નડિયાદ શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા અંદાજે રૂ. ૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલા નડિયાદ–પીજ રોડના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી સિમેન્ટ કોંક્રિટ (CC) રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને ગુણવત્તાયુક્ત ધોરણો જાળવી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ રોડના નવીનીકરણ માટે હાલના માર્ગનું ખોદકામ કરી સરેરાશ 300 મી.મી. સુધી મજબૂત ભરાઈ કર્યા બાદ ઉચ્ચ ગુણવત્તાવાળો CC રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ માર્ગ વધુ ટકાઉ, સુરક્ષિત અને વાહનવ્યવહાર માટે વધુ અનુકૂળ બનશે.
ઉલ્લેખનીય છે કે આ જ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં પીજ ચોકડીથી કેનાલ સુધી પેવર ફિનિશ સાથે ડામર રોડ બનાવવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નડિયાદ–પીજ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેમજ સ્થાનિક નાગરિકોને લાંબા ગાળાની ગુણવત્તાસભર માર્ગ સુવિધાનો લાભ મળશે.
સ્થળ મુલાકાત દરમિયાન નડિયાદના મેયર મનીષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કલ્પેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગભાઈ, કોર્પોરેટરઓ તેમજ માર્ગ અને મકાન (R&B) વિભાગના વિવેકભાઈ જામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel