મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે બુધવારે તીખા શબ્દોમાં અદાલતી તિરસ્કારની કામગીરીના આદેશ જારી કર્યા હતા. સોમવારે અદાલતે મંદિરના વહીટકર્તાઓને તિરૂપ્પરંકુંદમ પહાડી પર આવેલા વિવાદાસ્પદ દીપસ્તંભ ખાતે કાર્તિકેય તહેવાર નિમીત્તે દીપ પ્રકટાવવા આદેશ આપ્યા હતા. તે આદેશનું મંદિર વહીવટીતંત્રે પાલન ના કર્યું હોવાથી નારાજ થઈને કોર્ટે અદાલતના તિરસ્કારની કામગીરી થશે તેવા આદેશ આપી દીધા હતા. તિરૂપ્પરંકુંદમ પહાડી ખાતે આવેવા હિંદુ મંદિર સંચાલકો અને નજીકની પહાડી પર જ આવેલી મુસ્લિમ દરગાહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
તિરુપ્પરંકુંદમ પહાડી ખાતે ભગવાન સિબ્રમણ્યમ સ્વામીનું મંદિર અને સિકંદર બધૂસાહ નામે મુસ્લિમ દરગાહ આવેલી છે. ન્યાયમૂર્તિ જી.આર. સ્વામિનાથને મંદિર વહીવટીતંત્રને સોમવારે દીપસ્તંભ પર પરંપરા મુજબ દીપ પ્રકટાવવા ફરમાન કર્યું હતું. બુધવારે સાંજે છ વાગ્યા સુધી અદાલતના આ આદેશનું પાલન ના થતાં ન્યાયાધીશે અધિકારીઓને અદાલતની અવગણનાના દોષિત ઠેરવતાં કહ્યું કે અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યા હતા. અદાલતના આદેશનો અમલ ના કરવો તે ન્યાયલયની પ્રતિષ્ઠાને પડકારવા બરોબર છે. અદાલતી અવગણનાની કાર્યવાહી હેઠળ ન્યાયાલયે અરજદાર
અને તેમની સાથેના ૧૦ લોકોને સીઆઈ એસએફની સુરક્ષા હેઠળ દીપ સ્તંભ પર ચઢીને દીપક પ્રગટાવવા મંજૂરી આપી હતી. અદાલતે તે બાબતને પ્રતિકાત્મક જરૂરી પગલું માન્યું હતું.
અદાલતે સોમવારે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે વિવાદીત દીપ સ્તંભમંદિરની ભૂમિ પર છે. તે વિસ્તાર દરગાહના નિયંત્રણમાં નથી. અદાલત મુજબ તિરુપ્પરંકુંદ્રમ પહાડી બે શિખર વચ્ચે વહેંચાયેલી છે. ઉંચા શિખર પર દરગાહ અને નાના શિખર પર દીપ સ્થાન છે. અદાલતે કહ્યું કે નીચલા શિખર પર દીપ પ્રગટાવવાથી દરગાહ કે મુસ્લિમ સમુદાયના અધિકારો પ્રભાવિત નથી થતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel