મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબા હરિયાણીની ચિરવિદાયથી તલગાજરડા ચિત્રકુટધામમાં સહજ સાંત્વના આપવા માટે સંતોની ભીડ થઈ છે. અહીંયા પરંપરાગત પ્રણાલી મુજબ સર્વ સમાજ મોરારિબાપુનાં મોઢે આવી રહેલ છે.
ચિત્રકુટધામ તલગાજરડામાં નર્મદાબા હરિયાણીની ચિરવિદાયથી પરંપરાગત પ્રણાલી મુજબ સંતો, મહંતો, અગ્રણી મહાનુભાવો સહિત સર્વ સમાજ મોટી સંખ્યામાં મોરારિબાપુનાં મોઢે આવી રહેલ છે અને સ્વાભાવિક લાગણી ભાવ વ્યક્ત કરી રહેલ છે.
દિલીપદાસજી મહારાજ ( જગન્નાથ મંદિર અમદાવાદ ), મોહનદાસજી મહારાજ ( થલતેજ ), અખાડા પરિષદ મહામંત્રી રાજેન્દ્રદાસજી મહારાજ, ગરીબરામજી મહારાજ ( નાની ખોડિયાર વરતેજ ), રામચંદ્રદાસજી મહારાજ ( ભાવનગર ), શ્રીનિવાસદાસજી મહારાજ ( ડાકોર ), વિજયદાસજી મહારાજ ( ડાકોર ), ચૈતન્ય શંભુ મહારાજ ( અમદાવાદ ), મધુસૂદનદાસજી મહારાજ ( વાવલ ગાંધીનગર ), ૐકારદાસજી મહારાજ ( ડાકોર ) પ્રેમદાસજી મહારાજ ( ભાવનગર ), સરયુદાસજી મહારાજ ( ભાવનગર ), કલ્યાણી માતાજી ( ભાવનગર ), રામમનોહરદાસજી મહારાજ ( ગિરિયા અમરેલી ) સહિત સંતો, મહંતો અને ધાર્મિક અગ્રણીઓ તલગાજરડા પહોંચ્યા હતાં અને ભાવ અંજલિ અર્પણ કરેલ.
આ અખાડાઓનાં સંતો ઉપરાંત નાની મોટી જગ્યાનાં ધર્માચાર્યો, કથાકારો વગેરે મહાનુભાવો ચિત્રકુટધામ આવી રહ્યાં છે. આમ સહજ સાંત્વના ભાવ આપવા માટે સંતોની ભીડ થઈ રહી છે.