click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?
Gujarat

4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકોને છોડશે અને બદલામાં ઈઝરાયેલ અસ્થાયી રીતે જંગ રોકશે જો કે આ ડીલ અંગે બધી વાતો હજુ સ્પષ્ટ થઈ શકી નથી.

Last updated: 2023/11/22 at 2:59 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકો (મહિલાઓ અને બાળકો)ને છોડશે અને બદલામાં ઈઝરાયેલ અસ્થાયી રીતે જંગ રોકશે જો કે આ ડીલ અંગે બધી વાતો હજુ સ્પષ્ટ થઈ શકી નથી. ડીલની એ વાતો ખાસ જાણો જેની જાહેરાત અધિકૃત રીતે થઈ છે.

Contents
50 બંધકોનો છૂટકારો, ચાર દિવસનો યુદ્ધવિરામડીલમાં કઈ કઈ વાતો થઈ શકે છે સામેલ?શું તરત રોકાઈ જશે યુદ્ધ? ડીલ બાદ આગળ શું

50 બંધકોનો છૂટકારો, ચાર દિવસનો યુદ્ધવિરામ

ઈઝરાયેલસરકારના એક નિવેદનમાં કહેવાયું છે કે કેબિનેટે એક સમજૂતિને મંજૂરી આપી છે, જે હેઠળ ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઓછામાં ઓછા 50 બંધકો (મહિલાઓ અને બાળકો)ને છોડી મૂકવામાં આવશે. જેના બદલામાં ઈઝરાયેલના હવાઈ અને જમીની અભિયાનમાં ચાર દિવસનો સંઘર્ષ વિરામ રહેશે. નિવેદનમાં ઈઝરાયેલી જેલોમાં બંધ પેલેસ્ટાઈન કેદીઓના છૂટકારાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી જો કે માનવામાં આવે છે કે આ પણ સમજૂતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. એક સરકારી સૂત્રએ સીએનએનને જણાવ્યું કે આ ડીલને ઈઝરાયેલની કેબિનેટે ભારે બહુમતથી મંજૂરી આપી છે.

ડીલમાં કઈ કઈ વાતો થઈ શકે છે સામેલ?

– અલઝઝીરાના જણાવ્યાં મુજબ ઈઝારાયેલી જેલોમાંથી લગભગ 150 જેટલી પેલેસ્ટાઈનની મહિલાઓ અને બાળકોને છોડી મૂકવામાં આવે તેવી આશા છે.
– એવું માનવામાં આવી રહ્યું છે કે વિદેશી નાગરિકોને મુખ્ય સમજૂતિમાં સામેલ કરાયા નથી. પરંતુતેઓ હજુ પણ અલગ અલગ ડીલનો ભાગ હોઈ શકે છે અને કદાચ અસ્થાયી યુદ્ધવિરામ સમયગાળા દરમિયાન છોડી મૂકવામાં આવી શકે છે.
– યુદ્ધમાં વિરામ દરમિયાન પ્રત્યેક દિવસ 10 કેદીઓને છોડવામાં આવે તેવી શક્યતા છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલ હમાસ દ્વારા છોડવામાં આવેલા પ્રત્યેક 10 બંધકો માટે એક વધારાનો દિવસ વિરામ આપવામાં માટે તૈયાર છે.
– ગાઝા પટ્ટીમાં ઈંધણ સહિત સહાયતાના લગભગ 300 ટ્રકોને મંજૂરી મળે તેવી આશા છે.
– કથિત રીતે ઈઝરાયેલ રોજ છ કલાક ડ્રોન નહીં ઉડાવવા પર સહમત થયું છે. હમાસે વાતચીત દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે લડાઈમાં વિરામ દરમિયાન ડ્રોનનો ઉપયોગ આગળની ઈન્ટેલિજન્સ માહિતી ભેગી કરવા માટે કરવામાં આવશે.

શું તરત રોકાઈ જશે યુદ્ધ? ડીલ બાદ આગળ શું

– ઈઝરાયેલ સરકારે હમાસ સાથે લડાઈ રોકવા માટે કતારની મધ્યસ્થતાને મંજૂરી આપી છે.
– અલઝઝીરાના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા અનેક તબક્કામાં થશે જેનો અર્થ છે કે ગાઝા પર ઈઝરાયેલી બોમ્બિંગનો તત્કાળ અંત થવાની સંભાવના નથી.
– હવે કતારને એક અધિકૃત સૂચના મોકલવામાં આવે તેવી આશા છે જેમાં સંઘર્ષ વિરામ સમજૂતિના પક્ષમાં ઈઝરાયેલી કેબિનેટના મત અંગે જાણકારી આપવામાં         આવશે. ત્યારબાદ કતારમાં ડીલની અધિકૃત જાહેરાત કરાશે.
– જાહેરાતના 24 કલાક દરમિયાન સંઘર્ષ વિરામ સમજૂતિનો વિરોધ કરનાર કોઈ પણ ઈઝરાયેલી ઈઝરાયેલની હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકે છે.
– આ સમયગાળા દરમિયાન ન તો ગાઝામાં બંધકોને કે ન તો ઈઝરાયેલી જેલમાં બંધ પેલેસ્ટાઈનના કેદીઓને છોડવામાં આવશે.
– અપીલનો આ સમય વીતી ગયા બાદ શક્યતા છે કે બંધકો અને કેદીઓની પહેલી અદલા બદલી ગુરુવાર કે શુક્રવારે થશે.
– ઈઝરાયેલી મીડિયાએ ઈઝરાયેલના રાજનીતિક સૂત્રોના હવાલે કહ્યું કે સંઘર્ષ વિરામ દરમિયાન ગાઝામાં લડાઈથી વિસ્થાપિત પેલેસ્ટાઈન યુદ્ધગ્રસ્ત ક્ષેત્રના ઉપરી ભાગમાં પાછા ફરવામાં અસમર્થ હશે.

અત્રે જણાવવાનું કે સાત ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો જેમાં 1200 લોકોના મોત થયા હતા. આ દરમિયાન હમાસના આતંકીઓએ લગભગ 239 લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ ઈઝરાયેલે હમાસના કંટ્રોલવાળા ગાઝા પટ્ટી પર હવાઈ અને પછી જમીની હુમલા કરવાના શરૂ કરી દીધા. ઈઝરાયેલના હુમલામાં 14100થી વધુ લોકો માર્યા ગયા છે.

You Might Also Like

ડેપ્યુટી CM બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે,CM યોગીનું નિવેદન,સપા વિશે આ કહ્યું

ભારતની એક કાર્યવાહી… પછી તુર્કીની કંપનીનો નીકળ્યો દમ, એક જ વારમાં 200 મિલિયન ડોલર ધોવાઈ ગયા

સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે સિવિલ રિવિઝન અરજી ફગાવી

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, AGR બાકી રકમના કેસમાં અરજી ફગાવી

દરરોજ એક મહિના સુધી દૂધમાં પલાળેલા 2 અંજીર ખાઓ, સ્વાસ્થ્ય સંબંધિત 5 સમસ્યાઓ થશે દૂર!

TAGGED: @narendramodi, Breaking news, gujaratinews, Hamas Gaza, hindinews, internationalnews, ISRAEL, israel Government, israel hamas conflict, Israeli prisons, localnewsingujarat, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Palestine, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 22, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, શિયાળું કૃષિ મેળા પર ચર્ચા
Next Article મોદી સરકારે બચત ખાતા અંગેના નિયમો બદલી નાખ્યા, જાણો કોના પર લાગૂ થશે આ ફેરફાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ડેપ્યુટી CM બ્રિજેશ પાઠક પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે,CM યોગીનું નિવેદન,સપા વિશે આ કહ્યું
મે 19, 2025
ભારતની એક કાર્યવાહી… પછી તુર્કીની કંપનીનો નીકળ્યો દમ, એક જ વારમાં 200 મિલિયન ડોલર ધોવાઈ ગયા
મે 19, 2025
સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે સિવિલ રિવિઝન અરજી ફગાવી
મે 19, 2025
ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, AGR બાકી રકમના કેસમાં અરજી ફગાવી
Gujarat મે 19, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?