click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘વાયનાડમાં પણ હાર દેખાતાં રાહુલ ગાંધીએ ભાગવાની જરૂર નથી…’, PM મોદીના પ્રહાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘વાયનાડમાં પણ હાર દેખાતાં રાહુલ ગાંધીએ ભાગવાની જરૂર નથી…’, PM મોદીના પ્રહાર
Gujarat

‘વાયનાડમાં પણ હાર દેખાતાં રાહુલ ગાંધીએ ભાગવાની જરૂર નથી…’, PM મોદીના પ્રહાર

કોંગ્રેસને આ ચૂંટણીમાં 50 બેઠકો પણ નહીં મળે મતાના શાસનમાં બંગાળમાં હિન્દુઓને બીજા દરજ્જાના નાગરિક બનાવી દેવાયા, રામ મંદિર-રામ નવમીનો વિરોધ કરાયો

Last updated: 2024/05/04 at 11:18 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

દેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૫૦ બેઠકો પણ જીતી નહીં શકે તેવો દાવો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીના બદલે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવવા બદલ આકરી ટીકા કરી હતી અને કહ્યું કે વાયનાડ બેઠક પર પરાજયના ભયથી રાહુલ ગાંધી સલામત બેઠક શોધી રહ્યા છે. જોકે, તેમણે ડરવું જોઈએ નહીં કે ભાગવું જોઈએ નહીં. આ સાથે મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર પણ હુમલો કરતા કહ્યું કે, તેમણે બંગાળમાં હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવી દીધા છે.

કોંગ્રેસે રાહુલ ગાંધીને વાયનાડ ઉપરાંત ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે પરિવારની અન્ય એક પરંપરાગત બેઠક અમેઠી છોડી દેવા બદલ ભાજપે રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે અને તેનો મોરચો વડાપ્રધાન મોદીએ પોતે સંભાળ્યો છે.

પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં પહેલા જ કહ્યું હતું કે શહજાદા વાયનાડમાં પરાજયના ડરના કારણે બીજી બેઠક શોધી રહ્યા છે. હવે તેમણે અમેઠીથી ભાગીને રાયબરેલીથી ચૂંટણી લડવી પડી રહી છે. આ લોકો હરી ફરીને બધાને કહે છે – ડરો નહીં. હું પણ તેમને એ જ કહું છું કે ડરશો નહીં, ભાગશો નહીં. મોદીએ સોનિયા ગાંધી પર પણ હુમલો કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી પહેલા સોનિયા ગાંધી પણ રાયબરેલીથી ભાગીને રાજસ્થાન જતાં રહ્યાં.

પશ્ચિમ બંગાળમાં બર્ધમાન-દુર્ગાપુર, કૃષ્ણનગર અને બોલપુર લોકસભા બેઠક પર ચૂંટણી રેલીઓ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો એસસી, દલિતો અને ઓબીસી માટેની અનામત છીનવી લેશે અને જેહાદી વોટ બેન્કને ટેકો આપનારાને આપી દેશે. તેમણે ઉમેર્યું કે, કોઈ ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ કરવાની જરૂર નથી. મેં થોડા સમય પહેલા સંસદમાં કહ્યું હતું કે, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા લોકસભા બેઠક છોડીને રાજ્યસભા મારફત સંસદમાં પ્રવેશશે. આ પુરાવો છે કે તેમને પરાજયનો અંદેશો આવી ગયો છે. આ વખતે કોંગ્રેસને ૫૦ બેઠકો જીતવામાં પણ ફાંફા પડી જશે. દેશની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી ૨૦૧૪માં ૪૪ બેઠકો જ જીતી હતી જ્યારે ૨૦૧૯માં તે બાવન બેઠકો જીતવામાં સફળ થઈ હતી, પરંતુ આ વખતે તે સૌથી ઓછી બેઠકો જીતવાનો રેકોર્ડ કરશે.

દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, મમતા સરકારના શાસનમાં રાજ્યમાં હિન્દુઓને ‘દ્વિતીય સ્તરના નાગરિક’ બનાવી દેવાયા છે. તૃણમૂલને રામ મંદિર સામે વાંધો છે. રામ નવમીએ શોભા યાત્રાનો વિરોધ કરે છે અને જય શ્રી રામનો સૂત્રોચ્ચાર પણ મમતાને ગમતો નથી. આ સાથે મોદીએ મતદારોને સવાલ કર્યો કે મતબેન્કનું રાજકારણ મહત્વનું છે કે માનવતા. વડાપ્રધાને સંદેશખલીમાં મહિલાઓના જાતીય શોષણ અને બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મોદી પોતે ભાગીને વારાણસી આવ્યા હતા : મોદી પર ખડગેનો વળતો ઘા

રાહુલ ગાંધીએ રાયબરેલીમાંથી ઉમેદવારી નોંધાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું, ‘ડરો નહીં, ભાગો નહીં.’ હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર વળતો હુમલો કરતા કહ્યું કે તેમને પૂછો, તેઓ પોતે જ ભાગીને વારાણસી આવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી વડોદરા અને ઉત્તર પ્રદેશના વારાણસી એમ બે જગ્યાએથી ઉમેદવારી નોંધાવી હતી અને બંને બેઠકો પર વિજય મેળવ્યો હતો. દરમિયાન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો પર નિર્ણય લેવાની જવાબદારી કોંગ્રેસ પ્રમુખ ખડગેને સોંપી હતી. વરિષ્ઠ નેતૃત્વ સાથે ચર્ચા પછી પક્ષે રાહુલ ગાંધીને રાયબરેલીથી ચૂંટણી લડવાનું કહ્યું અને કિશોરી લાલ શર્માને અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: BJP, bjp goverment, Congress, lok sabha, pm modi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 4, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
Next Article અમિત શાહના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ નેતા અરૂણ રેડ્ડીની ધરપકડ, નકલી વીડિયો બનાવવાનો આરોપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?