click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પર્યાવરણ સાથે સંકળાયેલું શ્રાધ્ધના કાગવાસનું વિજ્ઞાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પર્યાવરણ સાથે સંકળાયેલું શ્રાધ્ધના કાગવાસનું વિજ્ઞાન
Gujarat

પર્યાવરણ સાથે સંકળાયેલું શ્રાધ્ધના કાગવાસનું વિજ્ઞાન

પૂર્વજો કાગડા બનીને ક્યારેય આવતા નથી નવી પેઢી ધાર્મિક વિધીઓ અને માન્યતાઓ અંગે ખૂબ સવાલો કરે છે, પણ તેમને જવાબ આપવાને બદલે ચૂપ કરી દેવાય છે

Last updated: 2024/09/19 at 2:22 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ગણપતિના વિશાળ માંડવા આજે ભેંકાર બની ગયા છે. જે ટેન્ટમાં દસ દિવસ અને રાત ધમાલ ચાલી હતી તથા જ્યાં શ્રધ્ધાળુઓ દર્શનનો લ્હાવો લેવા લાંબી લાઇનોમાં ઊભા રહેતા હતા તે હવે ખાલીખમ થઈ ગયા છે.

સામાન્યપણે ધાર્મિક પ્રસંગોનો વહિવટ  કુશળ લોકો પોતાના હાથમાં રાખતા હોય છે. ક્યાંથી કેટલા પૈસાનું ડોેનેશન આવશે અને ડોેનેશન લેવા કોને મોકલવો તે આ ચતુર લોકો સારી રીતે સમજતા હોય છે. જોકે આ પ્રકારનાં ઉઘરાણાં શ્રાધ્ધના દિવસોમાં જોવા મળતાં નથી. શ્રાધ્ધ એ સાયલન્ટ તહેવાર છે. શ્રાધ્ધના દિવસેામાં અન્ય દિવસોની જેમ કોઇ ભીડભાડ કે ધક્કામુક્કી થતી નથી.  ગણપતિ બાપ્પાના દર્શન કરવા હજારો-લાખો લોકો જાય છે, પણ શ્રાધ્ધ પક્ષમાં માંડ એના પાંચ-દસ ટકા સંખ્યા લોકો વિધિઓ કરતા જોવા મળે છે.

દરેક તહેવાર પાછળ તર્ક અને વિજ્ઞાન હોય છે, પરંતુ તહેવારોની સાયન્ટિફીક સમજ નવી પેઢી સુધી પહોંચાડવામાં વડવાઓ નિષ્ફળ ગયા છે. પૂર્વજો માટે શ્રાધ્ધ કરવાથી તેમનો આત્મા તૃપ્ત થાય છે – આવી વાતોથી નવી પેઢી દૂર ભાગે છે.

ગુજરાતીઓ શ્રાધ્ધના ભોજનથી માહિતગાર છે. કુટુંબના બધા સભ્યો સાથે બેસીને પૂર્વજોની સ્મૃતિમાં બાસુંદીના સબડકા લગાવતા જાય અને જુની વાતો યાદ કરતા જાય ત્યારે  સાથે બેઠેલી નવી પેઢીને ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજો કેવા હતા. કમબખ્તી એ છે કે શ્રાધ્ધ પક્ષના નામ માત્રથી લોકોને ડરાવીને રાખવામાં આવ્યા છે.

ખરેખર તો શ્રાધ્ધ પૂર્વજોનો ઇતિહાસ અને સંઘર્ષ કથાઓ જાણવાની માટેની તક પૂરી પાડે છે. કુટુંબના સભ્યોને પૂર્વજો વિશે  માહિતગાર કરવાને બદલે તેમને માત્ર ફોટામાં દેખાડી દેવામાં આવે છે.

શ્રાધ્ધના દિવસોમાં આપણા પૂર્વજ કાગડા બનીને કાગવાસ રુપી ભોજન ગ્રહણ કરવા આવે છે જેવી વાતો નવી અને ઇવન સિનિયર પેઢીને પણ હાસ્યાસ્પદ લાગે તે સ્વાભાવિક છે. કોણ જાણે શા માટે, પણ આપણા વડવાઓેએ શ્રાધ્ધના વાસ્તવિક મહત્ત્વથી લોકોને દૂર રાખી દીધા. એટલે જ શ્રાધ્ધના દિવસોમાં કેટલાક શુભ કામોની બાદબાકી કરી દેવાઇ છે. શ્રાધ્ધના દિવસોમાં લોકો દૂધપાક કે બાસુંદી ખાઇ શકે પણ શુભ કામ ન કરી શકે એ કેવું? શ્રાધ્ધના નામે માત્ર કર્મકાંડ અને વિધિઓને મહત્ત્વ અપાતું રહ્યું, એક પ્રકારનો ડર ઊભો કરવામાં આવ્યો ને આપણી ધર્મભીરૂ પ્રજા ચુપચાપ  પરંપરાને અનુસરતી રહી.

