ધોળકા પાસેનાં રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા યોજાયેલ છે. ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે બરફનાં શિવલિંગ દર્શન લાભ મળ્યો છે.
નાનકડા રામપુરા ગામમાં રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા વિધિ થઈ રહેલ છે. અહીંયા ભાવિક યજમાનો દ્વારા યજ્ઞ પૂજન વિધિ થઈ રહી છે.
ધોળકા પાસેનાં આ રામપુરા ગામમાં ભક્તિભાવ સાથે થયેલ આયોજનમાં મફા ભગત, ભૂરા ભગત વગેરે ધાર્મિક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેતાં ભાવભેર સામૈયા કરવામાં આવ્યાં હતાં.
ત્રિદિવસીય રામેશ્વર મહાદેવ પુનઃ પ્રતિષ્ઠા યોજાયેલ છે આ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વાનંદ માતાજી અને હબીબ માડીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેઓએ તેમનાં ઉદબોધનમાં આ સત્કાર્યને બિરદાવી સૌનાં ઉપર ભગવાન શિવજીનાં આશિષ રહેશે તેમ ભાવ વ્યક્ત કર્યો.
શિવજીનાં આ પ્રસંગે ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે બરફનાં શિવલિંગ દર્શન લાભ મળ્યો છે, જેની આરતી વંદના કરવામાં આવી હતી.
શાસ્ત્રી સતીશભાઈ જોષી અને ભૂદેવો દ્વારા આ વિધિ થઈ રહી છે. અગ્રણી ભિખાભાઈ મીર અને સૌ દાતા પરિવારજનો ખૂબ ભાવ અને ઉત્સાહથી જોડાયેલાં છે.