click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
Gujarat

વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત

સાબરકાંઠાના હિંમતનગર ઇડર હાઇવે ઉપર વક્તાપુર ગામ પાસે આવેલા રોકડિયા હનુમાનજી સ્વયંભૂ છે અહીં હજારો વર્ષોથી તેનું મહાત્મય સચવાયેલું છે.

Last updated: 2025/05/17 at 10:41 એ એમ (AM)
One India News Team
Share
5 Min Read
SHARE

અરવલ્લીની ગીરી કંદરાઓ વચ્ચે પસાર થતા સાબરકાંઠાના ઈડર હિંમતનગર હાઇવે ઉપર રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે જ્યાં પ્રત્યેક શનિવારે, મંગળવારે હજારો ભક્તોની ભીડ ઉમટે છે કેટલાય વર્ષોથી વિવિધ પરચાઓ આપતા રોકડિયા હનુમાનજી સ્વયંભૂ હોવાના પગલે દિન પ્રતિદિન તેમની આસ્થામાં વધારો થઈ રહ્યો છે જે ભક્તજનો એકવાર મંદિરની મુલાકાત લે છે તે કાયમી દાદાના ભક્તજન બની રહે છે. સાબરકાંઠાના હિંમતનગર ઇડર હાઇવે ઉપર વક્તાપુર ગામ પાસે આવેલા રોકડિયા હનુમાનજી સ્વયંભૂ છે અહીં હજારો વર્ષોથી તેનું મહાત્મય સચવાયેલું છે. વિવિધ પરચાઓ તેમજ પૌરાણિક કથાની વાત કરવામાં આવે તો ઈડરના મહારાજા ને આર્થિક ધનની જરૂરિયાત પડી ત્યારે ભગવાને સ્વપ્નમાં દર્શન આપી સ્વયંભૂ રોકડિયા હનુમાનજી પાસે જવાનું કહ્યું હતું.

Contents
સ્વયંભૂ રોકડિયા હનુમાનજીમંદિરે પ્રતિ શનિવારે શ્રીફળનો ભોગરોકડિયા હનુમાન મંદિરે રણકતા રૂપિયા જેવો હિસાબ

સ્વયંભૂ રોકડિયા હનુમાનજી

ઈડરના મહારાજા જાડી ઝાંખરા ની વચ્ચે આવેલા રોકડિયા હનુમાનજી મંદિરે દર્શનાર્થે જઈ બે પથ્થરોની વચ્ચેથી જરૂરિયાત જેટલું ધન મેળવ્યા બાદ પથ્થરોની જગ્યા આપોઆપ પુરાઈ ગઈ.. જેના પગલે ઈડરના મહારાજાથી લઇ આજદિન સુધીના ભક્તો માટે રોકડિયા હનુમાનજી સર્વ દુઃખોના નાશક રૂપ બની રહ્યા છે. સામાન્ય રીતે દરેક પ્રકારના મંદિરોમાં વિવિધ અબીલ ગુલાલ અગરબત્તી અને શ્રીફળ ની માનતાઓ મનાતી હોય છે ત્યારે હિંમતનગર નજીક આવેલા રોકડિયા હનુમાન મંદિરે પ્રતિ શનિવારે શ્રીફળ નો ભોગ ધરાવાય છે. હનુમાનજીના મંદિરે આવતા ભક્તજનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો રહેલો છે, છેલ્લા 40 વર્ષથી મંદિરના પટાંગણમાં અડદ તલ અગરબત્તી સહિત પૂજા સામગ્રી થકી સેવા કરનારા સેવકોમાં પણ હનુમાન દાદા પ્રત્યે અનેરો ભક્તિભાવ જોવા મળે છે તેમની દ્રષ્ટિએ હનુમાન દાદાના દર્શન માત્રથી દુઃખો દૂર થાય છે. રોકડિયા હનુમાનજીની બાજુમાં નીલકંઠ મહાદેવ બિરાજમાન છે. મહાદેવજીની બાજુમાં જ દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલુ છે. સાબરકાંઠા જિલ્લામાં નવગ્રહનું મંદિર માત્ર વક્તાપુર હનુમાનજીના મંદિરે જ આવેલુ છે. નવગ્રહની પૂજા કરવી હોય તો વક્તાપુર હનુમાનજીની બાજુમાં આવેલા નીલકંઠ મહાદેવમાં નવ ગ્રહોની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેના થકી ભક્તોના ગ્રહોનું નિવારક વર્ણન થાય છે તેમજ ભક્તોને નડતા ગ્રહોનો પૂજાપાઠ પણ થાય છે. મંદિર પરિસરમાં શ્રીરામ ભગવાનનું મંદિર અને માં અંબિકાનું મંદિર પણ આવેલું છે.

મંદિરે પ્રતિ શનિવારે શ્રીફળનો ભોગ

નીલકંઠ મહાદેવના મહેશ્વરી ગીરીબાપુએ આ મંદિરની સ્થાપના કરી હતી અને તેમના સ્વર્ગવાસ બાદ તેમની સમાધિ પણ કરવામાં આવી છે. કહેવાય છે કે મહેશ્વરી ગીરીબાપુને દાદાના સાક્ષાત્કાર થયા હતા જેને લઈને આસપાસના લોકો દાદાની મુલાકાતે આવતા અને પોતાની મનોકામના અને તકલીફો દાદાને કહેતા અને તકલીફો દૂર થતી. દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરતા વકતાપુર રોકડિયા હનુમાનદાદાના ચરણોમાં લોકો પોતાનુ દુઃખ લઈને આવી સુખદ સમાધાન સાથે પાછા ફરે છે. રાજસ્થાનથી ઈડર હિંમતનગર હાઇવે પર રોજ આવતા જતા વાહનચાલકો દાદાના ચરણોમાં નમન કરી અગરબત્તી કરી ને જ આગળ જતા હોય છે. ઈડર હિંમતનગર હાઇવે ઉપર રોકડિયા હનુમાનજીના મંદિરે પ્રત્યેક શનિવાર સહિત મંગળવાર અને હનુમાન જયંતીના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે સ્વયંભુ હનુમાનજીના ભક્તોની ભરપૂર આસ્થા શ્રદ્ધા દાદાથી જોડાયેલી છે. સ્વયંભૂ હનુમાનજીના ભક્તોની માનતા પૂર્ણ થવાના કેટલાય ઉદાહરણ મંદિરમાં મળી રહે છે, એવા પણ દર્શનાર્થીઓ છે જે વર્ષોથી રોકડિયા હનુમાનજીના દર્શને આજે પણ નિયમિત આવી રહ્યા છે. રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન દાદા ની કૃપાના કેટલાય ઉદાહરણો જોવા મળે છે અહીં અશક્ય ગણાતા હૃદય રોગને જડમૂળથી દૂર કરવા માટે હનુમાન દાદાના દર્શન થકી આજે છેલ્લા કેટલાય વર્ષોથી નીરોગી સ્વાસ્થ્ય મેળવનારા ભક્તો જોવા મળી રહ્યા છે.

રોકડિયા હનુમાન મંદિરે રણકતા રૂપિયા જેવો હિસાબ

કોઈપણ મંદિર કે આસ્થાની જગ્યા ઉપર રૂબરૂ જવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે ત્યારે રોકડિયા હનુમાન મંદિર હનુમાન દાદા આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે..હિંમતનગર ઇડર સહિત આસપાસના વિસ્તારો અને જિલ્લાઓ સહિત વિદેશના ભક્તજનો રોકડિયા હનુમાન મંદિરે પોતાની માનતાઓ પૂર્ણ કરવા આવી રહ્યા છે અને વિદેશમાં ગયેલા ભક્તજનો પણ દુઃખ દર્દ અને પીડાઓ રોકડિયા હનુમાન મંદિરના દર્શને આવી દૂર કરે છે. રોકડિયા હનુમાન મંદિરે રણકતા રૂપિયા જેવો હિસાબ જોવા મળે છે અહીં માત્ર દર્શન તેમજ કોઈપણ માનતા માની હોય તો વધુમાં વધુ ત્રણથી ચાર શનિવાર દર્શન કરવાથી કોઈ પણ પ્રકારની માનતા પૂર્ણ થતી હોય છે ત્યારે રોકડિયા હનુમાન દાદાની કૃપા સમગ્ર માનવજાત માટે સબળ અને સરળ બની તે આજના યુગની જરૂરિયાત છે.

You Might Also Like

ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા

ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?

‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ

મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય

TAGGED: Dev Darshan, gujarti news, Idar Himmatnagar Highway, Lord Hanuman, oneindia, Rokadia Hanumanji, Rokadia Hanumanji Temple, topnews, Vaktapur, રોકડિયા હનુમાનજી, વક્તાપુર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
Next Article જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા
Gujarat મે 17, 2025
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
Gujarat મે 17, 2025
ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?
Gujarat મે 17, 2025
‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?