કેનેડામાં 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી G-7 દેશોની પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના વડાપ્રધાનનાં વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રહેશે. કેનેડા જતા પૂર્વે માર્ગમાં તેઓ સાયપ્રસનાં પાટનગર તિકોસિયા જવાના છે, પાછાં વળતાં તેઓ ક્રોએશિયા જશે. 1991માં યુગોસ્લાવિયાનું વિસર્જન થયા પછી ક્રોએશિયા જનારા મોદી ભારતના પહેલા વડાપ્રધાન હશે. વાસ્તવમાં તેઓ ગયા મહીને જ ક્રોએશિયા જવાના હતા, પરંતુ ભારત-પાક. સંઘર્ષને લીધે તે મુલાકાત યોજી શકાઈ ન હતી.
સાયપ્રસ અને ક્રોએશિયા બંને યુરોપિયન યુનિયનના સભ્યો છે. સાયપ્રસ ૨૦૨૬ના પ્રથમાર્ધમાં યુરોપીય સંઘના પ્રમુખપદે રહેશે. આથી સાયપ્રસનું મહત્વ ઘણું છે.
વ્યાપારી દ્રષ્ટિએ પણ સાયપ્રસનું મહત્વ છે. સાયપ્રસ અને તૂર્કીએય વચ્ચે મતભેદો દાયકાઓથી ચાલે છે. બીજી તરફ તૂર્કીએયના પ્રમુખ એર્ડોગાને ‘ઓપરેશન સિંદૂર’ અંગે પાકિસ્તાનને ટેકો આપ્યો હતો જે ભારતને સહજ રીતે જ પસંદ પડયું ન હતું.
1960માં સાયપ્રસ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું પછી આ ભૂમધ્ય સમુદ્રીય ટાપુ દેશમાં ગ્રીક સાયપ્રાઈટ્સ અને તુર્કીશ સાઇપ્રોઈટસ વચ્ચે ખટરાગ શરૂ થયો. તૂર્કીએ સાયપ્રસ ઉપર આક્રમણ કર્યું જેમાં તૂર્કી સફળ ન થયું આખરે સંધિ થઈ જેમાં ઉત્તરનો ભાગ પોતાને સેલ્ફ-ડીડબર્ડે-ટર્કીશ રીપબ્લિક ઓફ નોર્ધન સાયપ્રસ (ટીઆરએનસી) તરીકે જાહેર કરાયું જેને એક માત્ર ટર્કીએ જ માન્યતા આપી હતી. અત્યારે ઉત્તરના ભાગમાં તૂર્કો વસે છે. દક્ષિણે ગ્રીક-સાઇપ્રોઈટસ વસે છે. સાયપ્રસ હવે યુરોપીયન યુનિયન કાઉન્સીલનાં પ્રમુખપદે આવતાં યુરોપીય દેશોનાં ભારત સાથેનાં વલણમાં ચોક્કસ અસર કરી શકશે. તેથી વડાપ્રધાન મોદીની સાયપ્રસની મુલાકાત મહત્વની છે.