એક પુત્રી જે ટેનિસ ખૂબ સારી રીતે રમી હતી. એક ઉભરતી સ્ટાર હતી. તેના ભવિષ્યની અસંખ્ય તકો હતી, સફળતાની તક હતી. જો કે આ બધું ફક્ત 5 ગોળીમાં સમાપ્ત થઈ ગયું. પિતાએ પોતાની પુત્રીને પોતાના હાથે જ ગોળી મારી દીધી. પિતા દીપક યાદવે પોતાની પુત્રી રાધિકા યાદવને સતત પાંચ ગોળીઓથી મારી નાખી! તેણે આ નિર્ણય કેમ લીધો, તેના જવાબથી પોલીસ દંગ રહી ગઈ છે.
25 વર્ષ સુધી પાલન પોષણ અને હવે હત્યા
ઉભરતી ટેનિસ ખેલાડી રાધિકા યાદવ (25 વર્ષ) નો લોહીથી લથપથ મૃતદેહ ગુરુવારે તેના ગુરુગ્રામના ઘરમાંથી મળી આવ્યો હતો. રાધિકા ભોજન બનાવી રહી હતી, ત્યારે તેના પિતા દીપક યાદવે (49) પાછળથી તેને પાંચ ગોળીઓ મારી. તેમની પુત્રીના મૃત્યુ પછી, તેમણે પોલીસને જણાવ્યું કે લોકોના ટોણાના કારણે તેમણે આ પગલું ભર્યું.
નેશનલ લેવલની ખેલાડી હતી રાધિકા
રાધિકા રાજ્ય સ્તરે ટેનિસ રમતી હતી. તાજેતરમાં જ તેમને ખભામાં ઈજા થઈ હતી અને કોર્ટ પર રમવાની સ્થિતિમાં નહોતી. રાધિકાએ પોતાની પહેલ પર બાળકો માટે ટેનિસ એકેડેમી ખોલી હતી. તે ત્યાં બાળકોને ટેનિસ શીખવતી હતી, પરંતુ તેના પિતાએ અચાનક એકેડેમી બંધ કરી દીધી હતી.
Gurugram Tennis Player murder case | Gurugram Police will produce deceased Radhika's father, Deepak before a Gurugram court around 2 PM today.
(In pic – accused Deepak; pic source: Gurgram Police) pic.twitter.com/SOMqSXy9jI
— ANI (@ANI) July 11, 2025
શું માત્ર લોકોના ટોણાના કારણે એકની એક દીકરીની હત્યા કરી ?
દીપકનો દાવો છે કે લોકો તેમની પુત્રીની કમાણી પર તેના જીવવા બદલ તેમને ટોણા મારતા હતા. તે કહે છે, “જ્યારે હું વઝીરાબાદમાં દૂધ લેવા જતો હતો, ત્યારે લોકો મારી પુત્રીની કમાણી પર જીવવા બદલ મને ટોણા મારતા હતા. હું ખૂબ જ નારાજ હતો. કેટલાક લોકોએ મારી પુત્રીના ચારિત્ર્ય પર પણ સવાલ ઉઠાવ્યા. મેં તેણીને ટેનિસ એકેડેમી બંધ કરવા કહ્યું, પરંતુ તેણીએ ના પાડી.”
દીપકે પોલીસને વધુમાં જણાવ્યું, “આ શબ્દો મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડતા હતા. હું ખૂબ જ તણાવમાં હતો. તેથી મેં મારી લાઇસન્સવાળી રિવોલ્વર કાઢી, રાધિકા તે સમયે રસોઈ બનાવી રહી હતી. મેં ઘણી ગોળીઓ ચલાવી, જે તેની કમરમાં વાગી. મેં મારી પુત્રીને મારી નાખી.”
રાધિકાની માતા મંજુ દેવીએ લેખિત નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. પોતાના મૌખિક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે તેમની તબિયત સારી ન હતી. તાવને કારણે તેઓ ઉપરના માળે ગયા હતા. બીજી તરફ રાધિકાના કાકા કુલદીપ યાદવે જણાવ્યું હતું કે સવારે લગભગ 10:30 વાગ્યે કેટલાક મોટા અવાજો સાંભળીને તેઓ નીચે દોડી ગયા હતા. તેમણે રાધિકાને લોહીથી લથપથ જમીન પર પડેલી જોઈ અને તેની પાસે એક બંદૂક પણ હતી. તેના માતા-પિતા સામે ઉભા હતા.
રાધિકાના કાકા અને પિતરાઈ ભાઈ તેને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. રાધિકાના પિતરાઇ ભાઇએ કહ્યુ કે તે હજુ પણ સમજી શક્યો નથી કે તેના કાકાએ તેની એકમાત્ર પુત્રીને કેમ મારી.