click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામ પર મહોર, રાજનાથ સિંહે કર્યો પ્રસ્તાવ રજૂ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામ પર મહોર, રાજનાથ સિંહે કર્યો પ્રસ્તાવ રજૂ
Gujarat

NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામ પર મહોર, રાજનાથ સિંહે કર્યો પ્રસ્તાવ રજૂ

આ વખતે NDAને 293 સીટો સાથે બહુમતી મળી છે. એનડીએ સતત ત્રીજી વખત બહુમતી મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. દેશમાં ફરી એકવાર તેમની સરકાર બની શકે છે.

Last updated: 2024/06/07 at 2:21 પી એમ(PM)
One India News Team
Share
6 Min Read
SHARE

લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સાથે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોક પણ દિલ્હીમાં સતત બેઠકો યોજી રહ્યા છે. આજે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે મોદી 9 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે.

Contents
મોદીનાં નામનું હું સમર્થન કરું છુંઃ અમિત શાહનરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયાઆ નેતાઓ મંચ પર હાજર છેઆખો દિવસ વડાપ્રધાન સાથે રહેશેઃ નીતિશ કુમારદિવસ રાત જોયા વગર કામ કરનાર કાર્યકરોનો આભાર માન્યો22 રાજ્યોમાં ભવ્ય વિજય અપાવી સેવા કરવાની તક આપીઃ વડાપ્રધાન

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા બહુમતીના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ભારતીય બ્લોકને 234 બેઠકો મળી છે.

#WATCH | Prime Minister Narendra Modi respectfully touches the Constitution of India with his forehead as he arrives for the NDA Parliamentary Party meeting.

Visuals from the Central Hall of the Samvidhan Sadan (Old Parliament). pic.twitter.com/JU6D9M0Jca

— ANI (@ANI) June 7, 2024

જો કે આ વખતે ભાજપના નેતૃત્વમાં બનેલી સરકારમાં તેના બે સહયોગી પક્ષો ટીડીપી અને જેડીયુની ભૂમિકા સૌથી મહત્વની રહેવાની છે. એનડીએમાં બીજા અને ત્રીજા સૌથી મોટા પક્ષો અનુક્રમે ટીડીપી અને જેડીયુ છે. ટીડીપી પાસે 16 અને જેડીયુ પાસે 12 સાંસદ છે.

મોદીનાં નામનું હું સમર્થન કરું છુંઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે લોકસભામાં બીજી વખત જીતવા માટે તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. તેમજ રક્ષામંત્રી રાજનાથસિહે લોકસભાનાં નેતા, બીજેપી અને એનડીએ સંસદીય દલનાં નેતાનાં રૂપમાં નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્વાત રજૂ કર્યો હતો. જેનું હું દિલથી સમર્થન કરૂ છું. તેમણે આગળ કહ્યું કે આ પ્રસ્તાવ માત્ર અહીંયા બેઠેલા લોકોની ઈચ્છા નથી. આ દેશની 140 કરોડ લોકોનો પ્રસ્તાવ છે. આ દેશનો આવાજ છે. વડાપ્રધાન મોદી આગામી 5 વર્ષ માટે દેશનું નેતૃત્વ કરશે.

#WATCH | Union HM Amit Shah says "I congratulate everyone for winning the Lok Sabha Elections again. Defence Minister Rajnath Singh has proposed the name of Narendra Modi as the leader of Lok Sabha, leader of the BJP and NDA Parliamentary Party. I wholeheartedly support this…" pic.twitter.com/gUlZvOxDr4

— ANI (@ANI) June 7, 2024

નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા

નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા. આ દરમિયાન બીજેપી સાંસદ રાજનાથ સિંહે કહ્યું, ‘હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું. આજે અમે અહીં NDAના નેતાની પસંદગી કરવા આવ્યા છીએ. હું માનું છું કે આ તમામ પદો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી યોગ્ય છે.

https://twitter.com/ANI/status/1798970255190159525

આ નેતાઓ મંચ પર હાજર છે

  1. અનુપ્રિયા પટેલ
  2. જીતન રામ માંઝી
  3. ચિરાગ પાસવાન
  4. એકનાથ શિંદે
  5. અજિત પવાર
  6. નીતિશ કુમાર
  7. ચંદ્રબાબુ નાયડુ
  8. એચડી કુમારસ્વામી
  9. પવન કલ્યાણ
  10. અમિત શાહ
  11. જેપી નડ્ડા
  12. રાજનાથ સિંહ

નરેન્દ્ર મોદીને અમારૂ પૂરે પૂરુ સમર્થન છેઃ ચંદ્રબાબુ નાયડું

એનડીએની સંસદીય દળની બેઠકમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુંએ કહ્યું કે, તમામ લોકો તમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેમ કે અમે શાનદાર બહુમતી હાંસલ કરી છે. મે ચૂંટણી પ્રચાર દરમ્યાન દેખ્યું કે 3 મહીના સુધી વડાપ્રધાને આરામ નથી કર્યો. તેમણે દિવસ રાત પ્રચાર કર્યો છે. આંધ્ર પ્રદેશમાં અમે 3 જાહેર સભાઓ અને 1 મોટી રેલી કરી. જેથી આંધ્રપ્રદેશમાં ચૂંટણી જીતવામાં મોટો તફાવત સર્જાયો. પીએમ મોદીએ દેશ માટે કામ કરવું જોઈએ. અમારો તેમને સંપૂર્ણ સમર્થન છે.

