જે પાઇપલાઇનના કામો અંગે ભ્રષ્ટાચાર ની ફરિયાદ કરવામાં આવી હતી તે જ કામોને અચાનક રાત્રીના સમય દરમિયાન કોઈને પણ જાણ કર્યા વગર કરવા જતા ગ્રામજનોને જાણ થતા એ કામગીરી અટકાવી..
વાલોડ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ બી બી રાઠોડ બપોરના સમયે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચતા તાત્કાલિક ધોરણે ટેકનિકલ સ્ટાફને ઘટના સ્થળે પંચ કેસ કરવા માટે મોકલ્યા હતા
દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચને ભ્રષ્ટાચારના આક્ષેપો બાબતે મળવા માટે જ્યારે પણ ફોન કરીને પૂછવામાં આવે છે ત્યારે પોતે નોકરી પર હોય છે અને હું તમને પછી ફોન કરું એવો જવાબ આપવામાં આવે છે
સાંજે ૬ કલાકના અરસામાં દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચ સામે કલમ 55/2(ક), 57(1) હેઠળ નોટીસચારી કરી સસ્પેન્ડ કેમ ન કરવા તે અંગે લેખિતમાં ખુલાસો માંગ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
દાદરીયા ગ્રામ પંચાયતના તલાટીની બદલી કરવામાં આવતા એ ફલિત થાય છે કે ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તો થયો જ હોય એવું લાગી રહ્યું છે
વાલોડ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ બીબી રાઠોડ જણાવ્યું હતું કે જવાબદાર અધિકારીઓ પાસેથી ત્રણ દિવસની અંદર ખુલાસા માંગે ડીડીઓને રિપોર્ટ કરી દેવા જણાવ્યું હતું.
ભ્રષ્ટાચારના કામોમાં યોગ્ય તપાસ કરીને દોષીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી લોક માગણી ઊઠી છે.