click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
Gujarat

વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ભારતના સંવિધાનમાં દર્શાવેલ ફરજો અને હકો તમામ નાગરિકોને મળે તે સુનિશ્ચિત કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં થઇ રહ્યુ છે. -કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોર

Last updated: 2023/12/13 at 6:45 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે તાપી જિલ્લામાં આજરોજ વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે ભારત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષ સ્થાને તથા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ,ધારાસભ્ય મોહનભાઇ કોંકણી અને માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાણીઆંબા ગામે અધ્યક્ષસ્થાનેથી કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, વિકસિત ભારતની પરિકલ્પના વડાપ્રધાનના મનમા વર્ષો પહેલાથી હતી. તેમણે શહેરી અને ગ્રામિણ આવાસ યોજના અંતર્ગત દેશના તમામ નાગરિકોને પોતાનું પાકુ ઘર મળે તેવું આયોજન કર્યૂ છે. 2024 સુધી તમામને આવાસ મળે, તે ઘરમાં જમવાનું બનાવવા ઉજ્જ્વલા યોજના, ઘરના સભ્યો માટે રોજગારી, ઘરની મહિલાઓ માટે સ્ટાર્ટ અપ યોજના દ્વારા આત્મનિર્ભર બનાવવા 10 લાખથી લઇ 1 કરોડ સુધીની યોજના લાગુ કરી, આમ સમગ્ર પરિવારને આર્થિક, સામાજિક રીતે સશક્ત થાય તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે.

સમગ્ર દેશમાં દરેક ઘરમાં વિજળી હોય, દરેક ઘરમાં નળથી જળ આવતુ હોય, ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા કિશાન સન્માનનિધિ યોજના, દરેકના આરોગ્યની દરકાર કરવા આયુષ્માન ભારત કાર્ડ, દરેક ઘરમાં શૌચાલય હોય આ તમામ કામો આયોજન બધ્ધ વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનએ જોયેલા ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા આ તમામ યોજનાઓ આયોજન બધ્ધ રીતે લાગુ કરી છે. તેમણે નિર્ધાર કર્યો કે આત્મનિર્ભર ભારત હશે તો જ વિકસિત ભારત બનશે. અને આત્મનિર્ભર ભારત બનાવવા નાગરિકોને સશક્ત અને કૌશલ્યવાન બનાવવું જરૂરી છે એમ જણાવી આ તમામ યોજનાઓ લાગુ કરી છે જેનો લાભ લેવા તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો.

મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ જી-20ની અધ્યક્ષતા, કોરોનકાળમાં નિ:શુલ્ક અનાજ, લખપતી દીદી, ડ્રોન દીદી જેવી વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કર્યા હતા. તેમણે અંતે વર્તમાન સરકાર છેવાડાના માનવી સુધી લાભો પહોચાડવા કટીબધ્ધ છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ છેવાડાના માનવી સુધી પહોચવાનું એક માધ્યમ છે એમ ઉમેયું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન આદિવાસી અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં સતત કાર્યરત છે. તેમણે ‘મોદી છે તો ગેરંટીની પણ ગેરેંટી છે’ એમ કહી વિકસિત ભારતના રથ થકી 22 જેટલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

વર્તમાન સરકારે વ્યારા સુગર ફેક્ટરીને 30 કરોડની માતબાર રકમ ફાળવી તાપી જિલ્લાને વિકાસની ધારામા લાવવાનું પ્રસંશનિય કામ કર્યું છે. એમ જણાવી મંત્રીએ આયુષ્માન ભારત કાર્ડ, કિશાન સન્માન નિધી જેવી વિવિધ યોજનાઓ અને આદિવાસીઓ માટે બજેટમાં માતબાર રકમ વર્તમાન સરકારે ફાળવી છે એમ જણાવ્યું હતું.

આ યાત્રાના માધ્યમથી દરેક પ્રકારની યોજનાઓ અંગેની જાણકારી ગામના દરેક વ્યક્તિને મળી રહે તેવું સુદ્રઢ આયોજન કરવા તાપી જિલ્લા તંત્રની કામગીરીને સરાહના કરી હતી.

સખી મંડળની બહેનો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ તથા “વસુધૈવ કુટુંબકમ” થીમ ઉપર પ્રાકૃતિક ખેતી અપનાવવા નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું. આ ઉપરાંત વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. મંત્રીના હસ્તે આંગણવાડી બહેનોને તાલુકા કક્ષાના માતા યશોદા એવોર્ડ એનાયત કરાયા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, ડીસીએફ પુનિત નૈયર, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખઓ, વિવિધ સમિતિઓના સદસ્યો, વિવિધ ગામના સરપંચ, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

 

રિપોર્ટર :- વિકાસ શાહ

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Ayushman Bharat Card, bharat sankalp yatra, currentnews, DCF Punit Naiyya, Develop India Sankalp Yatra, District Development Officer VN Shah, Dr. Vipin Garg, enterniment, Housing Kaushal Kishore, Kishan Samman, localnews, localnewsgujarat, localnewsingujarati, localnewsinindia, Minister of State for Tribal Development Kunwarjibhai Halapati, oneindia, oneindiagujrat, oneindianews, oneindianewsahmedabad, Politics, Raniamba of Vyara taluk, Raniyamba village, topnews, topnewschannel, topnewschannelinhindi, topnewschannelinindia, Tribal Development, Union Minister, Urban Development, Vasudhaiva Kutumpakam, Vyara taluka

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 13, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો
Next Article એપિક ગેમ્સ કેસનો નિર્ણય Google માટે શા માટે મોટો ફટકો?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?