click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લાખણકામાં છ સદી જૂનું મહાદેવજીનું મંદિર, પાંડવકાળથી છે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લાખણકામાં છ સદી જૂનું મહાદેવજીનું મંદિર, પાંડવકાળથી છે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ
Gujarat

લાખણકામાં છ સદી જૂનું મહાદેવજીનું મંદિર, પાંડવકાળથી છે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં 9 હજારની વસ્તી ધરાવતા લાખણકા ગામે પવિત્ર ઘેલો નદીના કિનારે 600 વર્ષ કરતાં વધારે પૌરાણિક ભીડભંજન મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે.

Last updated: 2025/05/26 at 10:51 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવજીનું આ મંદિર પાંડવકાળ સમયનું છે. ભીડમાં આવેલા ભક્તો મહાદેવના ચરણે આવી શીશ નમાવી પ્રાર્થના કરે એટલે મહાદેવ તેની ભીડ દુર કરે છે અને એટલે જ ભીડભંજન મહાદેવ તરીકે આ મંદિર પ્રચલિત છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ૯ હજારની વસ્તી ધરાવતા લાખણકા ગામે પવિત્ર ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ કરતાં વધારે પૌરાણિક ભીડભંજન મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવના મંદિરે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. ભાવિકો વહેલી સવારે મહાદેવને બિલીપત્ર, ફૂલ અને દૂધનો અભિષેક કરીને પોતાના ધંધા રોજગાર પર જાય છે.

Contents
ગઢડાના લાખણકા ગામે ભીડભંજન મહાદેવ બિરાજમાનઘેલો નદી કિનારે 600 વર્ષ જૂનું મહાદેવજીનું મંદિરરાજા રજવાડાના સમયમાં અહિં પૂજન અર્ચન કરવામાં આવતા

ગઢડાના લાખણકા ગામે ભીડભંજન મહાદેવ બિરાજમાન

ઘેલો નદીના કિનારે રમણીય વાતાવરણમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે. લોકવાયકા પ્રમાણે આ વિસ્તાર મહાભારત સમયમાં હિડમ્બા વન હતો. પાંડવો પોતાના વનવાસ દરમિયાન અનેક સ્થળોએ ફરતા ફરતા આ વિસ્તારમાં આવ્યા ત્યારે બપોરે ભોજન કરવાના સમયે શિવલિંગ શોધતા હતા ત્યારે આજ સ્થળે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયુ હતું. અર્જુન, ભીમ, નકુલ, સહદેવ સહિત પાંચેય પાંડવો અને માતા કુંતાએ મહાદેવની પૂજા અર્ચના કરીને ભોજન લીધું હતું તે સમયથી સ્વયંભૂ શિવલિંગ અહિં હોવાની લોકવાયકા છે. બીજી એક લોકવાયકા મુજબ રાજા રજવાડાના સમયમાં અહિં શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવતી હતી તે સમયે મહારાજાએ મંદિર બનાવ્યું હતું અને જે ભક્તો ભીડમાં આવે અને મહાદેવના ચરણોમાં આવી પ્રાર્થના કરે એટલે મહાદેવ તેની તમામ ભીડ દુર કરતા એટલે ભીડભંજન મહાદેવ તરીકે પ્રચલિત થયા હતા. સમય જતાં ગામ લોકોએ નવું મંદિર બનાવીને જીર્ણોદ્ધાર કરી નું ભવ્ય મંદિર બનાવ્યું છે. અને આજે ભીડભંજન મહાદેવ મંદિર આ પંથકનુ આસ્થાનું કેન્દ્ર છે.

