પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે મકાનોને થયેલા નુકસાન બાદ અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ મકાન સહાયના ચેક અર્પણ કર્યા હતા અને સરકાર તેમની પડખે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
પેટલાદના વિવિધ વિસ્તારોના કુલ ચાર અરજદારોને કુલ રૂ. 3.10 લાખની સહાય આપવામાં આવી હતી. જેમાં નારીયાપાડાના કિરીટભાઈ નવનીતલાલ શાહને રૂ. 65 હજાર, જવાહર શેરીના ભગવાનદાસ સાંકળચંદ કંસારાને રૂ. 65 હજાર, દેવકુવા ભાગોળના પૂજાભાઈ બાપુભાઈ તળપદા અને જયંતીભાઈ ડાહ્યાભાઈ તળપદાને સંયુક્ત રીતે રૂ. 90 હજાર તથા કલાલ પીપળ-કુંભારવાડા વિસ્તારના મોતીભાઈ રામભાઈના વારસદાર અશોકભાઈ જેઠાભાઈ જાદવને રૂ. 90 હજારની મકાન સહાયનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તા. 31 જુલાઈ અને 2 ઓગસ્ટ, 2026ના રોજ પડેલા અતિભારે વરસાદને કારણે પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં અનેક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા નુકસાનની ત્વરિત નોંધ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ટૂંકા સમયમાં અસરગ્રસ્તોને નિયમ મુજબ સહાય ચૂકવવામાં આવી હતી.
સહાયના ચેક વિતરણ પ્રસંગે પેટલાદના પ્રાંત અધિકારી કિંજલ દેસાઈ, મામલતદાર, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel