click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અર્જુને બાણ મારી ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા, પ્રકૃતિની ગોદમાં ગીરની મધ્યે આવેલું છે મહાદેવનું આ ઐતિહાસિક મંદિર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અર્જુને બાણ મારી ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા, પ્રકૃતિની ગોદમાં ગીરની મધ્યે આવેલું છે મહાદેવનું આ ઐતિહાસિક મંદિર
Gujarat

અર્જુને બાણ મારી ગંગાજીને ઉત્પન્ન કર્યા હતા, પ્રકૃતિની ગોદમાં ગીરની મધ્યે આવેલું છે મહાદેવનું આ ઐતિહાસિક મંદિર

ગીર મધ્યે આવેલા બાણેજનું બાણગંગેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે. પાંચ હજાર વર્ષ પહેલાના આ મંદિરનો સ્કન્ધ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે.

Last updated: 2025/04/15 at 10:44 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

સૌરાષ્ટ્રનો દક્ષિણ કાંઠો પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાય છે. મધ્યગીરના આ ક્ષેત્રમાં પ્રકૃતિએ ચારે તરફ સૌદર્ય વેર્યુ છે.. તેની વચ્ચે ડુંગરની ગોદમાં, વનરાજોના રહેઠાણની સમીપમાં, કુદરતને ખોળે અને વૃક્ષોના પારણે મંદમંદ સમીર બાણગંગેશ્વર મહાદેવને ઝુલાવી રહ્યો છે. આધુનિક યુગના કોઇપણ દૂષણ અહીં સુધી આવ્યા નથી. પરમ શાંતિ અને આનંદનો અનુભવ થાય તેવા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના ગીર જંગલ મધ્યે આવેલું બાણેજ મંદિર આશરે 5 હજાર વર્ષ જૂનું હોવાની લોકવાયકા છે.

બાણેજ, છોડવડીથી આઠ કિલોમીટરના અંતરે જંગલ મધ્યે આવેલું છે. ચારે બાજુ માત્ર જંગલ જ જંગલ. અહીંનું વાતાવરણ પણ આહલાદક છે. માનવવસતી જોવા ટેવાયેલી આંખોને બાણેજમાં ડુંગરા, ગિરિમાળાઓ, નદી, ગીચ વૃક્ષરાજી તથા કિલકિલાટ કરતા પંખીઓ નિહાળવા મળે. સાંજ ઢળે તે પહોર થાય ત્યાં સુઘી સિંહ-દીપડાની ત્રાડોથી વિસ્તાર ગાજતો હોય છે ત્યારે પ્રકૃતિના આનંદ સાથે ભજન, ભોજન અને ભક્તિનો અહીં ત્રિવેણી સંગમ રચાય છે. શિવભક્તો બાણગંગેશ્વર મહાદેવની પૂજા, આરતી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ગીર મધ્યે આવેલા બાણેજનું બાણગંગેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે. પાંચ હજાર વર્ષ પહેલાના આ મંદિરનો સ્કન્ધ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં વન વિચરણ કરતા હતા ત્યારે માતા કુંતીને આ જગ્યા પર તરસ લાગી હતી. અને આસપાસ ક્યાંય પાણી નહોતું એટલે અર્જુને ધરતી પર બાણ મારી પાતાળમાંથી ગંગાજીને પ્રગટ કર્યા હતા. જે આજે પણ અહીં વહી રહ્યા છે. અહીં પાંડવોએ શિવજીની પ્રતિષ્ઠા કરી હતી. અને બાણ વડે ગંગાજી પ્રગટ્યા એટલે મહાદેવજી બાણ ગંગેશ્વર તરીકે ઓળખાય છે.

