ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પોતાની ઐતિહાસિક યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી હવે પૃથ્વી પર પરત આવવાના માર્ગે છે. તેઓ અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસા અને ખાનગી કંપની SpaceXના સહયોગથી અપોલો મિશનની આધુનિક અવકાશ યાત્રા Ax-4નો ભાગ બન્યા હતા. આ મિશન 26 જૂન 2025ના રોજ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસXના Crew Dragon યાન મારફતે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં શુભાંશુ શુક્લા ઉપરાંત ભૂતપૂર્વ નાસા એસ્ટ્રોનોટ પેગી વ્હિટસન (કમાન્ડર), પોલેન્ડના સાવોસ ઉઝનાન્સ્કી અને હંગેરીના તિબોર કપૂ પણ સામેલ હતા.
શુભાંશુ શુક્લાએ ISS પર 18 દિવસ વિતાવ્યા, જ્યાં તેમણે અને તેમની ટીમે પૃથ્વીની 250થી વધુ પરિક્રમાઓ કરતાં લગભગ 6 મિલિયન માઇલનું અંતર કાપ્યું. આ દરમિયાન, તેમણે 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા – જેમાં માઇક્રોએલ્ગી (સૂક્ષ્મ શૈવાલ) પર સંશોધન, નવી સેન્ટ્રીફ્યૂગેશન ટેકનિક અને અવકાશમાં માનવીય શરીર પર પડતાં ગુરુત્વાકર્ષણરહિત માહોલના અસરકારક અભ્યાસનો સમાવેશ થાય છે.
Ax-4 Mission | Undocking https://t.co/9GBaHvpaAa
— Axiom Space (@Axiom_Space) July 14, 2025
આ યાત્રા દરમિયાન ભારત માટે ખાસ ક્ષણ ત્યારે સર્જાઈ, જ્યારે 13 જુલાઈએ, પૃથ્વી પર પરત આવતાં પહેલા શુભાંશુ શુક્લાએ ISS પરથી ભારત માટે સંદેશ આપ્યો: “આજ કા ભારત, સાપે જહાં સે અચ્છા દિખતા હૈ.” આ અવિસ્મરણીયFarewell Ceremony ભારતીય સમયાનુસાર સાંજે 7:25 વાગ્યે લાઈવ પ્રસારિત થયું હતું, જેમાં Ax-4 મિશન સાથે સાથે NASAની Expedition 7E ટીમના સભ્યોએ પણ હાજરી આપી હતી.
આજે 14 જુલાઈએ, શુભાંશુ શુક્લાની ટીમ ISSથી અલગ થઈ ગઈ છે અને હવે તેઓ આવતીકાલે 15 જુલાઈ 2025ના રોજ મધ્યાહ્ને અંદાજિત ત્રણ વાગ્યે કેલિફોર્નિયા નજીક સમુદ્રમાં સ્પ્લેશડાઉન કરશે. Dragon સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર પાછું આવતી વખતે પ્રથમ એન્જિનો દગડાવશે જેથી ISSના ઓર્બિટમાંથી દૂર જઈ શકે, ત્યારબાદ સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. આ સમયે તેની બાહ્ય સપાટીએ તાપમાન લગભગ 1,600 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. નીચે આવતી વખતે, પહેલા 5.7 કિમી ઊંચાઈએ સ્ટેબિલાઈઝિંગ પેરાશૂટ ખુલશે અને પછી 2 કિમી ઊંચાઈએ મુખ્ય પેરાશૂટ ખૂલે તેમ અવકાશયાનને સમુદ્રમાં ધીમે ધીમે ઉતારવામાં આવશે.
Dragon is GO to undock from the @Space_Station pic.twitter.com/MBSlD8HgFE
— SpaceX (@SpaceX) July 14, 2025
પૃથ્વી પર આવ્યા બાદ, ISROના જણાવ્યા પ્રમાણે, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને 7 દિવસના રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થવામાં આવશે, જેથી તેઓ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણની પરિસ્થિતિમાં ફરીથી સ્વસ્થ થઈ શકે અને શારીરિક રીતે સંતુલિત થઈ શકે. આ યાત્રા સાથે તેમણે ભારતીય અંતરિક્ષ ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે – કારણ કે शुभાંશુ શુક્લા ISS પર પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા છે, જેમણે વૈજ્ઞાનિક અને રાષ્ટ્રિય સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું.