click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાવનગરના તબીબ અને સ્વચ્છ ભારત મિશન અર્બન ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીને ‘ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ એનાયત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ભાવનગરના તબીબ અને સ્વચ્છ ભારત મિશન અર્બન ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીને ‘ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ એનાયત
BhavnagarGujarat

ભાવનગરના તબીબ અને સ્વચ્છ ભારત મિશન અર્બન ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીને ‘ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ એનાયત

Last updated: 2025/04/03 at 3:48 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે બાથ ભીડતા ભાવનગરના ઊર્જાવાન અને જાગૃત તબીબ ડૉ. તેજસ દોશીને ગુજરાત સરકારનો ‘ધ પર્સન ઑફ ક્લાયમેટ ચેન્જ ૨૦૨૪-૨૫’ એવોર્ડ રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મૂળુભાઇ બેરાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્લાસ્ટિકના ઉપયોગને છોડીને કપડાની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ડૉ. દોશીએ બનાવેલી નવતર કપડાની બેગ પણ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી.

ડૉ. તેજસ દોશીના પર્યાવરણ રક્ષણ માટેના વિવિધ પગલાંની મંત્રીશ્રીએ નોંધ લઇને એમને એમની આ પ્રવૃત્તિઓ બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દિશામાં વધુને વધુ જનજાગૃતિ ફેલાય એવા પ્રયાસો કરી રહી છે પરંતુ આમાં વ્યક્તિગત અને સ્વૈચ્છિક અને સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ સ્વેચ્છાએ વધુ આગળ આવે તો ઇચ્છિત પરિણામો સત્વરે હાંસલ કરી શકાય.
વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અગ્રસચિવ મોના ખંધાર, સચિવ શ્રી ડૉ. રાહુલ ગુપ્તા, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના નિયામક શ્રી અજય પ્રકાશ, પર્યાવરણવિદો અને સરકારી અધિકારીઓની હાજરીમાં ગઇ કાલે ગાંધીનગરમાં આ વર્ષનો ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ ૨૦૨૪-૨૫નો સમારોહ એક સાદા પરંતુ પ્રભાવશાળી કાર્યક્રમમાં યોજાયો હતો. ડો તેજસ દોશીના કાર્યોની નોંધ લેતા મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે, ગુજરાતના દરેક નાગરિકે ડો. તેજસ દોશીની જેમ પર્યાવરણના રક્ષણમાં સમર્પણ ભાવના સાથે યથાશક્તિ યોગદાન આપવું જોઈએ. સૌએ સાથે મળીને ક્લાયમેટ ચેન્જની એલાર્મિંગ સિચ્યુએશન સામે કામ કરવાની આવશ્યકતા છે. ગ્રીન ગ્રોથ મોડલ અને નવીન ઊર્જા માટે સરકારના પ્રયાસોમા સૌ કોઇએ સ્વેચ્ચાએ જોડાવા આગળ આવવુ જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણીય સંસાધનોના સંરક્ષણ માટે નાના પણ અસરકારક પગલાં લેવા અંગે આહવાન કર્યું હતું. મંત્રીશ્રીએ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ગુજરાતના પ્રયાસો, નવીન ઊર્જાના પ્રોત્સાહન અને ગ્રીન પહેલો દ્વારા ભવિષ્યની સુરક્ષા સંદર્ભે વિગતો પ્રસ્તુત કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા કુલ નવ શ્રેણીઓમાં ૨૦ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમા ‘વ્યક્તિગત’ શ્રેણીમાં ભાવનગરના તબીબ ડૉ. તેજસ એસ. દોશીને પ્રથમ પુરસ્કાર તેમના પર્યવરણ સરક્ષણ માટેના વિવિધ પ્રોજેક્ટસ માટે આપવામાં આવ્યો છે. ડૉ. દોશી જોય ઓફ ગિવિંગ પેન પ્રોજેક્ટ અંતરગત ૧૧ લાખથી વધુ પેનોમાં રીફીલ નાખી સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનુ કાર્ય કર્યું છે. એમણે ૫૦ પ્લાસ્ટિક બેગ સામે એક કાપડની થેલી આપવાના કાર્યક્રમ હેઠળ બે લાખથી વધુ થેલી વિતરણ કર્યું છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ડૉ. દોશીએ વિદ્યાર્થી અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા અને જન જાગૃતિ લાવવા માટે ૨૦૦થી સેમિનારો યોજીને ગુજરાતભરની સ્કૂલ કોલેજોમાં જય બે લાખથી વધુ વિધાર્થીઓને કેળવ્યા છે. ભાવનગરના એકવાડા લેકમા એમણે એક લાખ એંશી હાજર ઈકો બ્રિક ભેગી કરી ગુજરાતનો સૌથી પહેલો ઈકો બ્રિક પાર્ક બનાવ્યો છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ઈકો બ્રિકમાંથી ઇનકમનો અદભૂત પ્રયોગ 1 લાખ 80 હજાર ઈકો બ્રિક ભેગી કરી છે. ડૉ. તેજસ દોશી અને એમની ટીમ દ્વારા ‘ડોન્ટ કટ કોર્નર અવેરનેસ પ્રોજેક્ટ’ અંતર્ગત શહેરની ૨૦૦થી વધુ સોસાયટીઓમાં જઇને બહેનોને દૂધ વગેરેની થેલી કેવી રીતે કાપવી એ બાબત જાગૃત કર્યા છે. ડૉ. દોશીના જાગૃત પ્રયાસોથી અત્યાર સુધીમાં વિવિધ કાર્યો થાકી ૫૦ લાખ કિલો પ્લાસ્ટિક રિડ્યુસ કરી રિકયકલ કરવામાં આવ્યું. ડૉ. દોશીના પર્યાવરણ જાળવણી અને સુરક્ષા વિષયક આવા અનેકવિધ કાર્યોની રાજ્ય સરકારે નોંધ લઈને એમને ‘ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ ૨૦૨૪-૨૫’ એનાયત કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે સમાજસેવિકા, પૂર્ણા લોટીયા, જાણીતા કોલમિસ્ટ પુલક ત્રિવેદી, ડો નેહલ ગઢવી, પર્યાવરણવિદ ડો મુકેશ જોશી, જાણીતા પત્રકાર મનોજ શુક્લ, ભૂપતસિંહ ચાવડા તેમજ સમગ્ર ગુજરાતમાંથી પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર- સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

You Might Also Like

જાણો કોણ છે ભારતીય મૂળના આ ચાર ચહેરા, જેઓને કેનેડાના નવા મંત્રીમંડળમાં મળી મહત્વપૂર્ણ જવાબદારી

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાનો પ્રહાર, સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..

TAGGED: ‘The Person of Climate Change’ award, Bhavnagar doctor, Bhavnagar Dr. Tejas Doshi, bhavnger, bhavnger collector, bhavnger news, bhavnger police, Brand Ambassador, Swachh Bharat Mission Urban, ગ્લોબલ વોર્મિંગ, ભાવનગર, સ્વચ્છ ભારત મિશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાહનચાલકોને આકરા તાપથી બચાવવા ડોમ ઉભા કરાયા
Next Article વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

જાણો કોણ છે ભારતીય મૂળના આ ચાર ચહેરા, જેઓને કેનેડાના નવા મંત્રીમંડળમાં મળી મહત્વપૂર્ણ જવાબદારી
Gujarat મે 15, 2025
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય
Gujarat મે 15, 2025
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાનો પ્રહાર, સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
Gujarat મે 15, 2025
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ
Gujarat મે 15, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?