મંત્રીએ શોકસંતપ્ત પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડી તેમનું સાંત્વન કર્યું અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “દુર્ઘટનાનું દુઃખ મિટાવી શકાતું નથી, પણ રાજ્ય સરકાર પરિવારજનોની સાથે ખંભે ખભો આપી ઊભી છે.” રાજ્ય સરકાર દ્વારા બનાવ બન્યા પછી તત્કાળ સહાયની વ્યવસ્થા કરાતા તેમણે મુખ્યમંત્રીની સંવેદના અને માનવતા દર્શાવતા અભિગમની પ્રસંશા કરી.
આ પ્રસંગે મામલતદાર સિદ્ધપુર તથા અન્ય સરકારી અધિકારીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.