હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો મળીને પણ તેને જીતી ના શકે. જોકે, માત્ર તાકાતથી જ કશું નહીં થાય. સાથે સદ્ગુણ અને ધર્મનિષ્ઠા પણ જરૂરી છે. શક્તિની સાથે નૈતિક્તા ન હોય તો તે આંધળી તાકત બની શકે છે, જેનાથી હિંસા ફેલાઈ શકે છે.
મોહન ભાગવતનું નિવેદન: સુરક્ષા માટે સ્વશક્તિ જરૂરી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત સંઘના મુખપત્ર “ઓર્ગેનાઈઝર”માં પ્રગટ થયેલી મુલાકાતમાં સ્પષ્ટ કર્યો કે ભારતની સરહદો પર દુશ્મનો સક્રિય છે અને આપણે હવે મજબૂરીમાં નહિ, પણ નિર્ણયપૂર્વક શક્તિશાળી બનવાની જરૂર છે.
તેમણે કહ્યું કે ભારતની એકતા હિન્દુ સમાજની સુરક્ષા માટે અવશ્યક છે, કારણ કે હિન્દુ સમાજ અને ભારતના ગૌરવ વચ્ચે અવિચ્છિન્ન સંબંધ છે. જો હિન્દુ સમાજ મજબૂત થશે, તો જ વિશ્વમાં ભારતનું ગૌરવ સ્થાપિત થઈ શકે.
સંઘની પ્રાર્થનાની પંક્તિ “અજેયં ચ વિશ્વસ્ય દેહિ મે શક્તિ“ને સંદર્ભે તેમણે સમજાવ્યું કે સફળતા માટે માત્ર બળ પૂરતું નથી, તેને ધર્મ અને નૈતિકતા સાથે સંકલિત કરવી પડે. બિનદિશાસૂચક બળ હિંસક બને છે, જ્યારે ધર્મસંકેત સાથે જોડાય તો તે રક્ષણ આપે છે.
વિશ્વમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે પણ મોહન ભાગવતે ચિંતાની લાગણી વ્યક્ત કરી. તેમણે બાંગ્લાદેશના હિન્દુઓનો ઉલ્લેખ કર્યો કે હવે તેઓ પણ કહે છે: “અમે ભાગીશું નહીં, પરંતુ લડીશું.”
તેમનું મુખ્ય સંદેશ છે કે ભારતની સાંસ્કૃતિક, નૈતિક અને શારીરિક શક્તિનું સંકલન આજની સૌથી મોટી જરૂરિયાત છે, અને તેના થકી જ “શાંતિ, સ્વાભિમાન અને સ્થિરતા” સુનિશ્ચિત કરી શકાય છે.
સરસંઘચાલક મોહન ભાગવતના તાજેતરના નિવેદનમાં સંઘના દૃષ્ટિકોણ અને ભારત માટેના ભવિષ્યદ્રષ્ટિ સંકલ્પને ખુબ સ્પષ્ટતા અને ઊંડાણથી રજૂ કરવામાં આવ્યો છે. તે મુજબ, આગામી ૨૫ વર્ષો માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો મુખ્ય સંકલ્પ છે — આખા હિન્દુ સમાજને એકીકૃત કરવો અને ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવવો.
ભાગવતજીએ હિન્દુ સમાજને અનુરોધ કર્યો કે તેઓ પોતાના અંગત, કુટુંબજીવન, સમાજજીવન અને વ્યવસાયિક જીવનમાં હિન્દુ મૂલ્યોને સ્થાપિત કરે — જેમ કે સત્ય, કરુણા, પવિત્રતા અને તપસ્યા. તેમના મતે, કૃષિ, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્રાંતિઓ પછી હવે વિશ્વને એક ધાર્મિક (આધ્યાત્મિક) ક્રાંતિની જરૂર છે.