મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના દરિયાકાંઠે શંકાસ્પદ બોટ જોવા મળતાં તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાક્રમ રવિવાર (6 જુલાઈ, 2025)ના રોજ થયો હતો, જ્યારે ભારતીય નૌકાદળના રડાર સિસ્ટમ પર એક શંકાસ્પદ બોટ કાંઠા નજીક ધ્રષ્ટિગોચર થઈ હતી. ઘટના સામે આવતાની સાથે જ રાયગઢ પોલીસ, ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમો તત્કાળ એલર્ટ પર આવી ગઈ અને બોટને શોધવા માટે દરિયામાં વિશાળ પેમાને શોધખોળ શરૂ કરી. જો કે, રવિવારની બપોર સુધી બોટનું કોઈ અસ્તિત્વ નજરે ન પડ્યું.
સોમવારે ફરીથી શોધખોળના પ્રયત્નો વધારે તેજ કરાયા, જેમાં હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી અને સમગ્ર દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું. રેવદાંડા કાંઠેથી આશરે બે નોટિકલ માઈલ દૂર કોરલઈ નજીક બોટની હાજરી પહેલા જણાઈ હતી, પણ તે બાદથી તેનો પત્તો લાગતો ન હતો. સુરક્ષા એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે તે બોટ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હોઈ શકે છે અથવા તો મछલી પકડતી પાકિસ્તાની બોટ પણ હોઈ શકે છે, જે પછીથી ઊંડા દરિયામાં વિલીન થઈ ગઈ હોય.
Raigad, Maharashtra: The Coast Guard and Raigad police are searching for an unidentified boat last seen near Korlai Fort, Alibag Revdanda. Despite extensive sea searches since morning, the boat remains untraced, prompting plans to deploy a helicopter for continued search efforts pic.twitter.com/BIWln0Ag6u
— IANS (@ians_india) July 7, 2025
જ્યારે આ બોટ નૌકાદળના જવાનોના રડારમાં ઝડપાઈ હતી, ત્યારે તે બિનમનુષ્ય સંચાલિત અથવા નિર્ધારિત માર્ગ વગર ફરી રહી હતી, જેના કારણે તેની હલચલ શંકાસ્પદ લાગતાં તત્કાલ એલર્ટ જાહેર કરાયો હતો. હાલ સુધી બોટની પુષ્ટિ થતી નથી કે તે પાકિસ્તાનમાંથી આવી હતી કે અન્ય કોઈ દેશમાંથી, પરંતુ તેની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક બની ગઈ છે.
આ ઘટના સંદર્ભે રાયગઢ પોલીસએ સ્થાનિક માછીમારો અને ગામલોકોને પણ ચેતવણી આપી છે કે કોઈ અજાણી બોટ કે શંકાસ્પદ ચળવળ જોવામાં આવે તો તરત તંત્રને જાણ કરવામાં આવે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને મલ્ટી એજન્સી તપાસ હાથ ધરાઈ છે અને દરિયાકાંઠે સુરક્ષાને વધારવામાં આવી છે. 26/11ના Mumbai Terror Attack બાદ ભારતીય દરિયાકાંઠાની સુરક્ષા અત્યંત ગંભીર વિષય બની છે અને તેથી જ શંકાસ્પદ બોટના સંકેતે સમગ્ર તંત્ર એલર્ટ પર આવી ગયું છે.