પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ પ્રવાસને લઈ ગુજરાત આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ અહીંથી સેલવાસ પહોંચ્યા છે. સેલવાસમાં પ્રધાનમંત્રી મોદીએ નમો હોસ્પિટલનું લોકાપર્ણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે દિવ દમણના પ્રસાશક પ્રફૂલ પટેલ પણ હાજર રહ્યા હતા. સેલવાસમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નમો હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યું છે.
#WATCH | Silvassa, Dadra and Nagar Haveli: Prime Minister Narendra Modi inaugurates the first phase of the NAMO Hospital.
(Source – ANI/DD) pic.twitter.com/RgvBtwZu5j
— ANI (@ANI) March 7, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં ટોય ગાર્ડન અને નાઈટ માર્કેટનું ઉદ્ઘાટન કર્યું છે, જે સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહિત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કુલ ₹2,587 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, પ્રધાનમંત્રીએ સાયલી ખાતે જાહેર સભાને સંબોધિત કરી હતી અને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે, દમણમાં નાઈટ માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક આકર્ષણમાં વધારો કરશે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ દીવમાં નવા સર્કિટ હાઉસના મકાનનું પણ ઉદ્ઘાટન કર્યું છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકોને વધુ સુવિધાઓ પ્રદાન કરશે. આ વિકાસ કાર્યો દમણ અને દીવના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપશે અને સ્થાનિક આર્થિક વિકાસમાં યોગદાન આપશે.
પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટેનું છે, જેમાં સુરત, નવસારી અને સેલવાસ જેવા સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ નોંધપાત્ર છે.
વિશાળ જનસભાને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી મોદી સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી મોદી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સહભાગી થશે અને લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. તેઓ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી સર્ટિફિકેટથી સન્માનિત પણ કરશે.
લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો
પ્રધાનમંત્રી મોદી સુરત એરપોર્ટથી સીધા સેલવાસા જશે. સેલવાસાથી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલીપેડ પહોંચશે. પીએમ મોદી પર્વત પાટિયાથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો યોજશ. સાંજે 5 વાગ્યે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી મોદી જાહેર સભાને સંબોધશે. અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. 8 માર્ચ શનિવારે સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે.