અમદાવાદ: ગુજરાતમાં થોડા કલાકોથી વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં કેવો વરસાદ પડશે અને કેવું તાપમાન રહેશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જોઈએ.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું. આ સિસ્ટમ આજે 27 ઓક્ટોબર 2025 ના રોજ 0830 કલાકે અક્ષાંશ 16.4°N અને રેખાંશ 66.9°E નજીક, મુંબઈ (મહારાષ્ટ્ર) થી લગભગ 700 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પણજી (ગોવા) થી 750 કિમી પશ્ચિમ, અમીનીદિવી (લક્ષદ્વીપ) થી 860 કિમી ઉત્તરપશ્ચિમ અને મેંગલોર (કર્ણાટક) થી લગભગ 940 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ પર સ્થિત હતું. આગામી 48 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે. ડિપ્રેશન સાથે સંકળાયેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી રચાયેલું ટ્રફ પૂર્વ મધ્ય અરબી સમુદ્રથી પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધીના પૂર્વ-ઉત્તર અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં દરિયાની સપાટીથી 1.5 અને 3.1 કિમી ઉપર યથાવત છે.

તાપમાન અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યું છે કે, આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે; ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, એ.કે. દાસે માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આજથી એટલે 27 ઓક્ટોબરથી બીજી નવેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ એટલે કે, 31 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારેથી ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે. ગાજવીજની વાત કરીએ તો 31 ઓક્ટોબર એટલે કે આગામી પાંચ દિવસ ગુજરાતભરમાં ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે. માછીમારો માટે આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

27મી તારીખે એટલે આજે રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે કચ્છ સિવાયના તમામ જિલ્લામાં વરસાદનું એલર્ટ પણ છે. આજે ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ એટલે અહીં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જુનાગઢ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે એટલે અહીં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
28મી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
29મીએ ફરીથી અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
30મીએ ફરીથી વરસાદની તીવ્રતા વધી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel