કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ નવી સિસ્ટમથી ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂર નહીં પડે અને GPS દ્વારા આપોઆપ ટોલની રકમ કપાઈ જશે.
સીમલેસ મુસાફરી અને હાઇવે પરની ભીડને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રવિવારે આ માહિતી આપતા કહ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત નીતિ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં અદ્યતન ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સેટેલાઇટ ઇમેજિંગના આધારે ટોલ ચાર્જ આપોઆપ વાહન સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે.
ગડકરીએ જણાવ્યું કે આ પગલું સરકારના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા અને વપરાશકર્તાઓના અનુભવને સુધારવાના પ્રયાસોનો એક ભાગ છે. તેમણે વધુમાં કહ્યું કે, “સેટેલાઇટ દ્વારા વાહનોને ટ્રેક કરવામાં આવશે અને વાહન સાથે લિંક કરેલા બેંક ખાતામાંથી સીધો જ ટોલ કાપવામાં આવશે.” આ નવી સિસ્ટમથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાગતી લાંબી કતારો દૂર થશે, ઇંધણની બચત થશે અને મુસાફરીનો સમય પણ ઘટશે.
A new toll policy will be introduced within 15 days, featuring a satellite-based toll system. Vehicles won't need to stop at plazas, as tolls will be auto-deducted via satellite imaging: Union Transport Minister Nitin Gadkari pic.twitter.com/5DFIxkIZ0r
— IANS (@ians_india) April 14, 2025
આગામી ૧૫ દિવસમાં શરૂ થનાર સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ: મુસાફરી વધુ સરળ બનશે
ભારતના હાઇવેને વધુ ટેક્નોલોજીકલ અને પારદર્શક બનાવવાનો દોર ચાલી રહ્યો છે. આગામી ૧૫ દિવસમાં કેન્દ્ર સરકાર સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. આ નવી ટેક્નોલોજી FASTag પછીનો અગત્યનો પગથિયો માનવામાં આવી રહ્યો છે.
આ સિસ્ટમથી મુસાફરોને લાંબી લાઈનોમાંથી છૂટકારો મળશે, ટોલ બૂથ પર થતી વિલંબની પરિસ્થિતિ ઘટશે અને સંપૂર્ણ પ્રણાલી ઓટોમેટેડ બની જશે. વાહન જ્યાંથી પણ નેશનલ હાઈવે પર પ્રવેશ કરશે અને બહાર નીકળશે, ત્યાંના જીપીએસ આધારિત રૂટ પર આધાર રાખીને ટોલ રકમ સ્વચાલિત રીતે કાપી લેવામાં આવશે.
સૌથી વધુ આવકવાળા 14 ટોલ પ્લાઝા કરે છે વર્ષમાં 200 કરોડથી વધુ કમાણી
ભારતમાં હાલ 1063 ટોલ પ્લાઝા કાર્યરત છે, પણ આ પૈકી માત્ર 14 ટોલ પ્લાઝા એવા છે જે વર્ષે કુલ આશરે ₹200 કરોડની આવક આપે છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટોલ બૂથ દેશના વિવિધ રાજ્યોમાં આવેલાં છે, જોકે મંત્રાલયે તેમના નામ જાહેર કર્યા નથી.
આ 14 ટોલ પ્લાઝા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કની આવક માટે રીઢની હડી સમાન છે. તેઓ વાહન વ્યવહારની ઘનતા, વ્યાપારિક વાહનોની અવરજવર અને અસરકારક ટોલ સંચાલન દર્શાવે છે.