27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત્રા નીકળશે તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે, હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, રથયાત્રા પારંપરિક રીતે જ નીકળશે. વધુમાં આ વખતે સુરક્ષા વ્યવસ્થામાં વધુ પ્રમાણમાં ધ્યાન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કારણ કે આ વખતે સુરક્ષા માટે AIનો ઉપયોગ પણ થવા જઈ રહ્યો છે.
વિગતો અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાના પારંપરિક રૂટ પર લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડશે. આ બધી બાબતોને ધ્યાને રાખીને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર 5 સ્થળોએ એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. તે સિવાય 75થી વધુ ડ્રોનથી સતત નિરીક્ષણ પણ કરવામાં આવશે. તે સિવાય RCBની સેલિબ્રેશન પરેડ જેવી ભાગદોડ ન થાય તે માટે AIનો ઉપયોગ પણ કરવામાં આવશે.
વધુમાં રથયાત્રામાં પોલીસની ભૂમિકાને લઈને DCP અજિત રાજિયાનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બેથી ત્રણ દિવસમાં ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે. કોઈપણ પ્રકારની ભાગદોડ ના થાય એ માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. વધુમાં તેમણે એવું કહ્યું કે, રથયાત્રામાં 75થી વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 45 ડ્રોન ક્રાઇમ બ્રાન્ચ પાસે છે, તે સિવાય 30થી ખાનગી કંપનીના ડ્રોન દેખરેખ માટે મુકાશે.
ડ્રોન અને તેના ઑપરેટરે ક્યાં સ્થળે રહેવું તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોંકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. તે સિવાય કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે AIનો ઉપયોગ પણ કરવામાં આવશે. ઉપરાંત ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પ્રવેશ અને નીકળવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared