click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદમાં ખોડીયાર માતાજીનું મંદિર, જંગલમાં બાળકી સ્વરૂપે પ્રગટ થઈ પૂર્યા પરચા, ઈતિહાસ રોચક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમદાવાદમાં ખોડીયાર માતાજીનું મંદિર, જંગલમાં બાળકી સ્વરૂપે પ્રગટ થઈ પૂર્યા પરચા, ઈતિહાસ રોચક
Gujarat

અમદાવાદમાં ખોડીયાર માતાજીનું મંદિર, જંગલમાં બાળકી સ્વરૂપે પ્રગટ થઈ પૂર્યા પરચા, ઈતિહાસ રોચક

Last updated: 2025/04/21 at 10:54 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

અમદાવાદ નજીક આવેલા ઘુમા ગામમાં 150 વર્ષ જુનું મા ખોડીયારનું મંદિર આવેલું છે. ઘુમા અને આજુબાજુના ગામના લોકો મા ખોડીયાર દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓની સાચી શ્રદ્ધાથી કરેલી અરજી માતાજી અચૂક પૂર્ણ કરે છે એટલે શ્રદ્ધાળુઓની માતાજી પ્રત્યે અનેરી આસ્થા જોડાયેલી છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીના અનેક મંદિરો આવેલા છે. અમદાવાદ નજીક ઘુમા ગામમાં ખોડીયાર માતાજીનું આશરે 150 થી 200 વર્ષ જુનું મંદિર આવેલું છે. ઘુમા ગામના આ ખોડીયારધામનું અનેરું મહત્વ છે. ખોડીયારધામ ગામના લોકોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે. વર્ષો જુના ખોડીયાર માતાજીના મંદિરનો થોડા સમય પહેલા જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. માતાજીના મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓની મનોકામના માતાજીના આશીર્વાદથી ચોક્કસ પૂર્ણ થાય છે. મંદિરમાં બિરાજમાન મા ખોડીયારની મુર્તિ સામે જઈને ઉભા રહીએ ત્યારે દિવ્ય અનુભૂતિ થાય છે. માતાજીના મંદિરે નિસંતાન દંપતિ, સંતાન સુખ માટે અને વિદેશ જવા ઈચ્છતા લોકો ખાસ માનતા રાખે છે.

Contents
અમદાવાદના ઘુમામાં બિરાજમાન મા ખોડીયાર150 વર્ષ જુના મંદિરનો ત્રણવાર થયો છે જીર્ણોદ્ધાર

અમદાવાદના ઘુમામાં બિરાજમાન મા ખોડીયાર

ઘુમા ગામમાં બિરાજમાન ખોડીયાર માતાજીનો ઇતિહાસ રોચક છે. વર્ષો પહેલા ઘુમા ગામના એક ખેડૂત ગાડુ લઈને બહારગામથી પરત ફરી રહ્યા હતા ત્યારે જંગલ વિસ્તારમાં તેમના બળદ થાકીને બેસી ગયા એટલે મુંઝાયેલો ખેડૂત માતાજીને પ્રાર્થના કરવા લાગ્યો હતો અને થોડીવારમા જ નાની બાળકીના સ્વરૂપમાં માતાજીએ ત્યાં આવીને તે ખેડૂતને પોતાની સાથે લઇ જવા કહ્યું. ખેડૂતે તે બાળકીને સાથે લઇ જવાની હા પાડી ત્યારે થાકીને બેસી ગયેલા બળદ તરત ઉભા થઈ ગયા હતા. ગાડુ ઘુમા ગામના પાદરમાં પહોંચતા જ બાળકી સ્વરૂપે આવેલા માતાજી ઉતરી ગયા હતા ખેડૂતને પથ્થર આપીને સ્થાપન કરવા કહ્યું હતું. પટેલોની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં માતાજી સૌપ્રથમ પથ્થર રૂપે બિરાજમાન થયા હતા અને વર્તમાનમાં મૂર્તિ રૂપે બિરાજમાન કરવામાં આવ્યા છે. ગામના લોકો પોતાના ધંધા રોજગારની શરુઆત ખોડીયાર માતાજીના દર્શન કર્યા પછી જ કરે છે. ગામ લોકોનો દઢ વિશ્વાસ છે કે મંદિરે આવતા દરેક શ્રદ્ધાળુની મનોકામના માતાજી પૂર્ણ કરે જ છે. ૧૫૦ વર્ષ જુના આ મંદિરનો અત્યાર સુધીમાં ત્રણવાર જીર્ણોદ્ધાર થયો છે. વર્ષમાં એકવાર માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી મંદિરે કરવામાં આવે છે. મંદિરના નવીનીકરણ માટે સમગ્ર ગામજનોનો હંમેશા ભક્તિભાવથી સહકાર રહ્યો છે.