ઘેલો નદી કિનારે 600 વર્ષ જૂનું મહાદેવજીનું મંદિર

પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરે મહાદેવજીની પૂજા અર્ચના કરતા પૂજારીના વડવાઓ મહાદેવજીની પૂજા અર્ચના કરતા આવ્યા છે અને તે પરંપરા હાલમાં યથાવત છે. ભીડભંજન મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે લાખણકા ગામના તમામ સમાજના લોકોએ સ્વયં યોગ્ય દાન ભેટ આપીને ભવ્ય મંદિર બનાવવા સહયોગ કર્યો છે. મહાદેવજીના મંદિરે દરરોજ ત્રણ વાર આરતી અને અભિષેક કરવામાં આવે છે. દર વર્ષે ભવ્ય પાટોત્સવની ઉજવણીમાં લાખણકા ગામના તમામ સમાજના લોકો અને આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. ઘેલો નદીના કાંઠે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા ભીડભંજન મહાદેવના મંદિરે લાખણકા અને આસપાસના ગામના શિવભક્તો નિત્ય સવારે મંદિરે આવી મહાદેવને બીલીપત્ર, ફૂલો અને દૂધનો અભિષેક કરી આરતીના દર્શનનો લાભ લઈ પોતાના ધંધા રોજગાર પર જાય છે. મંદિરે શિવરાત્રીના દિવસે ભજન ધૂન કરી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો શ્રાવણ માસ દરમ્યાન ભગવાન ભોળાનાથને અલગ અલગ શૃંગાર કરાય છે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવપૂરાણ કથાનું આયોજન, સવારથી સાંજ વિશેષ આરતી અને 108 દિપમાલા કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોનો સવારથી મેળાવડો થાય છે અને ભવ્ય લોકમેળો જામે છે.

રાજા રજવાડાના સમયમાં અહિં પૂજન અર્ચન કરવામાં આવતા

600થી વધુ વર્ષો જુના ઐતિહાસિક ભીડભંજન મહાદેવના મંદિરે અનેક લોકોને મહાદેવજીનો સાક્ષાત્કાર થયો છે. જે ભાવિક સાચી શ્રદ્ધાથી ભોળાનાથને શીશ ઝુકાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે તેમની પ્રાર્થના સાંભળી ભોળાનાથ તમામ મનોકામના પૂર્ણ કરે છે. ઘણા નિસંતાન લોકોના ઘરે ભોળાનાથના આશીર્વાદથી પારણા બંધાયા છે. ભીડભંજન મહાદેવ મંદિરમાં બે શિવલિંગ આવેલા છે. એક સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ છે અને મહાદેવજીના આશીર્વાદથી મનોકામના પૂર્ણ થયેલા ભાવિકે મુખ્ય શિવલિંગની બીજા શિવલિંગની સ્થાપના કરેલી છે. ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન અનેક ધાર્મિક કાર્યક્રમોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. દાદાને વિશેષ શણગાર, મહાઆરતી, ભજન, ધૂન અને ગામની બહેનો અખંડ ધૂન કરી મંદિરના વાતાવરણને ભક્તિમય બનાવે છે પવિત્ર ઘેલો નદીના કાંઠે આવેલું પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિર લાખણકા ગામ અને આસપાસના વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર છે. ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન મહાઆરતી, 108 દિવડાઓ ની દિપમાલા, શિવ મહાપુરાણ, મહા પ્રસાદ સહિતનાં વિવિધ ધાર્મિકઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.અહિ મંદિરમાં બે શિવલીગ આવેલા છે. ત્યારે ભીડભંજન મહાદેવ મંદિર હજ્જારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

You Might Also Like

હવે બસ પણ ઉડશે, દેહરાદૂનમાં ‘એર બસ’ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો અનોખા પ્લાન વિશે…

ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે

મોટો ઝટકો! Amazon પર સામાન ખરીદવો થશે મોંઘો, હવે દરેક ઓર્ડર પર આપવો પડશે આ એકસ્ટ્રા ચાર્જ

RCBએ વિકટ્રી પરેડમાં મૃત્યુ પામેલા ફેન્સ માટે વળતરની જાહેરાત કરી, પીડિતોને આ રીતે કરશે મદદ

TAGGED: Bhidbhanjan Mahadevji, Bhidbhanjan Mahadevji Temple, Botad District, Breaking news, Dev Darshan, gujarti news, oneindianews, topnews, ભીડભંજન મહાદેવ, શિવલિંગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ
Next Article શ્રી કષ્ટભંજન દેવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

હવે બસ પણ ઉડશે, દેહરાદૂનમાં ‘એર બસ’ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો અનોખા પ્લાન વિશે…
Gujarat જૂન 5, 2025
ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા
Bhavnagar Gujarat જૂન 5, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનનાં ૧૧ વર્ષની સંકલ્પ સિધ્ધિની વાત જન જન સુધી પહોંચશે
Bhavnagar Gujarat જૂન 5, 2025
મોટો ઝટકો! Amazon પર સામાન ખરીદવો થશે મોંઘો, હવે દરેક ઓર્ડર પર આપવો પડશે આ એકસ્ટ્રા ચાર્જ
Gujarat જૂન 5, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?