અહીં દર્શન કરવાથી અનેક પ્રકારે પુણ્યબળ મળે છે. દર્શનાર્થી પર મહાદેવજીની અસીમ કૃપા રહે છે. સેંકડો ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. જમદગ્નિ આશ્રમના સંત સરસ્વતીદાસજી જામવાળા ગયા તે પહેલાં ફરતાં ફરતાં અહીં આવી ચડ્યા હતા. સ્થળની શાંતિ, પવિત્રતા અને રમણીયતા મનને સ્પર્શી ગઇ એટલે તેમણે જંગલની વચ્ચે આસન ભીડ્યું. અને એક મઢુલી બાંધી ઇશ્વર ભક્તિમાં લીન રહેતા. આજુબાજુના નેસના માલઘારીઓ દૂધ આપી જાય તે પી લે. આ રીતે 22 વર્ષ સરસ્વતીદાસજીએ અહીં ગાળ્યા. ડુંગર ઉપર મઢુલી અને નીચે કુંડ ઉપર ઝૂંપડી. આ બે તેમના નિવાસ સ્થાન. જ્યાં દિવસે જતાં પણ ડર લાગે અને સાંજે ચાર પછી સૂરજનાં કિરણો પહોંચી ન શકે તેવી ગીચ વનરાજીની વચ્ચે ધીમેઘીમે સરસ્વતીદાસજીનું તપ ખીલતું થયું. ત્યારથી અહીં તેમના ગુરુ શિષ્ય પરંપરા મુજબના સંતો રહે છે.

ગીર મધ્યે સૂર્યના ઉદય સાથે ઈશ્વરની આરતી અને પક્ષીઓનો કલબલાટ વાતાવરણને પવિત્ર મધુર આભાથી ભરી દે છે. પાણીનો વિપુલ જથ્થો અને પ્રાકૃતિક રમણીયતાને ધ્યાનમાં લઇ બાણેજ આધ્યાત્મિક માર્ગના સાધકો માટે આદર્શ સ્થળ છે. બાણેજ શંકરનુ નિવાસસ્થાન છે. તેમ સિંહ-દીપડાનું પણ રહેઠાણ છે. રાતના સમયે મંદિરની પરસાળમાં સિંહ જોવા મળે છે અહીં આવતા શ્રદ્ધાળુઓ શિવજીના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે.

બાણગંગેશ્વરથી જામવાળા 24, તુલસીશ્યામ 35, ધારી 45, વિસાવદર 50, કનકાઇ 21, અને ગીરકાંઠાનું દલખાણિયા 30 કિલોમીટરને અંતરે છે. બાણગંગેશ્વર મહાદેવના દર્શન માટે અહીં આવવા કોડીનારથી જામવાળા, સોમનાથથી જામવાળા અને અમરેલીથી દલખાણીયા થઈ છોડવડી ચેકપોસ્ટ ખાતે પહોંચવું જરૂરી છે. જૂનાગઢથી વિસાવદર, સતાધાર, કનકાઈ થઈને છોડવડીથી બાણેજ પહોંચી શકાય છે. બાણેજ ભારતનું એકમાત્ર એવુ મતદાન મથક છે જ્યાં ફક્ત એક મતદાર છે. જેને લઈ તે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.

You Might Also Like

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ

વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર

અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન

વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા

TAGGED: Baangangeshwar Mahadev, Dev Darshan, gujarti news, History, Mahadev Temple, oneindia, oneindianews, topnews, topnewschannelinindia, દક્ષિણ કાંઠો, મધ્યગીર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું
Next Article ૧૫ દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ, ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કઈ રીતે કામ કરે છે ટેરિટોરિયલ આર્મી? જે દેશને જરૂર પડે ત્યારે જ બોલાવાય છે, જાણો ભરતીના નિયમ
Gujarat મે 9, 2025
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
Gujarat મે 9, 2025
અમે મતભેદોનું સમાધાન કરાવીશું તેવી વાતો નિરાધાર: સિંધુ જળ સંધિ મુદ્દે વર્લ્ડબૅન્કના પ્રમુખનું નિવેદન
Gujarat મે 9, 2025
વિદ્યાથીઓ ખાલી ભણતર અને મોબાઈલમાં ના રહે , કોઈ સ્પોર્ટ્સ રમવું ખૂબ જરૂરી છે કહ્યું ટેનિસ પ્લેયર સૌરભ મિશ્રાએ
Bhavnagar Gujarat મે 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?