click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Gujarat

બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

'ભારત કુમાર' ના નામથી મશહૂર થયેલા અભિનેતા મનોજ કુમારનું આજે 87 વર્ષે નિધન થયું છે.

Last updated: 2025/04/04 at 11:24 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક પદ્મશ્રીમનોજ કુમારનું આજે શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓએ 87 વર્ષની ઉંમરે આજે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ તેમની દેશભક્તિ વાળી ફિલ્મો માટે જાણીતા હતા. દેશભક્તિ પર આધારિત ફિલ્મો માટે તેમને ‘ભરત કુમાર’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Contents
સાચું નામ હરિ કિશન ગિરી ગોસ્વામીહરિકિશન બન્યા મનોજકુમારસિનેમામાં પ્રવેશજ્યારે શાસ્ત્રીજીના કહેવા પર બનાવી ફિલ્મકટોકટી પર ડોક્યુમેન્ટરી બનાવવા કર્યો ઇનકાર

#WATCH | Indian actor and film director Manoj Kumar, particularly known for his patriotic films, passes away at the age of 87 in Mumbai

Glimpses from the life of Manoj Kumar including the 63rd National Films Awards, where he received the 47th Dadasaheb Phalke Award from… pic.twitter.com/CA0DPVoWIl

— ANI (@ANI) April 4, 2025

તેમના નિધનના સમાચાર સાંભળતા જ બોલીવુડ જગતે પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી હતી. મનોજ કુમારના નિધન પર ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું, ‘… મહાન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા, આપણા પ્રેરણા અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ‘સિંહ’, મનોજ કુમારજી હવે આપણી વચ્ચે નથી. આ ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે અને સમગ્ર ઉદ્યોગ તેમની ખોટ અનુભવશે.

#WATCH | Mumbai | On the demise of Indian actor and film director Manoj Kumar, Filmmaker Ashoke Pandit says, "…The legendary Dadasaheb Phalke award winner, our inspiration and the 'lion' of the Indian film industry, Manoj Kumar Ji is no more…It is a great loss to the industry… pic.twitter.com/vWL7FRI44D

— ANI (@ANI) April 4, 2025

સાચું નામ હરિ કિશન ગિરી ગોસ્વામી

હિન્દી સિનેમામાં ઘણા એવા કલાકારો છે જેમણે આ ગ્લેમરસ દુનિયામાં પ્રવેશતાની સાથે જ પોતાના નામ બદલી નાખ્યા. તેમના ચાહકો તેમને આજ સુધી તે નવા નામથી ઓળખે છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર પણ તેમાંથી એક હતા જેમણે સિનેમાથી પ્રભાવિત થઈને પોતાનું નામ બદલ્યું. પરંતુ તેમણે કરેલી દેશભક્તિ આધારિત ફિલ્મો પરથી તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભારત કુમાર’ કહેતા. મનોજ કુમારનું સાચું નામ હરિકિશન ગિરી ગોસ્વામી હતું. તેમણે ઘણી શાનદાર દેશભક્તિ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા.

હરિકિશન બન્યા મનોજકુમાર

હરિકિશન ગિરિ ગોસ્વામી (મનોજ કુમાર)નો જન્મ 24 જુલાઈ 1937ના રોજ એબોટાબાદમાં થયો હતો. જે ભાગલા પછી પાકિસ્તાનનો ભાગ બન્યો. મનોજ કુમારના માતા-પિતાએ તે દિવસોમાં ભારત પસંદ કર્યું અને દિલ્હી આવ્યા. તેમને બાળપણથી જ અભિનયનો ખૂબ શોખ હતો. તે અશોક કુમાર, દિલીપ કુમાર અને કામિની કૌશલના મોટા ચાહક હતા. તેમને તેમની દરેક ફિલ્મ જોવાનું ખૂબ ગમતું હતું અને તેમની ફિલ્મોથી પ્રભાવિત થઈને તેમણે પોતાનું નામ હરિકિશનથી બદલીને મનોજ કુમાર રાખ્યું. તે દરેક જગ્યાએ પોતાનું નામ મનોજ કુમાર કહેતા અને આમ તેઓ હરિ કિશનમાંથી મનોજ કુમાર થયા.