#WATCH | At the NDA Parliamentary Party meeting, TDP chief Chandrababu Naidu says "We are congratulating all of us as we have won a wonderful majority. I have seen during the election campaign, for 3 months PM Modi never took any rest. Day and night he has campaigned. He started… pic.twitter.com/opUZJj7mWS

— ANI (@ANI) June 7, 2024

આખો દિવસ વડાપ્રધાન સાથે રહેશેઃ નીતિશ કુમાર

જેડીયુ વતી નીતિશ કુમારે ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે. ફરી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર દેશની સેવા છે અને મને પૂરો વિશ્વાસ છે કે જે પણ બચશે તે અમે આગામી સમયમાં પૂર્ણ કરીશું. તેમજ અમે તેઓની સાથે છીએ.

#WATCH | At the NDA Parliamentary Party meeting, Bihar CM- JD(U) chief Nitish Kumar says "All the pending works of Bihar will be done. It is a very good thing that all of us have come together and we will all work together with you (PM Modi). You will be swearing in as the Prime… pic.twitter.com/GhIjU1r5FJ

— ANI (@ANI) June 7, 2024

સંસદીય દળની મળેલી બેઠકમાં ત્રીજી વખત વડાપ્રધાન મોદીનું નામ સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાને તેઓનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હું સૌ પ્રથમ તો આ સભાગૃહમાં ઉપસ્થિત એનડીએ ઘટક દળનાં તમામ નેતાઓ તેમજ નવા ચૂંટાયેલા સાંસદોનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.

દિવસ રાત જોયા વગર કામ કરનાર કાર્યકરોનો આભાર માન્યો

જે મિત્રો વિજયી થઈને આવ્યા છે તે તમામ લોકો શુભેચ્છાઓને પાત્ર છે. તેમજ જે કાર્યકરોએ દિવસ રાત દેખ્યા વગર ભયંકર ગરમીમાં જે પુરૂષાર્થ કર્યો છે મહેનત કરી છે તેઓને માથું નમાવીને નમન કરુ છું. મિત્રો મારૂ સૌભાગ્ય છે કે એનડીએનાં નેતાનાં રૂપમાં મને ચૂંટી મને એક નવું નેતૃત્વ આપ્યું છે. વ્યક્તિગત જીવનમાં હું એક જવાબદારીનો અહેસાસ કરુ છું. જ્યારે હું 2019 માં નેતાનાં રૂપમાં ચૂંટાયો હતો. ત્યારે ફરી એક વખત તમે લોકો મને ફરી એક વખત આ નેતૃત્વ આપો છે. જેનાથી એક વાત સાબિત થાય છે કે આપણી વચ્ચે એક અતૂટ સબંધ છે. એટલે આ જ પળ છે તે મને ભાવુક કરનાર છે. તેમજ તમારો લોકોનો આભાર માનું એટલો ઓછો છે.

22 રાજ્યોમાં ભવ્ય વિજય અપાવી સેવા કરવાની તક આપીઃ વડાપ્રધાન

ખૂબ ઓછા લોકો આ વાતોની ચર્ચા કરે છે. કદાચ તેમને ખબર નહી હોય. આજે એનડીએને લોકોએ 22 રાજ્યોમાં ભવ્ય વિજય અપાવી સેવા કરવાની તક આપી છે. અમારૂ આ ગઠબંધન સાચા અર્થમાં ભારતનો જે આત્મા છે. ભારતની જડોમાં જે રહેલો છે. તેનું આ એક પ્રતિબિંબ છે. અને હું આ એટલા માટે કહું છુ કે જરા નજર કરો જ્યાં અમારા આદિવાસી બંધુઓની સંખ્યા વધુ છે. એવા 10 રાજ્યોમાંથી 7 રાજ્યોમાં એનડીએ સેવા કરી રહી છે.

You Might Also Like

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત

રાષ્ટ્રપતિના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલી શકાય? જાણો શું કહે છે કલમ 143

TAGGED: amit shah, Chandrababu Naidu, CM Nitish Kumar, Rajnath Singh

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 7, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article માધવ દર્શન વેપારી એસોિયેશનના વેપારી દુકાનો ને સિલ મારવા બાબતે કમિશ્નર ને કરી રજૂઆત
Next Article બંધારણ બદલી નાખશેના વિપક્ષના આક્ષેપનો પીએમ મોદીએ આપ્યો જવાબ, સંસદના સેન્ટ્રલ હોલમાં સંવિધાનની નકલને કર્યાં નમન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025
બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
Gujarat મે 17, 2025
અમદાવાદ ઈન્દોર હાઇવે પર આવેલ છીપડી પાટીયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરના બંને બાજુનું સર્વિસ રોડ વિશેની સમસ્યા જનતાની વારંવાર રજૂઆત છતાં હાઇવે ઓથોરિટીની બેદરકારી
Gujarat Kheda મે 17, 2025
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?