click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે
Gujarat

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે

ઈતિહાસ મારા પ્રત્યે મીડિયા-વિપક્ષ કરતાં વધુ દયાળુ રહેશે : મનમોહન સિંહ ડૉ. મનમોહન સિંહનો પાર્થિવદેહ સવારે 8.00 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લઈ જવાશે, 11.45 કલાકે નિગમબોધ ઘાટ ખાતે અંતિમ ક્રિયા

Last updated: 2024/12/28 at 10:56 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં ‘ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે’ તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે. મનમોહનસિંહ દેશના પહેલા શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.

Contents
પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ મનમોહન સિંહના પાર્થિવ દેહને ઘરેથી AICC લવાયોદીકરીઓ અમેરિકાથી ભારત આવી પહોંચી કોંગ્રેસે અંતિમવિધિનો ક્રાર્યક્રમ જણાવ્યોદિગ્ગજોએ આપી હતી શ્રદ્ધાંજલિકેબિનેટની બેઠકમાં શૉક ઠરાવ પસાર પીએમ મોદીએ આપી હતી શ્રદ્ધાંજલિ

#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh being taken to Nigam Bodh Ghat; his last rites will be performed here.

Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi. pic.twitter.com/b4cwg5LIjn

— ANI (@ANI) December 28, 2024

પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ 

એઆઈસીસી ખાતેથી હવેથી પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવી રહ્યો છે. તેમની અંતિમ યાત્રા શરૂ થઇ ચૂકી છે. ત્યાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. તેમની અંતિમ વિધિમાં વડાપ્રધાન મોદી પણ જોડાશે.

મનમોહન સિંહના પાર્થિવ દેહને ઘરેથી AICC લવાયો

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહને AICC ખાતે લાવવામાં આવ્યો છે. જ્યાં તેને એક કલાક માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત પીએમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે.

દીકરીઓ અમેરિકાથી ભારત આવી પહોંચી 

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પાર્થિવ શરીરને ગુરુવારે મોડી રાતે તેમના નિવાસ લુટિયન્સ દિલ્હીના મોતીલાલ નહેરુ રોડ સ્થિત બંગલા નં.-3માં લવાયો હતો. ડૉ.સિંહના પરિવારમાં પત્ની ગુરશરણ કૌર અને ત્રણ પુત્રીઓ ઉપિંદર સિંહ, દમન સિંહ અને અમૃત સિંહ છે. તેમની બે પુત્રીઓ અમેરિકા હતી, જે શુક્રવારે રાતે દિલ્હી પહોંચી હતી.

કોંગ્રેસે અંતિમવિધિનો ક્રાર્યક્રમ જણાવ્યો

કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકરો અને જનતા ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે તેમનો પાર્થિવદેહ સવારે 8 કલાકે કોંગ્રેસ મુખ્યાલય લવાશે. ત્યાંથી 9:30 કલાકે તેમની અંતિમ યાત્રા નીકળશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ ક્રિયા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શનિવારે સવારે 11:45 કલાકે નિગમબોધ ઘાટ ખાતે કરાશે. આ જ સ્થળે તેમની સમાધી પણ બનાવાશે.

દિગ્ગજોએ આપી હતી શ્રદ્ધાંજલિ

શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સંસદીય પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના પ્રમુખ રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક દિગ્ગજ નેતાઓ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસે પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ પણ ડૉ. મનમોહનને શ્રદ્ધાંજલિ આપી હતી.

કેબિનેટની બેઠકમાં શૉક ઠરાવ પસાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શુક્રવારે સાંજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી અને શોક ઠરાવ પસાર કરાયો હતો. બીજીબાજુ કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસ કારોબારીની પણ બેઠક મળી હતી, જેમાં મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કોંગ્રેસ કારોબારી પછી પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારને પત્ર લખીને માગ કરી હતી કે ડૉ. મનમોહનસિંહની અંતિમ ક્રિયા એ જ જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમની સમાધી બનાવી શકાય. કોંગ્રેસ મહાસચિવ અવિનાશ પાંડેએ કહ્યું કે, ખડગે અને મનમોહનસિંહના પરિવારે અંતિમ સંસ્કાર અને સ્મારકની જગ્યા માટે સરકાર સાથે વાતચીત કરી છે.

પીએમ મોદીએ આપી હતી શ્રદ્ધાંજલિ

ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પૂર્વ પીએમ મનમોહનસિંહનું જીવન દેશવાસીઓ માટે પ્રેરણાસ્રોત છે. એક અર્થશાસ્ત્રી તરીકે તેમણે અલગ અલગ સ્તર પર ભારત સરકારમાં સેવાઓ આપી. પૂર્વ પીએમ નરસિંહા રાવ સરકારમાં તેઓ નાણાંમંત્રી હતા અને દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાંખ્યો હતો. જનતા અને દેશના વિકાસ પ્રત્યે તેમનું સમર્પણ હંમેશા યાદ રખાશે. તેમણે ઉમેર્યું કે, તેમનું જીવન પ્રમાણિક્તા અને સાદગીનું પ્રતિક હતા. તેમની સૌમ્યતા, બૌદ્ધિક્તા તેમના જીવનની ઓળખ રહ્યા. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે તેમની સાથે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ખુલ્લા મને ચર્ચા થતી હતી. દિલ્હી આવ્યા પછી પણ તેમની સાથેની મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે. આ મુશ્કેલ સમયમાં હું તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ મર્પિત કરું છુું.

पूर्व प्रधानमंत्री डॉ.मनमोहन सिंह का पार्थिव शरीर उनके आवास से एआईसीसी मुख्यालय के लिए ले जाया जा रहा है।

पार्टी कार्यकर्ताओं के अंतिम दर्शन के लिए पार्थिव शरीर को एआईसीसी मुख्यालय में रखा जाएगा।#ManmohanSingh#ManMohanSinghJi #ManmohanSinghPassesAway #ManmohanSinghLegacy pic.twitter.com/KCGwKSg4At

— One India News (@oneindianewscom) December 28, 2024

You Might Also Like

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો

પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

TAGGED: @india, bjp government, Breaking news, Dr Manmohan Singh, earthly body, oneindia, oneindianews, pm modi, topnews, topnewschannelinindia, અંતિમ યાત્રા, ડૉ. મનમોહનસિંહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 28, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાવનગરમાં યોગ સાધકે બે હજાર સૂર્ય નમસ્કાર કરીને સર્જ્યો વિક્રમ
Next Article RBI એ PPI ધારકોને તૃતીય-પક્ષ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને UPI ચુકવણી કરવાની મંજૂરી આપી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Gujarat Patan મે 16, 2025
પાટણમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન થયું
Gujarat Patan મે 16, 2025
રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?