવાનને ચઢાવવા તેલની સુવિધા આપવામાં આવે છે. મંદિર તરફથી નિ શુલ્ક ઘોડાની નાળ, શનિદેવનું પુતળું, લોખંડની વીટી, અને કાળો દોરો આપવામાં આવે છે. અમદાવાદના દૂરના વિસ્તારોમાંથી ભાવિકો નિયમિત શનિદેવના દર્શન કરવા આવે છે.

ભાવિકોની શનિ મહારાજમાં અતૂટ શ્રદ્ધા

શનિ મંદિરે દર્શન કરવા આવતા ભાવિકોની શનિ મહારાજમાં અતૂટ શ્રદ્ધા છે. આ મંદિરની સ્થાપના થઈ છે. ત્યારથી દરેક ભાવિકની મનોકામના પૂરી થઇ છે. શનિ મહારાજ ન્યાયના દેવતા છે. એટલે લોકો તેમની શ્રદ્ધાથી પૂજા કરે છે. અને તેમની ઇચ્છા પૂર્ણ થાય છે. વસંત પંચમી અને શનિ જ્યંતિના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં શનિદેવની સાથે હનુમાનદાદાની સ્થાપના પણ કરવામાં આવી છે. ભાવિકો શનિદેવની સાથે સાથે હનુમાન દાદાની પૂજા કરી તેલ ચઢાવે છે. મંદિરમાં દર શનિવારના દિવસે જરુરિયાતમંદો માટે ભંડારો રાખવામાં આવે છે. જેમાં 500થી વધારે લોકો સેવાનો લાભ લે છે. શનિ મંદિર તરફથી રામરોટી, મેડીકલ, એજ્યુકેશન, ચકલાને ચણ, જરૂરીયાતમંદને અનાજ આપવામાં આવે છે. મંદિરમાં આવેલ દાનમાંથી અનેક સેવાકીય પ્રવુતિઓં ચલાવવામાં આવે છે.

ગુજરાતમાં સૌમ્ય રૂપધારી એકમાત્ર પ્રતિમા

શનિ મંદિરના પ્રાંગણમાં વર્ષો જુનો પીપળો આવેલો છે. મંદિરે આવતા ભક્તો પીપળાને પાણી ચઢાવી દીવો કરે છે. મંદિરમાં દર શનિવારે સુંદરકાંડ કરવામાં આવે છે. શનિવારે ભક્તોની ભારે ભીડ થાય છે એટલે મંદિર સવારે ૬ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. શનિદેવને તેલ ચડાવવા મંદિરમાંથી જ તેલની બોટલ મળી રહે છે. મંદિરમાં શ્રદ્ધાળુઓ તેલ, સિંદૂર, કાળાઅડદ, કાળા તલ, આકડાની માળા ચડાવે છે. અને લોખંડ સહિત ઘોડાની નાળ, કાળી વસ્તુનું દાન પણ થાય છે. શનિદેવના પ્રભાવને લીધે પનોતી ચાલતી હોય તે રાશિના જાતકો દ્વારા શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. દૂર દૂરથી ભક્તો અહિં આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

You Might Also Like

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

TAGGED: Dev Darshan, latest guajrti news, Lord Shani, oneindia, oneindianews, Shahibaug Shani Dev Temple, Shani Dev Temple, topnews, topnewschannelinindia, શાહીબાગ, સૂર્ય પુત્ર શનિદેવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ
Next Article ખેડા – રઢું પાસે વાત્રક નદી પરના ગેરકાયદેસર બ્રીજ મામલો : લીઝધારકોની તપાસ શરૂ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
Gujarat Patan મે 16, 2025
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?