સિનેમામાં પ્રવેશ

મનોજ કુમાર કોલેજના દિવસોમાં ખૂબ જ સુંદર દેખાતા હતા અને આ કારણે જ તેઓ કોલેજમાં થિયેટરમાં જોડાયા અને પછી એક દિવસ તેમણે દિલ્હીથી મુંબઈનો રસ્તો પસંદ કર્યો. તેમણે 1957 માં આવેલી ફિલ્મ ‘ફેશન’ થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમની ફિલ્મ ‘કચ્છી કી ગુડિયા’ 1960 માં રિલીઝ થઈ. આ ફિલ્મમાં તેઓ મુખ્ય અભિનેતા તરીકે દેખાયા. જે સફળ રહી. મનોજ કુમારે ‘ઉપકાર’, ‘પત્થર કે સનમ’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘સન્યાસી’ અને ‘ક્રાંતિ’ જેવી અદ્ભુત ફિલ્મો આપી. મોટાભાગની ફિલ્મોમાં મનોજ કુમારનું નામ ‘ભારત કુમાર’ હતું અને આ કારણે તેઓ તેમના ચાહકોમાં ‘ભારત કુમાર’ તરીકે પ્રખ્યાત થયા.

જ્યારે શાસ્ત્રીજીના કહેવા પર બનાવી ફિલ્મ

મનોજ કુમારના કલાકારો તેમજ રાજકારણીઓ સાથે સારા સંબંધો હતા. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધ પછી મનોજ કુમાર લાલ બહાદુર શાસ્ત્રીને મળ્યા જેમાં તેમણે અભિનેતાને યુદ્ધને કારણે થતી મુશ્કેલીઓ પર ફિલ્મ બનાવવા કહ્યું હતું. જોકે, તે દિવસો સુધી અભિનેતાને ફિલ્મ નિર્માણનો કોઈ અનુભવ નહોતો.આમ છતાં અભિનેતાએ ‘જય જવાન જય કિસાન’ સંબંધિત ફિલ્મ ‘ઉપકાર’ બનાવી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. જોકે લાલ બહાદુર શાસ્ત્રી પોતે આ ફિલ્મ જોઈ શક્યા નહીં. લાલ બહાદુર શાસ્ત્રી તાશ્કંદથી પાછા ફર્યા બાદ આ ફિલ્મ જોવાના હતા પરંતુ તે પાછા ફર્યા જ નહીં.

કટોકટી પર ડોક્યુમેન્ટરી બનાવવા કર્યો ઇનકાર

એવું કહેવાય છે કે મનોજ કુમારને કટોકટી પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દિગ્દર્શિત કરવાની ઓફર કરવામાં આવી હતી. આ વાર્તા અમૃતા પ્રીતમે લખી હતી. પરંતુ તેણે આ કામ કરવાની પણ ના પાડી. જો કે આટલેથી આ વાત અટકી નહીં તેમણે તો ડિરેકટશન માટે ના પાડી જ પરંતુ લેખિકા અમૃતા પ્રીતમને પણ કહ્યું કે શું તેમણે લેખક તરીકે સમાધાન કરી લીધું છે? અને અમૃતા પ્રીતમને આ વાતનું લાગી આવતા તેમણે પણ સ્ક્રિપ્ટ ફાડીને ફેંકી દીધી.

You Might Also Like

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?

‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.

BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી

ગોલ્ડન બોય નીરજ ચોપરાને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, હવે સંભાળશે આ જવાબદારી”

TAGGED: Entertainment, gujarti news, Indian actor, Manoj Kumar, oneindia, oneindianews, topnews, topnewschannelinindia, Veteran Bollywood actor, બોલિવૂડ, મનોજ કુમાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાનું ધામ, આદ્યશક્તિ સ્વરૂપે કરી હતી સૃષ્ટિની ઉત્પતિ
Next Article મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કેમ ખાસ છે બલુચિસ્તાનનું હિંગળાજ માતા મંદિર?
Gujarat મે 15, 2025
‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
Gujarat મે 15, 2025
ચિત્રકૂટ ખાતે ભૂમિ વિહોણા ખેત મજુરોની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે અખિલ ભારતીય સેમીનારનું આયોજન થયું હતું.
Gujarat મે 15, 2025
BCCIએ IPL 2025ના નિયમોમાં કર્યો ફેરફાર, ખેલાડીઓના રિપ્લેસમેન્ટની આપી મંજૂરી
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?