click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે
Gujarat

ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે

સામાન્ય ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે મંથન શરૂ

Last updated: 2024/01/10 at 1:01 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

નવી દિલ્હી ભાજપે લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે મંથન શરૂ કર્યું છે. ‘મોદીની ગેરન્ટી’ના સૂત્રના સહારે પક્ષ વિજય નિશ્ચિત કરવા માટે માત્ર 2 ટકા જેટલું જ હાર-જીતનું અંતર રહ્યું હતું એ 48 બેઠક પર કદાવર નેતાઓને ઉતારવાની યોજના ઘડી રહ્યો છે. બીજી તરફ 35-52 ટકાથી વધુના અંતરથી જીતેલી બેઠકો પર નવા ઉમેદવારોને તક અપાશે. ગત ચૂંટણીમાં 0.2થી 1.91 ટકા સુધી કુલ 48 લોકસભા બેઠકો પર પક્ષની હાર-જીત થઈ હતી. તેમાં ઉત્તરપ્રદેશની 10 બેઠક પરથી ભાજપ જીત્યો હતો. 48માંથી 27 બેઠક પરના ઉમેદવારો 1 ટકાથી ઓછા અંતરે ચૂંટણી જીત્યા હતા જ્યારે જીતનું 35 ટકાથી વધુ અંતર ધરાવતી 50માંથી 40થી વધુ બેઠક ભાજપે જીતી હતી. ભાજપના ચૂંટણી અભિયાન સાથે સંકળાયેલા નેતાના કહેવા પ્રમાણે ઓડિશા, તમિળનાડુ, તેલંગાણા, આસામા અને બંગાળ વગેરે રાજ્યોમાં આ ‌વખતે કદાવર નેતાઓને ઉતારાશે. ઉત્તરપ્રદેશ-બિહારની કેટલીક બેઠકો પર પણ એ જ પ્રયોગ કરાશે. મહારાષ્ટ્ર-બિહારમાં રાજકીય સમીકરણ આંકડાની દૃષ્ટિએ અઘરું જોવાઈ રહ્યું છે, આથી અહીં વધુ અંતરથી જીતેલી અડધો ડઝન બેઠકો પર મજબૂત ઉમેદવાર ઉતારાશે.

Contents
40 બેઠક પરનો ફેરફાર મોટું પરિવર્તન લાવી શકે છેહાર-જીતનું ક્યાં-કેટલું અંતર હતું?5 રાજ્યની 188 બેઠક પર સંમતિ શક્ય

40 બેઠક પરનો ફેરફાર મોટું પરિવર્તન લાવી શકે છે

2019માં ભાજપે 303 બેઠક જીતી હતી. 240 બેઠક અન્ય પક્ષ જીત્યા હતા. તેમાંથી કેટલીક બેઠકો એનડીએ, કેટલીક યુપીઓ તો કેટલીક અન્ય પક્ષોની હતી. પરિણામે 40 બેઠક પરનો ફેરફાર મોટું પરિવર્તન લાવી શકે છે. આ હિસાબે 2%થી ઓછા માર્જિનવાળી 48 બેઠક મહત્ત્વની બની જાય છે. બિહારમાં નીતીશવિરોધી જૂથમાં ભળી ગયા છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપીના બે ફાડચા થઈ ગયા છે. હિન્દી પટ્ટો અને ગુજરાતમાં ભાજપ મહત્તમ બેઠકો મેળવી ચૂક્યો છે. જે બેઠકો પર 35%થી વધુ ટકાવારીથી જીતી છે તેમાંથી 42 ભાજપ પાસે છે.

હાર-જીતનું ક્યાં-કેટલું અંતર હતું?

  • મછલીશહર, મેરઠ, શ્રાવસ્તી, મુઝફ્ફરનગર, સહારનપુર, બદાયૂં, બલિયા, સુલતાનપુર, ચન્દ્રૌલી, કન્નોજ જેવી બેઠકો પર હાર-જીતનું અંતર 2 ટકા (લગભગ 17 હજાર કે ઓછા મત) હતું.
  • એલ્લપી, ઝારગ્રામ, સંબલપુર, વેલ્લોર, મલ્કાગિરી, વિજયવાડા, અંદામાન-નિકોબાર, માલદા દક્ષિણ, રોહતક, કાંકેર, ઝાહિરાબાદ, શ્રીકાકુલમ્, ભોંગીર, ઔરંગાબાદ, વિશાખાપટ્ટનમ્, ગુંટુર, ચિદમ્બરમ્, ઝહાનાબાદ, ચામરાજનગર વગેરે બેઠકો પર જીત 1 ટકાથી વધુ મતે થઈ હતી.
  • ભાજપ 24 બેઠક પર 35 ટકાથી વધુ અને 40 ટકાથી 49 ટકા સુધીના માર્જિનથી જીત્યો હતો. નવસારી, સુરત અને કરનાલમાં જીત 50 ટકાથી વધુ મતમાર્જિનથી થઈ હતી.

