નેપાળમાં ચાલી રહેલા ઝેન-જી વિરોધ પ્રદર્શનને કારણે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાજકીય અસ્થિરતા એટલી વધી ગઈ છે કે અનેક મંત્રીઓ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ રાજીનામાં આપી દીધા છે. રસ્તાઓ પર સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયો છે. અત્યાર સુધીમાં આ હિંસક આંદોલનમાં લગભગ 30 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભારત સાથે જોડાયેલી કૈલાશ માનસરોવર યાત્રા પર પણ પડી રહ્યો છે, કારણ કે યાત્રીઓમાં એક મોટી સંખ્યા એવા છે, જેઓ નેપાળ મારફતે તિબેટ પહોંચે છે. હાલ તિબેટના સ્વાયત્ત ક્ષેત્રમાં અનેક ભારતીય યાત્રાળુઓ ફસાઈ ગયા છે, જેના કારણે ચિંતા વધી રહી છે.
Advisory for Indian citizens currently stranded in Tibet Autonomous Region, People’s Republic of China while undertaking the Kailash Mansarovar Yatra organized by private tour
operators via Nepal. pic.twitter.com/HlqYYPeeGo
— India in China (@EOIBeijing) September 10, 2025
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફસાયેલા યાત્રાળુઓએ ગભરાશો નહીં, પરંતુ સતર્કતા અને સાવચેતી રાખવી જોઈએ. તિબેટ ઊંચાઈવાળો વિસ્તાર હોવાથી ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અને ભૂપ્રદેશ મુશ્કેલ છે, એટલે યાત્રાળુઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ.
Indian Embassy in China issues advisory for citizens stranded in Tibet during Kailash Mansarovar Yatra
Read @ANI Story |https://t.co/ezTbELDJPA#IndianEmbassy #China #Advisory #KailashMansarovarYatra pic.twitter.com/ye4wk5qch6
— ANI Digital (@ani_digital) September 10, 2025
દૂતાવાસે જણાવ્યું છે કે યાત્રાળુઓએ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓની સલાહનું કડક પાલન કરવું જોઈએ. સાથે જ, બેઇજિંગ અને કાઠમંડુમાં આવેલી ભારતીય દૂતાવાસો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુસરવી જોઈએ. દૂતાવાસે તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન નંબર અને વોટ્સએપ નંબર પણ જાહેર કર્યા છે, જેથી નાગરિકો મુશ્કેલી સમયે સીધો સંપર્ક કરી શકે. દૂતાવાસે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જરૂર પડે ત્યારે જ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો અને ત્યાંથી મળતી માર્ગદર્શિકાનું પાલન કરો.
ઝેન-જી આંદોલનને કારણે માત્ર નેપાળ જ નહીં પરંતુ પડોશી વિસ્તારોમાં પણ તંગદિલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારતીય દૂતાવાસ સતત યાત્રાળુઓની સ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ચીન તથા નેપાળના અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જેથી પરિસ્થિતિમાં સુધારો થાય અને ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. આ દરમિયાન યાત્રાળુઓને શાંતિપૂર્ણ રહેવા, ભીડથી દૂર રહેવા અને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel