આજે RBI ગવર્નરે એક મોટી જાહેરાત કરી. RBI છેલ્લા ઘણા સમયથી સતત રેપોરેટમાં ઘટાડો કરતો રહ્યું છે. RBI લોન સર્કલને ફરીથી સક્રિય કરવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવા માંગે છે. આજ રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે.
4 જૂનના રોજ શરૂ થયેલી RBI ની એક અગત્યની MPC મિટિંગનું પરિણામ આવી ગયું છે. અને ફરી એકવાર RBI એ કેન્દ્રિય બેન્કોને મોટી રાહત આપી છે. અને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાને પગલે હવે હોમ લોન થી લઈને કાર લોન સુધી તમામ EMI માં સામાન્ય જનતાને રાહત મળશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની MPC મીટિંગના પરિણામો આવી ગયા છે અને કેન્દ્રીય બેંકે ફરી એકવાર મોટી રાહત આપી છે. હકીકતમાં RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ તાજેતરના ઘટાડા પછી રેપો રેટ હવે 6 ટકાથી ઘટીને 5.50% થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે પાછલી બે MPC મીટિંગમાં પણ વ્યાજ દરમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બેંક લોન લેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે કારણ કે હવે તેમની EMI વધુ ઓછી થશે.
मौद्रिक नीति समिति (#MPC) ने #रेपो_दर को 50bps से घटाकर 5.5% करने का फैसला किया। यह तत्काल प्रभाव से लागू होगा: #RBI गवर्नर #संजय_मल्होत्रा#RepoRate #liquidityadjustment pic.twitter.com/PZwCAchx8e
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) June 6, 2025
રેપો રેટ ઓછો થવાથી ઘટશે Loan EMI
રેપો રેટ બેંક લોન લેતા ગ્રાહકો સાથે સીધો જોડાયેલો હોય છે. જ્યારે તે ઘટે છે. ત્યારે લોન EMI ઘટે છે અને જ્યારે તે વધે છે, ત્યારે તે વધે છે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે જેના પર દેશની મધ્યસ્થ બેંક નાણાંની અછતના કિસ્સામાં વાણિજ્યિક બેંકોને નાણાં ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ નાણાકીય સત્તાવાળાઓ દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.
રેપો રેટમાં ઘટાડાની હેટ્રીક
RBI MPC ની બેઠક 4 જૂને શરૂ થઈ હતી અને આજે 6 જૂને તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. તાજેતરના રેપો રેટ ઘટાડા પહેલા પણ આ વર્ષની છેલ્લી બે બેઠકોમાં રાહત આપવામાં આવી હતી. અગાઉ ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે પછી તે 6.50% થી ઘટીને 6.25% થયો હતો. તો આ પછી એપ્રિલમાં યોજાયેલી નાણાકીય વર્ષ 26 ની પહેલી MPC બેઠકમાં, તેને ફરી એકવાર 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6% કરવામાં આવ્યો હતો અને હવે રિઝર્વ બેંકે રેપો રેટમાં કાપની હેટ્રિક લાગુ કરીને લોન લેનારા ગ્રાહકોને મોટી ભેટ આપી છે.
હોમ લોન પર વ્યાજ કેટલું ઘટશે?
જો RBI રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. એટલે કે નવા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે એટલે કે દર ઘટીને 5.50 ટકા થઈ ગયો છે.
ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ
જો તમારી બેંક હોમ લોન પર 9% વ્યાજ વસૂલ કરે છે. તો 50 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી તે ઘટીને 8.50% થઈ જશે. આનો અર્થ એ છે કે તમારે ઓછી માસિક EMI જમા કરાવવી પડશે.
50 લાખ રૂપિયાની લોન પર કેટલો EMI ઘટશે?
ધારો કે તમે 30 વર્ષ માટે બેંક પાસેથી 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવી રહ્યા છો. તો તમારી માસિક EMI 40231 રૂપિયા થશે. બીજી તરફ RBI દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી, આ EMI ઘટીને 38446 રૂપિયા થઈ જશે. એટલે કે માસિક EMI 2000 રૂપિયા સુધી ઘટાડી શકાય છે. જોકે શરત એ છે કે RBI દ્વારા રેપો રેટ ઘટાડ્યા પછી તમારી બેંકે પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવો જોઈએ. તેવી જ રીતે ઓટો લોન અને અન્ય લોન પર પણ અસર પડી શકે છે.
20 લાખ રૂપિયાની લોન પર કેટલો EMI ઘટશે?
જો તમે 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની લોન લીધી હોય અને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયા પછી, તમારી બેંક પણ લોન પર વ્યાજ ઘટાડે છે તો તમારો EMI ઘટશે. ધારો કે તમે 20 વર્ષ માટે 9% વ્યાજે 20 લાખ રૂપિયાની લોન લીધી હતી, તો માસિક EMI 17995 રૂપિયા થશે. હવે લોનના વ્યાજમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયા પછી, તમારી લોન EMI 17356 રૂપિયા થઈ જશે.