5 રાજ્યની 188 બેઠક પર સંમતિ શક્ય

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના પક્ષોમાં બેઠક ફાળવણી મુદ્દે મહામંથનનો તબક્કો ચાલી રહ્યો છે. પંજાબ અને દિલ્હીની 20 બેઠક પર સંમતિની નજીક પહોંચ્યા પછી કૉંગ્રેસે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની 168 બેઠકનું ગણિત બેસાડવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સૌથી રસપ્રદ તબક્કો યુપીની 80 બેઠકનો છે. કૉંગ્રેસે ભાજપના ઉમેદવાર સામે વિપક્ષના સશક્ત ઉમેદવાર ઉતારવાનું બીડું ઝડપ્યું છે. વાતચીતના સૂત્રધારો પૈકીના એકે ભાસ્કરને જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપને મજબૂત ટક્કર આપવા માટે બસપાને સાથે રાખવો જરૂરી છે. વાતચીત 80માંથી 76 બેઠકે પહોંચી છે.

4 બેઠક ગાંધી પરિવાર માટે છે. આ વખતે વરુણ અને મેનકા ગાંધી પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં નહીં હોય તેવી ધારણા વિપક્ષી જૂથે બાંધી છે. આ સ્થિતિમાં રાયબરેલી, અમેઠી ઉપરાંત પીલીભીત અને સુલતાનપુર ઉપર પણ સામૂહિક નિર્ણયો લેવા પડશે. બાકીની બેઠકો માટે સપા સાથે કૉંગ્રેસ વાતચીત કરશે. સૂત્રોના કહેવા પ્રમાણે કૉંગ્રેસ અને બસપાને સાથે નહીં રખાય તો ત્રિકોણિયો જંગ ખેલાશે અને ભાજપનો માર્ગ મોકળો બની જશે. સપા કોઈ પણ રીતે બસપા સાથે વાતચીત કરવાના મૂડમાં નથી. આ સ્થિતિમાં કૉંગ્રેસે બસપાની સાથે મળીને સપા સાથે બેઠકોનો સોદો કરવાની રણનીતિ ઘડી છે. એટલે કે કૉંગ્રેસે માત્ર પોતાના માટે જ નહીં રાષ્ટ્રીય લોકદળ અને બસપા માટે પણ બેઠક માગવાની ફોર્મ્યૂલા ઘડી છે.

બિહાર રાજદ-જદયુને 16-16 બેઠક બિહારમાં બેઠક ફાળવણીમાં સફળતા મળ્યાના સમાચાર છે. રાજ્યની 40માંથી રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ (યુ)ને 16-16 બેઠક મળી શકે છે જ્યારે કૉંગ્રેસ અને ડાબેરી જૂથોને 8 બેઠક પર ચૂંટણી લડવા માટે સહમતી જોવાઈ રહી છે.

મહારાષ્ટ્ર કૉંગ્રેસ-શિવસેના 20-20 બેઠક પર લડશે લોકસભામાં 48 સભ્ય મોકલનારા મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને શિવસેનાને 20-20 અને એનસીપી તથા અન્યને 8 બેઠક મળી શકે છે.

દિલ્હી-પંજાબ કૉંગ્રેસ-આપને અડધી-અડધી બેઠકો દિલ્હી-પંજાબની 20માંથી કૉંગ્રેસ અને આપને અડધી-અડધી બેઠકો મળી શકે છે. પંજાબમાં કૉંગ્રેસ 6-7 જ્યારે દિલ્હીમાં આપ 3-4 બેઠક પર ચૂંટણી લડશે.

You Might Also Like

રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫” પ્રકાશિત

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર

હવે સરળતાથી નહીં મળે બ્રિટિશ નાગરિક્તા, PM સ્ટાર્મરે નવી નીતિ કરી જાહેર, જાણો

‘બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા’, ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય

ઓપરેશન સિંદૂર’માં ભારતને સ્પેસ માંથી કેવી રીતે મળી મદદ?, જાણો ડિટેઈલ

TAGGED: @bjpindia, BJP, bjp goverment, bjp gujart, BJP leaders, current affairs, currentaffairs, currentnews, localnews, localnewsgujarat, localnewsingujarati, localnewsnewsingujarat, oneindia, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, topnews, topnewschannel, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 10, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભૂમેલ ગામે નફાકારક પશુપાલન વ્યવસાય અંગે શિબિર યોજાઈ
Next Article 85 વર્ષનાં માજીએ 31 વર્ષથી રામમંદિર માટે મૌન પાળેલું,22 જાન્યુઆરીએ તોડશે; અયોધ્યામાં મૌની માતા તરીકે પ્રખ્યાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫” પ્રકાશિત
Gujarat Narmada મે 13, 2025
PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત
મે 13, 2025
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ, આતંકી સંગઠનનો કમાન્ડર ઠાર
Gujarat મે 13, 2025
હવે સરળતાથી નહીં મળે બ્રિટિશ નાગરિક્તા, PM સ્ટાર્મરે નવી નીતિ કરી જાહેર, જાણો
Gujarat મે 13, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?