click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ – વિશાલ ભાદાણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ – વિશાલ ભાદાણી
BhavnagarGujarat

હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ – વિશાલ ભાદાણી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા દ્વારા 'સુખ અને આનંદ' પરિસંવાદમાં માણી સૌએ મોજ

Last updated: 2024/09/02 at 12:43 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા દ્વારા ‘સુખ અને આનંદ’ પરિસંવાદમાં મહાનુભાવોનાં વક્તવ્યોમાં સૌએ મોજ માણી. અહીંયા સમાપન ઉદ્બોધન કરતાં વિશાલ ભાદાણીએ કહ્યું કે, હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ છે.

‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદમાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો દ્વારા વ્યક્તિગત નિચોડ રૂપે ચિંતન સભર અનુભવ જાણવાં મળ્યાં અને સૌએ અહીંયા મોજ માણી છે.

પરિસંવાદ સમાપનમાં મુખ્ય વક્તા રહેલ લોકભારતી વિશ્વવિદ્યાલયનાં વિશાલ ભાદાણીએ પોતાની મૂક્ત જીવનશૈલીનો ઉલ્લેખ કરી પોતે મોજમાં રહ્યાનું જણાવી આનંદ અને સુખ માટે વૈશ્વિક વિચારો પ્રકાશનો સાથે તાજેતરમાં દુનિયામાં ચાલતી યુધ્ધ સ્થિતિ અંગે સંવેદના ટકોર કરી કહ્યું કે મારી ચામડીનો વિસ્તાર થાય એટલે કે હું તરીકે સમાજમાં ફેલાય ત્યારે સુખ બાદ આનંદ પ્રાપ્ત થાય છે. સારરૂપ વાત કરતાં કહ્યું કે, હાથ પગ હલાવતાં મળે તે સુખ અને તે સ્થિર થતાં જે પ્રસન્નભાવ મળે તે આનંદ છે.

સુખ અને આનંદ વિશે સ્વાનુભવો વ્યક્ત કરતાં મહાનુભાવોમાં પર્યાવરણ નિષ્ણાંત ઈન્દ્રભાઈ ગઢવીએ પોતાનો રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે વ્યવસાય અને શોખ બંને પોતાને મળ્યું છે. ભૌતિક સુવિધાથી સુખ મળે છે. પોતાને શોખ પૂરો કરવાની તક મળી તે આનંદ છે તેમ ઉમેર્યું.

નંદકુંવરબા મહિલા વિદ્યાલયનાં રવીન્દ્રસિંહ સરવૈયાએ કહ્યું કે, સુખમાં ભૌતિક એ ક્ષણિક છે, આધ્યાત્મિક એ શાશ્વત છે. એક બીજાને વહેંચતાં રહેવામાં પોતાને આનંદ મળી રહ્યાનું જણાવ્યું.

પત્રકાર જયેશ દવેએ સુખ અને આનંદ માટે ભૌતિકવાદ સાથે અધ્યાત્મને જોડવાં વાત કરી આપણો મૂળ સ્વભાવ તો આનંદનો જ હોવાનું કહ્યું.

પરિસંવાદમાં નિર્મોહીબહેન ભટ્ટે પોતાની કાર્યશૈલી સાથે વાત કારી કે, બધું મળ્યાં પછી, બધાં સાથે તાદાત્મ્ય સાધીને જે પ્રાપ્ત થાય તે આનંદ રહેલો છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં અગ્રણી હસમુખભાઈ પટેલ દ્વારા તો પોતાનાં જન્મથી જ આનંદ રહ્યાનું જણાવી નાનાભાઈ ભટ્ટ તથા અજવાળીબા પાસે ખોળામાં રમવાનો લ્હાવો લીધાનું જણાવી વિજ્ઞાન અને જ્ઞાન સાથે ખેતીવાડી ઉદ્યોગ અને સંસ્થાઓનાં અનુભવો વર્ણવ્યાં.

અહીંયા તબીબ મહેક મહેતાએ પોતાનાં માતાનાં આલિંગનની અનુભૂતિ સાથે પરિવારને લોહી નહિ પરંતુ હૈયાનાં સંબંધની વ્યાખ્યામાં સાંકળી મૂળ તત્વ તરફની યાત્રા એ જ આનંદ ગણાવી પોતાની અધ્યાત્મ અનુભૂતિ વર્ણવી.