હવે સમય પલટાયો છે. નવી પેઢી ધાર્મિક વિધિઓ અને માન્યતાઓ અંગે અનેક સવાલો કરે છે. તે વાત અલગ છે કે તેમને જવાબ આપવાને બદલે ચુપ કરી દેવામાં આવે છે. તાર્કિક ઉત્તરો ન મળવાને કારણે જ નવી પેઢી ધાર્મિક ક્રિયાઓથી દૂર ભાગી રહી છે.

શ્રાધ્ધ પક્ષ સાથે સંકળાયેલા કાગડાના વિજ્ઞાનને સમજવા જેવું છે. વૃક્ષારોપણ અને ગ્લોબલ વોર્મિંગની વાતો કરનારે પણ શ્રાધ્ધ નિમિત્તે પર્યાવરણ અંગેની જાગૃતિ ફેલાવવાની જરૂર છે. પીપળો કે વડના બીજ આજે આસાનીથી મળતા નથી. તેના ટોટા રોપશો તો પણ તે નહીં ઊગે, કારણ કે કુદરતે આ બંને લોકોપયોગી વૃક્ષોના ઉછેર માટે અલગ વ્યવસ્થા કરી છે. આ બંને ઝાડના ટેટા કાગડા ખાય છે. આ ટેટા કાગડાના પેટમાં જાય પછી એક ચોક્કસ પ્રોસેસમાંથી પસાર થાય છે. ત્યાર બાદ આ કાગડા જ્યાં પણ વિષ્ટા કરે ત્યાં આ ઝાડ ઊગી નીકળવાની સંભાવના પેદા થાય છે.

કેટલાક મકાનોની તિરાડોમાં કે અગાશીમાં પીપળાનો નાનો છોડ ઉગતો જોઇને સૌને આશ્ચર્ય થાય છે. પીપળો રાઉન્ડ-ધ-ક્લોક ઓક્સિજન આપે છે, જ્યારે વડમાં ઓષધીય ગુણો ભરેલા છે. કાગડા ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ઇંડાં મુકે છે. બચ્ચાં બહાર આવ્યા પછી નજીકના મકાનની  છત પર બેસીને ખેરાક ખાઇ શકે તે માટે અગાસી પર કાગવાસ મુકાય છે. આ રીતે પર્યાવરણ માટે જરૂરી એવા કાગડાની વસ્તી વધારવામાં મદદ મળે છે.

હિન્દુ સંસ્કૃતિની તમામ ધાર્મિક પરંપરાઓ બહુ સમજીવિચારીને તૈયાર કરેલી છે. એટલે જ કહે છે કે શ્રાધ્ધમાં માનતા હોય કે ના માનતા હો, પણ કાગવાસ જરૂર નાખજો.

You Might Also Like

વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા

એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના ‌તમામ શ્લોકો કડકડાટ બોલે છે

ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ

‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી

બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે

TAGGED: A small plant of cask, Food intake, Food of faith, Hindu culture, latest gujarti news, oneindia, oneindianews, oneindianewscom, religious occasions, religious traditions, the environment, The science, ધાર્મિક પ્રસંગો, શ્રાધ્ધના કાગવાસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 19, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત
Next Article જમ્મુ-કાશ્મીરના યુવાનો 3 પરિવારની વિરુદ્ધ…’ શ્રીનગરમાં વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા
Bhavnagar Gujarat મે 19, 2025
એક ૧૪ વર્ષિય દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કે જે ગીતાજીના ૧૮ અધ્યાયના ‌તમામ શ્લોકો કડકડાટ બોલે છે
Gujarat Kheda મે 19, 2025
ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
Gujarat મે 19, 2025
‘પાકિસ્તાનમાં કંઈ પણ ભારતીય સેનાની પહોંચની બહાર નથી’, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુશ્મન દેશને સ્પષ્ટ ચેતવણી આપી
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?