શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે કોલકાતા નજીક ગોળી મારી હત્યા કરવામાં આવતા પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.
માહિતી અનુસાર, ચંદ્રનાથ રથ કોલકાતાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મધ્યમગ્રામ વિસ્તારમાં એરપોર્ટ નજીક તેમની કાર પર સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો ચાર બાઇક અને એક ફોર વ્હીલરમાં આવ્યા હતા અને તેમણે ફિલ્મી અંદાજમાં હુમલાને અંજામ આપ્યો હતો.
કેવી રીતે થયો હુમલો?
ઘટના રાત્રે લગભગ 10:20 વાગ્યે બની હતી. ચંદ્રનાથ રથ સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. એરપોર્ટ વિસ્તાર છોડ્યા બાદ ચાર બાઇક પર સવાર આઠ હુમલાખોરોએ તેમની કારનો પીછો શરૂ કર્યો હતો.
થોડીવાર બાદ એક ફોર વ્હીલર અચાનક સ્કોર્પિયોની આગળ આવી ઊભી રહી, જેના કારણે કાર રોકવી પડી હતી. કાર ઉભી રહેતા જ બે બાઇક કારની બાજુમાં આવી અને હુમલાખોરોએ તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ચંદ્રનાથ રથ ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠા હતા. તેમને છાતી અને પેટના ભાગે ગોળીઓ વાગી હતી. જ્યારે ડ્રાઇવર બુદ્ધદેવને પણ છાતી અને પગમાં ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
#WATCH | North 24 Parganas, West Bengal | BJP Leader Suvendu Adhikari reaches the hospital where his PA Chandra was taken after he was shot and succumbed to the injuries near Madhyamgram
(Source: Suvendhu Adhikari's Office) https://t.co/0kAKzKZ5yW pic.twitter.com/hT1spXaAWx
— ANI (@ANI) May 6, 2026
હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ચંદ્રનાથનું મોત
સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ ચંદ્રનાથ રથને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ડ્રાઇવર બુદ્ધદેવની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે શરૂ કરી તપાસ
ઘટના બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આસપાસના CCTV કેમેરા ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
પોલીસના પ્રાથમિક અનુમાન પ્રમાણે હુમલો પૂર્વનિયોજિત હતો અને હુમલાખોરો ખાસ કરીને ચંદ્રનાથ રથને નિશાન બનાવીને આવ્યા હતા. પોલીસ રાજકીય તેમજ વ્યક્તિગત દુશ્મનાવટ સહિત તમામ પાસાઓ પરથી તપાસ કરી રહી છે.
ભાજપે TMC પર લગાવ્યા આરોપ
ઘટના બાદ ભાજપ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. સમિક ભટ્ટાચાર્યએ સીધો આરોપ All India Trinamool Congress પર મૂક્યો હતો. તેમણે કહ્યું કે “આ કામ TMC સિવાય બીજું કોઈ કરી શકે નહીં.”
જોકે તૃણમૂલ કોંગ્રેસે તમામ આરોપોને ફગાવ્યા છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
શુભેન્દુ અધિકારીનો મોટો દાવો
શુભેન્દુ અધિકારીએ ઘટનાને “પૂર્વનિયોજિત રાજકીય કાવતરું” ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે હુમલાખોરોએ ઘણા દિવસોથી ચંદ્રનાથ રથની રેકી કરી હતી અને ત્યારબાદ હુમલો કર્યો હતો.
આ ઘટનાએ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસા અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાને કેન્દ્રસ્થાને લાવી દીધો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel