click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા આગામી ૮ મી એપ્રિલથી ૮ મી મે એક મહિનો ચાલશે : આ પરિક્રમામાં નર્મદા જિલ્લામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો પદ યાત્રામાં જોડાય છે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા આગામી ૮ મી એપ્રિલથી ૮ મી મે એક મહિનો ચાલશે : આ પરિક્રમામાં નર્મદા જિલ્લામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો પદ યાત્રામાં જોડાય છે
GujaratNarmada

માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા આગામી ૮ મી એપ્રિલથી ૮ મી મે એક મહિનો ચાલશે : આ પરિક્રમામાં નર્મદા જિલ્લામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો પદ યાત્રામાં જોડાય છે

નર્મદા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની આગેવાનીમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના વૈકલ્પિક રૂટનું નિરીક્ષણ કરાયું

Last updated: 2024/03/29 at 5:52 પી એમ(PM)
One India News Team
Share
6 Min Read
SHARE

પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી

શહેરાવ-તિલકવાડા વચ્ચે નદી પર હંગામી ધોરણે કાચો પુલ બનાવવા નર્મદા જળ સંપત્તિ વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ : શ્રદ્ધાળુઓ પુલ પરથી પગપાળા ચાલીને નદી પાર કરી શકશે

રામપુરા રણછોડરાયના મંદિરથી પરિક્રમા શરૂ થશે પરિક્રમા પથ પર આગળ વધી પુન: પરત રામપુરા કીડી મકોડી ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી શકશે

રાજપીપલા,શુક્રવારઃ- નર્મદા જિલ્લામાં આગામી તા. ૮ મી એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ, એક મહિના સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા. ૨૮મી માર્ચ, ગુરૂવારના રોજ કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આગેવાનીમાં સમગ્ર પરિક્રમા વૈકલ્પિક રૂટનું સંયુક્ત ટીમ દ્વારા નિરીક્ષણ ગઇકાલે કરવામાં આવ્યું હતું.

પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે કલેકટરશ્રીએ તિલકવાડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે પરિક્રમા સબંધિત બેઠક યોજી પરિક્રમા સંદર્ભે કેટલીક મહત્વની બાબતો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ પરિક્રમા રૂટ ઉપર તિલકવાડા તરફના ઘાટ ખાતે પહોંચી સ્થાનિક આગેવાનો, સાધુસંતો સાથે ચર્ચા કરી જરૂરી વિગતો મેળવી હતી. પરિક્રમાવાસીઓને સુગમતા-સલામતી રહે તે બાબતે ભાર મુકાયો હતો. વધુમાં નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા શહેરાવ અને તિલકવાડા વચ્ચે હંગામી કાચો પુલ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી શરતોને આધિન આપી હોય ત્યાં પુલ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા બનશે. તે અંગે પણ માહિતી મેળવી તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સબંધિતોને જરૂરી સૂચનો કર્યા હતા. આ હંગામી કાચો પુલ બનતા શ્રદ્ધાળુઓ ચાલીને નદી પાર કરી શકશે.

તિલકવાડાથી પરિક્રમા પથ ઉપર પસાર થઈ રેંગણ ગામ પાસે આવેલા કીડી મંકોડી ઘાટ ખાતે નાવડીના સંચાલન અંગે નિરીક્ષણ કરી જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. પરંતુ નદીમાં પાણી ઉંડુ અને મગરની મોટી માત્રાના કારણે નદીમાં જોખમ રહેતું હોય છે અને શ્રધ્ધાળુઓની સંખ્યા હજારોની માત્રામાં આવતી હોય છે. જે યાત્રાળુઓ માટે હોડીઓ મારફત વહન-આવન-જાવન કરવું મૂશ્કેલ બને છે અને કોઇ પણ જાતની ડિઝાસ્ટરની ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ત્રીજા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા નિર્ધારીત કરાઇ છે. આ વેળાએ સ્થાનિક અગ્રણીઓ અને આસપાસના આશ્રમના સાધુ સંતો પણ જોડાયા હતા.

રામપુરા- કીડી મંકોડી-રેંગણ ઘાટ વચ્ચે નાવડી ચલાવવાની મંજૂરી ન મળે તો તેવા સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા કીડી મકોડી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરશે. તે માટેના રૂટનું નિરીક્ષણ ગઇકાલે સાંજે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રામપુરા ખાતે શ્રદ્ધાળુઓના વાહનોના પાર્કિંગ સુવિધા, ટ્રાફીક અંગે પણ નિરીક્ષણ કર્યું હતું.

ઉત્તરવાહિની નર્મદા પરીક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે. ત્રીજા વૈકલ્પિક રૂટમાં થોડું અંતર વધારે કાપવાનું રહે છે. પણ તે સલામતી-સાવધાની માટે જરૂરી જણાય છે. તેમાં સૌએ સહયોગ આપવા અપિલ કરાઇ હતી અને યાત્રા સુખરૂપ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તેમાં અમે પુરેપુરો સહયોગ કરીશું, તેમ જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતુ.

મા નર્મદાની પરિક્રમા શાંતિ પૂર્ણ માહોલમાં આરંભાય અને પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા, બેરીકેટીંગ, સાઇન બોર્ડ, છાયડાની વ્યવસ્થા, ચેંજીગ રૂમ, મોબાઇલ ટોયલેટ, કંટ્રોલ રૂમ, પીવાના પણીની વ્યવસ્થા, સ્વૈચ્છીક સંગઠનો દ્વારા સેવાકેન્દ્રો વગેરે જેવી બાબતો ઉપલબ્ધ કરાવવા અંગે સ્થાનિક આગેવાનો સાધુસંતો સાથે પરામર્શ કરાયું હતું. અને પરિક્રમા રૂટ અંગેની માહિતી ક્યૂ આર કોડ દ્વારા જાણી શકાય તેવી વ્યવસ્થા અંગે પણ સૂચન કર્યુ હતુ. પરિક્રમાના નોડલ અધિકારી પણ નિયુક્ત કરાશે.

નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોય સરકાર કક્ષાએથી નિર્ણય થયે બોટ માટેનું આયોજન વિચારવાનું રહેશે. જેથી હાલના તબક્કે ત્રીજા વૈકલ્પિક રૂટ માટે નર્મદા પરિક્રમાના આયોજનમાં સૌએ સહકાર આપવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પરિક્રમાના રૂટ માટે અને પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ પણ બે બેઠકો યોજવામાં આવી હતી. નર્મદા નદી કિનારા અને ઘાટનું તથા પરિક્રમા રૂટનું નિરીક્ષણ પણ જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અને જિલ્લા વહિવટીતંત્ર આમાં પૂરતો સહયોગ આપી સહભાગી થશે.

આ મહત્વની પરિક્રમા આગામી ૮ એપ્રિલથી શરૂ થનાર છે. અને એક મહિનો ચાલશે તે પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા વૈકલ્પિક રૂટના નિરીક્ષણ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, સુપર ન્યુમિરી નાયબ કલેકટર સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાંદોદના પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી, નાંદોદ – તિલકવાડા ગરૂડેશ્વર તાલુકાના મામલતદારઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી, પોલીસ અને વનવિભાગના અધિકારીઓ જોડાયા હતા.

 

 

 

 

રિપોર્ટર-શૈશવ રાવ(નર્મદા)

You Might Also Like

વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિ યાત્રા

TAGGED: devotees, Narmada, Narmada Collector, Narmada District, Narmada news, narmada police, Narmada Uttaravahini Parikrama, Pada Yatra, Parikrama, Rampura

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 29, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતના નવા ફાઈટર જેટ Tejas MK-1Aની પહેલી ઉડાન સફળ, વધુ ઘાતક અને એડવાન્સ સિસ્ટમથી સજ્જ
Next Article નડિયાદના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર : હવે જાયન્ટ સ્ક્રીન્સ પર IPL ક્રિકેટનુ LIVE પ્રસારણ કરાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ
Gujarat જૂન 6, 2025
હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત
Gujarat જૂન 6, 2025
અમરનાથ યાત્રામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, હવે 52 નહીં 38 દિવસ જ કરી શકશો બાબા બર્ફાનીના દર્શન
Gujarat જૂન 6, 2025
‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?