click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: તીર્થધામ વડતાલમાં ૭ થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમ ઉજવાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > તીર્થધામ વડતાલમાં ૭ થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમ ઉજવાશે
GujaratKheda

તીર્થધામ વડતાલમાં ૭ થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમ ઉજવાશે

ધાર્મિક કાર્યક્રમોમાં દેશ- વિદેશથી લાખો હરિભક્તો આ મહોત્સવનો લાભ લેશે

Last updated: 2024/10/23 at 3:11 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

વડતાલ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બરથી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ વિદેશના લાખો હરિભક્તો પ્રબોધિની સમૈયામાં ભાગ લેનાર છે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ર્ડા. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, તા. ૭ નવેમ્બર ગુરૂવારના રોજ સવારે ૮:૦૦ કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા કળશયાત્રા સવારે ૧૦:૩૦ કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. જ્યાં ર૦૦ ભુદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે ૧૧:૦૦ કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. સવારે ૧૧:૪૫ કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર ધ્વારા પૂજન કરવામાં આવશે.
તા.૮ નવેમ્બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે.
તા.૯ નવેમ્બરના રોજ સવારે ૫:૩૦ કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે.
બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ દરમ્યાન મહિલા મંચ યોજાશે.
સાંજે ૫:૦૦ કલાકે જપાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
તા.૧૦ નવેમ્બરના રોજ સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ સવારે ૮:૦૦ કલાકે મંદિર પરિસર ખાતે થશે.
તા.૧૧ નવેમ્બરના રોજ સાંજે ૪:૦૦ કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે ૫:૩૦ કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખેલ છે.
તા.૧૨ નવેમ્બરના રોજ સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા.
જ્યારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકુટ ભરવામાં આવશે.
બપોરે ૩:૩૦ થી ૭:૩૦ કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે.
સાંજે ૪:૦૦ કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી ભવ્યા તિ ભવ્ય જળયાત્રા નીકળશે. જે ફક્ત યજમાનો માટે છે.
સાંજેના ૪:૦૦ કલાકે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
તા.૧૩ નવેમ્બરના રોજ સવારે ૬:૦૦ કલાકે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે. સવારે ૧૦:૩૦ કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે.
સવારે ૧૦:૦૦ કલાકે વડતાલ મંદિરમાં અન્નકુટ દર્શન, સાંજે ૫:૩૦ કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે.
તા.૧૪ નવેમ્બરના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યા તિ ભવ્ય રીતે ઉજવાશે.
તા.૧૫ નવેમ્બરના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. અને સાંજે ૬:૦૦ કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.
દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તા.૭ થી ૧૫ નવેમ્બર દરમ્યાન પૂ.જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ) અને પૂ.નિત્યસ્વરૂપદાસજી (સરધારધામ) તરફથી શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે મહોત્સવના અન્ય આકર્ષણો.
મહોત્સવના મુખ્ય આકર્ષણો :-
૧. આધુનિક ટેન્ટસીટી :- દેશ-વિદેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા આવેલ દર્શનાર્થીઓ ને રહેવા માટે અતિ આધુનિક સુવિધા સાથેના ૨૫ હજાર થી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એ.સી. સુવિધા પણ રાખવામાં આવેલ છે.
૨. પ્રદર્શન :- દ્વિશતાબ્દી મહોત્સવ સંપાદિત કરેલ ૮૦૦ વીઘા જમીન પર ઉજવાનાર છે. જેમાં ૨૫ વીઘા જમીન પર વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શન તા. ૨૪ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર દરમ્યાન યોજાનાર છે. જેના સમય બપોરે ૧૨:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધીનો રાખવામાં આવે છે. વિશાળ પ્રદર્શનનું પ્રવેશદ્વાર ૧૦૦ ફૂટ લાંબુ અને ૩૫ ફૂટ ઉંચુ છે. ઉપરાંત જીવંત કલાકરો ધ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરીમાં ૧૯૦ ફૂટ લાંબુ શ્રી ઘનશ્યામ ચરિત્ર અને ૧૧૪ ફૂટ લાંબુ રામાયણ ચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલ છે.
ઉપરાંત રંગ બે રંગી ફુવારાઓ ભક્તોના મનમોહી લેશે. પ્રદર્શન સ્થળે ૬૮૫ સ્વયં સેવકો વ્યવસ્થા જાળવશે. બંગાળના ૭૫ કારીગરો અને સ્વયં સેવકો છેલ્લા ૩ માસથી પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હતા.
૩. યજ્ઞશાળા :- ૧૫ વીઘાથી વધુ વિશાળ જગ્યામાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં ૧૦૮ કુંડી વિષ્ણુયાગ યોજાનાર છે. આ વિષ્ણુયાગમાં ૩૫૦૦ વધુ દંપતિઓ બેસી શકશે.
૪. ભવ્ય ભોજનશાળા :- ૬૨ હજાર ૫૦૦ ચો.ફૂટ જમીન પર ભવ્ય ભોજનશાળા બાંધવામાં આવેલ છે. જેમાં વી.આઈ.પી., વી.વી.આઈ.પી. તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
૫. શુધ્ધ પાણી માટે બે આર.ઓ. પ્લાન્ટ કાર્યરત :- મહોત્સવમાં પધારનાર દરેક હરિભક્તોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે બે આર.ઓ.પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જેથી દરેકને ઠંડુ અને શુધ્ધ પાણી પુરૂ પાડવામાં આવશે.
૬. વિશાળ સભા મંડપ : હરિભક્તો શાંતિથી કથા શ્રવણ કરી શકે તે માટે ૨.૧૦ લાખ ચો.ફૂટનો વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવેલ છે. જેની પીઠીકા ૩૦ હજાર ચો.ફૂટની રાખવામાં આવેલ છે. આ સભામંડપમાં ૨૫ હજારથી વધુ હરિભક્તો બેસી કથા શ્રવણ કરશે.

 

 

રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )

You Might Also Like

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..

ગુજરાત પોલીસની ટેક્નોલોજી સાથેની નવી ઉડાન,તેરા તુજકો અર્પણ અને આઇ-પ્રગતિ પોર્ટલ લોંચ

બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ

શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો

TAGGED: Kapadwanj, Kapadwanj collector, Kapadwanj news, Kapadwanj Police, oneindia, oneindianewsgujarat, Pilgrimage Vadtal, Shree Lakshminarayan Dev, Sri Swaminarayan Sect, topnews, topnewschannelinindia, તીર્થધામ વડતાલ, વડતાલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 23, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદી અને જિનપિંગ વચ્ચે આજે થશે દ્વિપક્ષીય વાતચીત, કઝાન પર રહેશે દુનિયાની નજર
Next Article Paytm માટે આવ્યા સારા સમાચાર, NPCI એ આપી આ મંજૂરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..
Banaskantha Gujarat મે 14, 2025
ગુજરાત પોલીસની ટેક્નોલોજી સાથેની નવી ઉડાન,તેરા તુજકો અર્પણ અને આઇ-પ્રગતિ પોર્ટલ લોંચ
Gujarat મે 14, 2025
બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat મે 14, 2025
કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ
Gujarat Kheda મે 14, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?