150 વર્ષ જુના મંદિરનો ત્રણવાર થયો છે જીર્ણોદ્ધાર

ગામમાંથી સ્થાળાંતર થઈ બીજે રહેવા ગયા છે તે લોકો પણ ખોડીયાર માતાજીના મંદિરે નિયમિત દર્શન કરવા આવે છે. અને આ જ તો તેમની માતાજી સાથે જોડાયેલી અતૂટ શ્રદ્ધા છે. ગામના લોકોએ જ્યારે પણ પોતાની કોઈપણ સમસ્યા માટે માતાજીને પ્રાર્થના કરી છે ત્યારે તેમની સમસ્યાનું ચોક્કસથી નિવારણ થયુ જ છે. અને એટલે જ તમામ ગ્રામવાસીઓને માતાજીમાં અતૂટ વિશ્વાસ છે. ખોડીયાર માતાના મંદિરે નિયમિત દર્શને જતા ગ્રામજનો કોઈપણ કામની શરૂઆત કરતાં પહેલા કે કોઈપણ જગ્યાએ બહાર જતા પહેલા માતાજીના દર્શન કરીને જ જાય છે અને આમ કરવાથી તેમના દરેક કામમાં તેઓ સફળતા હાંસલ કરે છે, તેમના કોઈ કામ અટકતા નથી. અને તેમાં કોઈપણ વિધ્ન આવતા નથી અને તેમનું માનવુ છે માતાજીના અમારા ગામ પર સદાય આશીર્વાદ રહે છે. 150 વર્ષ જુના ખોડીયાર મંદિરે આવીને માતાજી સમક્ષ કરેલી કોઈપણ પ્રાર્થના ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. મંદિરમાં રોજ વિવિધ પ્રસાદ ધરાવવામાં આવે છે. ગામના બાળકથી લઈને વૃદ્ધ, દરેક વ્યક્તિ માતાજીમાં અનેરો ભાવ ધરાવે છે. માતાજીના મંદિર પર લહેરાતી ધજાને સ્પર્શ થઈને જતી હવા પણ જાણે દૂરદૂર વસતા લોકોને સ્પર્શ કરી તેમને પણ માતાજીની હાજરીના સાક્ષાત્કારની અનુભૂતિ કરાવે છે.

You Might Also Like

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..

ગુજરાત પોલીસની ટેક્નોલોજી સાથેની નવી ઉડાન,તેરા તુજકો અર્પણ અને આઇ-પ્રગતિ પોર્ટલ લોંચ

બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ

શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો

TAGGED: Childless couple, Dev Darshan, guajrti news, happiness of children, Khodiyar Mataji, Khodiyar Mataji Temple, oneindianews, topnews, topnewschannelinindia, ખોડીયાર દર્શન, ખોડીયાર માતાજી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article તાપી જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય “તાપી કમલમ” નું ખાતમુહુર્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના વરદ હસ્તે આજ રોજ સંપન્ન થયું.
Next Article નવસારીમાં ACBએ છટકું ગોઠવી સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષકને લાંચ લેતા ઝડપી પાડ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..
Banaskantha Gujarat મે 14, 2025
ગુજરાત પોલીસની ટેક્નોલોજી સાથેની નવી ઉડાન,તેરા તુજકો અર્પણ અને આઇ-પ્રગતિ પોર્ટલ લોંચ
Gujarat મે 14, 2025
બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat મે 14, 2025
કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ
Gujarat Kheda મે 14, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?