click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
Gujarat

જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો

Last updated: 2025/04/16 at 11:31 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારતના ઓડિશાના પૂરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર દેશ વિદેશમાં ખૂબ જાણીતું મંદિર છે. હિન્દુઓ માટેનું આ એક મોટું યાત્રાધામ છે. આ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે. ભારતના ચાર ધામ તીર્થ સ્થળોમાંના એક એવા આ મંદિરનનું બાંધકામ 12મી સદીમાં ગંગા વંશના રાજા અનંતવર્મન ચોડગંગા દેવે શરૂ કર્યું હતું અને 13 મી સદીમાં અનંગભિમ દેવા ત્રીજા દ્વારા પૂર્ણ થયું હતું. મંદિરના ગર્ભગૃહમાં  ભગવાનજગન્નાથ,બલભદ્ર અને સુભદ્રાની લાકડાની મૂર્તિઓ સ્થાપિત છે.

Contents
મંદિરના રહસ્યપુરીની રથયાત્રામાં ઉભરાય છે માનવ મહેરામણધજા બદલવાનું ધાર્મિક મહત્વધજાનો પ્રતીકાત્મક અર્થધજા બદલવાની પ્રક્રિયા

દર 8,12 કે 19 વર્ષે આ મૂર્તિઓને નવી મૂર્તિઓથી બદલવામાં આવે છે જેને નાબાકલેબારા કહેવાય છે. આ મંદિર કલિંગ સ્થાપત્યનું ખૂબ જ સુંદર ઉદાહરણ છે. જેમાં વક્ર શિખરો અને જટિલ કોતરણી છે. મંદિર સંકુલ એક મોટી સીમા દિવાલથી ઘેરાયેલું છે જેમાં ચાર મુખ્ય દરવાજા છે – સિંહદ્વાર, હસ્તીદ્વાર, અશ્વદ્વાર અને વ્યાઘ્રદ્વાર.

મંદિરના રહસ્ય

આ મંદિર તેના બાંધકામની દ્રષ્ટિએ ખૂબ અનોખુ છે. તો સાથે આ મંદિર સાથે જોડાયેલા અમુક રહસ્યો આજે પણ વણઉકેલ્યા છે. આજે પણ મૂર્તિઓ જ્યારે બદલવામાં આવે છે ત્યારે પૂજારીની આંખે પાટા બાંધવાથી લઈને આખા ગામમાં વીજળી બંધ કરવામાં આવે છે. તો મંદિર દરિયાકિનારે સ્થિત હોવા છતાં ગર્ભ ગૃહમાં તેનો અવાજ આવતો નથી કે પછી દિવસના કોઈપણ સમયે મંદિરનો પડછાયો પડતો નથી. આવા અનેક રહસ્યોથી ભરેલા આ મંદિરમાં તાજેતરમાં જ એક ઘટના બની હતી જ્યાં એક ગરુડ ધજા લઈને ઊડતો નજર આવ્યો હતો. ત્યારે ચાલો જાણીએ કે મંદિરની ધજા બદલવાનું શું મહત્ત્વ છે.

પુરીની રથયાત્રામાં ઉભરાય છે માનવ મહેરામણ

જગન્નાથ પુરી મંદિર હિન્દુ ભક્તો માટે એક મુખ્ય તીર્થસ્થળ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ ‘જગતના સ્વામી’ છે. દર વર્ષે અહીં યોજાતી રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેમાં કૃષ્ણ તેમના ભઇ બલરામ અને બહેન સુભદ્રાને વિશાળ રથમાં બેસાડીને ગુંડીચા મંદિરમાં લઈ જવામાં આવે છે. મંદિરમાં તૈયાર કરાયેલા મહાપ્રસાદનું વિશેષ મહત્વ છે. જે હજારો ભક્તોમાં વહેંચવામાં આવે છે. આ મંદિરના રસોડાને વિશ્વના સૌથી મોટા મંદિરના રસોડામાંનું એક માનવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે – જેમ કે કે મંદિરની ટોચ પર ફરકાવવામાં આવેલી ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી રહે છે. તેથી જગન્નાથ પુરી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પણ પ્રતીક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર સ્થળની મુલાકાત લેવા આવે છે.

ધજા બદલવાનું ધાર્મિક મહત્વ

જગન્નાથ પુરી મંદિરમાં દરરોજ ધજા બદલવાની પરંપરાનું ઊંડું ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ પરંપરા લગભગ 800 વર્ષથી ચાલી આવી છે અને તેની સાથે ઘણી માન્યતાઓ અને રહસ્યો જોડાયેલા છે. જગન્નાથ મંદિરની ટોચ પર સ્થિત 20 ફૂટ લાંબી ત્રિકોણાકાર ધજા દરરોજ બદલવામાં આવે છે. આ કામ ‘ચોલા’ પરિવાર દ્વારા કરવામાં આવે છે. જેઓ પેઢીઓથી આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. એવું કહેવાય છે કે એકવાર ભગવાન જગન્નાથ એક ભક્તના સ્વપ્નમાં આવ્યા અને તેમને કહ્યું કે તેમની ધજા જૂની અને ફાટી ગયેલી છે. બીજા દિવસે જ્યારે મંદિરના પૂજારીઓએ જોયું ત્યારે ધજા ખરેખર એ જ હતી. ત્યારથી આ પરંપરા શરૂ થઈ કે દરરોજ એક નવી ધજા ફરકાવવામાં આવશે. તેથી આ કાર્ય દરરોજ ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવે છે.

ધજાનો પ્રતીકાત્મક અર્થ

આ ધજા ભગવાન જગન્નાથની હાજરી અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ ધજા સમુદ્રમાંથી ફૂંકાતા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. જે પોતે જ એક રહસ્ય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી એવું માનવામાં આવે છે કે તે હવાની અસરને કારણે છે જ્યાં મંદિરની રચનાને કારણે પવનની દિશા બદલાય છે.

ધજા બદલવાની પ્રક્રિયા

ધજા બદલવાની પ્રક્રિયા અત્યંત સાહસિક અને કુશળ છે. સેવાદારો કોઈપણ સુરક્ષા વિના મંદિરના 214 ફૂટ ઊંચા શિખર પર ચઢે છે અને જૂની ધજા ઉતારીને નવી ધજા ચઢાવે છે. આ કામ દરરોજ કરવામાં આવે છે. ધજા બદલવાની આ પરંપરા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નથી પરંતુ તે ભગવાન જગન્નાથ પ્રત્યે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું પણ પ્રતીક છે. આ પરંપરા મંદિરની દિવ્યતા અને તેની શાશ્વતતા દર્શાવે છે.

You Might Also Like

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

TAGGED: Flag change process, gujarti news, Jagannath Flag, Jagannath Puri Temple, Jagannath temple, odhisha, oneindianews, religion, religious faith, topnewschannelinindia, ઓડિશા, જગન્નાથ પુરી મંદિર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પ્રભુ શ્રીરામે વનવાસ દરમિયાન અહીં કર્યો વસવાટ, ગુજરાતના રામેશ્વર મંદિરનો છે રોચક ઈતિહાસ
Next Article આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Gujarat મે 9, 2025
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
Gujarat મે 9, 2025
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?