આ પ્રસંગે માનવ જ્યોત સંસ્થા મુંબઈ પ્રકાશિત ‘ગુજરાતનાં વૃદ્ધાશ્રમો’ માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું.

પરિસંવાદમાં કેન્દ્રમાં રહેલ ‘યાત્રા : સુખ અને આનંદની’ નાં લેખક પ્રવીણચંદ્ર ઠક્કર અને શ્વેતાબેન જોષી દ્વારા વાચકોને નવી ઊર્જા મળ્યાનો સાનંદ ઉલ્લેખ થયો.

આ પ્રકાશન વિશે શ્વેતાબેન જોષીએ વાત કરતાં કહ્યું કે, ઈશ્વરનાં સ્રોત આનંદ સૌનાં પર વહેતો રહે તેવી લાગણી છે.

આ ઉપક્રમનાં અગ્રણી પ્રવીણચંદ્ર ઠક્કરે પોતાનાં, માનભાઈ ભટ્ટ તેમજ મનુભાઈ પંચોળીનાં જન્મદિવસ સાથે જોડાયેલાં હોવાનો તેમજ પર્યુષણ પર્વ અંગે આનંદ વ્યક્ત કરી પ્રકાશન અંગે વાત કરી. તેઓએ આત્મા તથા પરમાત્મા કેવા હશે ? આમ કહી મન, બુધ્ધિ અને આત્માનાં જોડાણથી આનંદ અને સંતોષ વિશે ઉમેર્યું કે, આનંદ માટે સ્વઅધ્યયન જરૂરી છે.

શિશુવિહાર સંસ્થાનાં મોભી નાનકભાઈ ભટ્ટે અહીંયાની ભૂમિ નિજાનંદની ગણાવી માનભાઈ ભટ્ટનાં સંવેદના શિક્ષણ અને જણાવી આ કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કર્યો.

પ્રારંભમાં દેવચંદભાઈ સાવલિયાએ સૌ મહાનુભાવોને મહેમાન નહિ પણ પરિવારનાં જ સભ્યો હોવાનું જણાવી આવકાર આપ્યો અને અહીંના પ્રકાશન તથા તે માટે કુલીનભાઈ લોટિયાનાં સહકાર વિશે માહિતી આપી.

જસ્મીનબેન મહેતા દ્વારા પ્રાર્થના ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી…’ ગાન સાથે પરિસંવાદ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પ્રવીણભાઈ ઠક્કરનાં જન્મદિવસ પ્રસંગે રાજુભાઈ દવે દ્વારા શુભેચ્છા ભેટ અર્પણ કરવામાં આવેલ.

સંચાલનમાં નરેન્દ્રભાઈ ધામેલિયા રહ્યાં હતાં. આભારવિધિ પ્રવિણાબેન વાઘાણી દ્વારા કરવામાં આવી. સંકલનમાં જયશ્રીબેન સાવલિયા સાથે શિશુવિહાર પરિવાર રહેલ.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-09-02-at-9.51.14-AM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-09-02-at-9.51.14-AM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-09-02-at-9.51.13-AM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-09-02-at-9.51.13-AM.mp4

You Might Also Like

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે “નાટક: દિકરી મારી લાજવાબ” યોજાયું

ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ

ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ

‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

TAGGED: 'Old Age Homes of Gujarat', Bhavnagar, Bhavnagar collector, bhavnagar news, bhavnager police, intellect and soul, mind, moving hands, oneindia, oneindianewsgujarat, Vishal Bhadani

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 2, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા જીલ્લામાં ભારે વરસાદ બાદ નુકશાન થયેલ રસ્તાઓની મરામત કરી તેને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલુ
Next Article સમગ્ર દેશમાં શરૂ થનાર સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લા ભાજપ રહેશે સક્રિય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે “નાટક: દિકરી મારી લાજવાબ” યોજાયું
Gujarat મે 19, 2025
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
Gujarat મે 19, 2025
નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ
Gujarat Kheda મે 19, 2025
ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ
Gujarat મે 19, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?