પશ્ચિમ બંગાળમાં (West Bengal) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર સતત હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે. ક્યારેક રામ નવમીમાં રથયાત્રા રોકીને તો ક્યારેક ‘હલાલ પ્રસાદ’ના (halal prasad) નામે હિંદુ સમુદાયની લાગણી દુભાવીને. આ વખતે બંગાળમાં 629 વર્ષ જૂની રથયાત્રા મેળાની (Rath Yatra fair) પરંપરા પર મમતા સરકારે રોક લગાવી વિવાદ ઉભો કર્યો છે. બંગાળના મુસ્લિમ બાહુલ્ય ધરાવતા જલાલપુર વિસ્તારમાં 629 વર્ષથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખુબ મોટી સંખ્યામાં સ્થાનિક હિંદુ લોકો જોડાય છે. પરંતુ આ વર્ષે TMC શાસિત રાજ્ય સરકારે મેળાના આયોજન પર પ્રતિબંધ લગાવતા સ્થાનિક હિંદુઓમાં નિરાશા ફરી વળી છે.
વિષયને વિસ્તારથી સમજીએ તો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના જલાલપુર વિસ્તારમાં આવેલા શ્રી મહાપ્રભુ મંદિર પાસે દરવર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રા આ આયોજનનો જ એક ભાગ હોય છે. 6 દિવસ ચાલનારા આ મેળામાં આસપાસના અલગ-અલગ જાતિ, ધર્મ અને સંપ્રદાયના હજારો લોકો ઉલ્લાસભેર જોડાય છે. આ પરંપરા આશરે 629 વર્ષોથી ચાલતી આવી છે. ત્યારે આ વખતે બંગાળની TMC સરકારે ફક્ત રથયાત્રાની પરવાનગી આપી મેળાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી સ્થાનિક હિંદુ સમુદાય નિરાશ છે.
આ બાબતે પોલીસ પ્રશાસન સુરક્ષાનું બહાનું બતાવી જણાવે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રથયાત્રા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા ચોરી, હત્યા જેવી સંગીન ઘટનાઓ બનવા પામી છે. જે કારણોસર સ્થાનિક પ્રશાસને મમતા બેનર્જીની TMC સરકારના આદેશ પર રથ મેળા પર રોક લગાવી છે. જોકે, વર્ષો જૂની પરંપરા પર રોક લાગતા સ્થાનિક હિંદુ સમુદાયમાં નિરાશા સાથે રોષ ઉભરી આવ્યો છે.
629 વર્ષ જૂની પરંપરા પર સરકારે પ્રતિબંધ મુકતા રથયાત્રા મેળાના આયોજકો પણ હેરાન છે. આયોજકોનું કહેવું છે કે, આ મેળાનું આયોજન ફક્ત ધાર્મિક રીતે જ નહિ પણ સ્થાનિક અર્થવ્યવસ્થા માટે પણ ખુબ મહત્વનું અને જરૂરી છે. આ બાબતે રથયાત્રા સમિતિના અધ્યક્ષ ગૌતમ મંડલનું કહેવુ છે કે, “આ રથયાત્રા મેળાની પરંપરા બાબર અને મુગલોના આવ્યા પહેલાથી ચાલે છે. પરંતુ વોટ બેંકની રાજનીતિના કારણે જ આ મેળા પર રોક લગાવવામાં આવી છે”
TMC સરકારના મેળા પર રોક લગાવવાના આદેશ બાદ મેળાના આયોજકો હવે આ મામલાંને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કોર્ટ સમક્ષ લઇ જવા મજબુર બન્યા છે. આ મામલે TMCના રાજ્ય મહાસચિવ કૃષ્ણેન્દુ નારાયણ ચૌધરીએ પોલસી પ્રશાસનના નિર્ણયને સાચો ઠેરવતા આને કાયદો-વ્યવસ્થાનો મામલો ગણાવ્યો હતો. જ્યારે સ્થાનિક BJP નેતા અજય ગાંગુલીએ આરોપ લગાવ્યો હતો કે, મેળો રોકવાનો નિર્ણય ભલે પોલીસે લીધો હોય પણ તેની પાછળ સીધો TMC સરકારનો હાથ છે.
પૂરીના અસલી જગન્નાથ મંદિરમાં ગેર-હિંદુ વર્જિત, જયારે દીધાના જગન્નાથ મંદિર માટે ‘હલાલ પ્રસાદ’ બનાવશે મુસ્લિમ વેપારીઓ
ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે પશ્ચિમ બંગાળની મમતા સરકારે હિંદુઓની આસ્થાને દુભાવી હોય. હાલમાં જ TMC સરકાર દ્વારા બંગાળના દીધામાં પૂરીના જગન્નાથ મંદિરની પ્રતિકૃતિ બનાવતા તેનો વિવાદ પણ વકર્યો હતો. એપ્રિલ 2025માં મંદિરનું ઉદ્ઘાટન થયું હતું, ત્યાર બાદથી જ મંદિરને લઈને અવનવા વિવાદો સામે આવી રહ્યા છે. હાલમાં મંદિરના પ્રસાદને લઈને વિવાદ વધ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ બંગાળની મમતા સરકાર પર આરોપ લગાવ્યો છે કે, મંદિર માટે પ્રસાદ બનાવવાનું કામ મમતા સરકારે મુસ્લિમ વેપારીઓને આપ્યું છે. આ મામલે BJP આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ 17 જૂન 2025ના રોજ X પર એક પોસ્ટ શેર કરી એક લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં એ દુકાનોના નામ છે જેનાં માલિક મુસ્લિમ છે. માલવિયાએ એ પણ આરોપ લગાવ્યો છે કે, પૂરીના અસલી જગન્નાથ મંદિરમાં જ્યાં ગેર-હિંદુઓને પ્રવેશની પણ મંજૂરી નથી, ત્યાં મમતા સરકાર અહિયાં પ્રસાદ બનાવવાનું કામ મુસ્લિમોને સોંપી મંદિરની પવિત્રતા અને હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel