વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની સરકારે જનતાને અપેક્ષા કરતા વધુ, ક્વોલીટી સાથે તેમજ સમયસર આપવુ તે મંત્ર સાથે કામ કર્યુ છે.સી.આર.પાટીલ
2014 પહેલાની કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાચાર અને ગોટાળામા સામેલ અને નકારાત્મકતાથી ભરેલી સરકાર હતી. – સી.આર.પાટીલ
નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં દેશમાં પહેલી વખત જવાબદારી વાળી સરકાર પ્રસ્થાપિત થઇ છે. – સી.આર.પાટીલ
25 કરોડ લોકો ને વડાપ્રધાન મોદી ની કેન્દ્ર સરકાર ગરિબિ રેખાથી બહાર લાવવા સફળ થઇ છે. – સી.આર.પાટીલ
ઓપરેશન સિંદુર થકી ભારતે વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત ફકત વિકસીત નથી થયુ પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મનોને જવાબ આપી શકે છે. – સી.આર.પાટીલ
મોદી સરકાર ભવિષ્યને ધ્યાને રાખી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરનારી સરકાર છે તેમજ ભાજપ સરકારે દેશમાં પારદર્શિતાનું નવુ ઉદાહરણ પુરુ પાડયું છે.સી.આર.પાટીલ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના સેવા-સુશાસના 11 વર્ષના કાર્યકાળને પુર્ણ થવા બદલ ગુજરાત અને ગુજરાતની જનતા વતી ખુબ ખૂબ અભિનંદન. ભુપેન્દ્રભાઇ પટેલ
11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસી માટે વિકાસનો દસક બન્યો છે. ભુપેન્દ્રભાઇ પટેલ
દેશની આઝાદીના 7 દાયકા પછી 2014મા પહેલા વડાપ્રધાન મળ્યા કે જેમને રાષ્ટ્રહિત પ્રથમ અને અંત્યોદયના ઉત્થાન સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ ના કાર્યમંત્ર સાથે કાર્ય કર્યુ છે. – ભુપેન્દ્રભાઇ પટેલ
ગુજરાત ભાગ્યશાળી છે કે મોદી સાહેબના નેતૃત્વનો લાભ 2.5 દાયકાથી મળી રહ્યો છે તેમના દિશા દર્શનમા ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યુ છે. ભુપેન્દ્રભાઇ પટેલ
વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતુ રાજય બન્યુ છે. – ભુપેન્દ્રભાઇ પટેલ
ગુજરાતમાં આજે દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ભુપેન્દ્રભાઇ પટેલ
નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં વિકસીત ભારત 2047મા પણ ગુજરાતને વિકાસના કામોની નવી દિશા મળતી રહેશે તેવો વિશ્વાસ છે.ભુપેન્દ્રભાઇ પટેલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરિબ કલ્યાણ તેમજ વિકસીત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્રસરકારે 9 જૂનના રોજ 11 વર્ષ પુર્ણ કર્યા છે આ સંદર્ભે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ થકી 11 વર્ષના કાર્યકાળનો હિસાબની માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદ પછી સંકલ્પથી સિદ્ધી અંતર્ગત 11 વર્ષના કાર્યકાળની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન સી.આર પાટીલજી તેમજ ભુપેન્દ્રભાઇ પટેલે કર્યુ.
સી.આર.પાટીલજીએ પ્રેસને સંબોધતા જણાવ્યું કે, દેશમા સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂજી,ઇંન્દીરા ગાંધીજી હતા અને ત્યાર પછી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત 11 વર્ષથી લોકપ્રિય વડાપ્રધાન બન્યા છે પરંતુ 18 અને 16 વર્ષના કાર્યકાળમા જે કામો થયા તેના કરતા અનેક ગણા કામો વડાપ્રધાન મોદી ના 11 વર્ષના કાર્યકાળમાં પુર્ણ થયા છે. સંર્વાગી વિકાસ શું હોઇ શકે તે ગુજરાતમાં આપણે પહેલા જોયું અને હવે દેશમાં જોઇ રહ્યા છીએ.
પાટીલજીએ 11 વર્ષના કરાયેલા મહત્વના કાર્યોની માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદી ના નેતૃત્વમાં 11 વર્ષના કાર્યો અકલ્પનિય અને અદભૂત છે જે સુવર્ણ અક્ષરોમાં લખાશે. દેશ 11 વર્ષ પહેલા તૃષ્ટીકરણ અને તૃષ્ટીકરણ સાથે સમાજને ખંડિત કરી પોતાની ખુશીની સુરક્ષીત કરવી એક રાજકીય સંસ્કૃતિની પદ્ધતિ બની હતી. વડાપ્રધાન એ તેમના 11 વર્ષના કાર્યકાળમાં ભારતની રાજકીય સંસ્કૃતિને બદલી નાખી છે. દેશમાં પહેલી વખત જવાબદારી વાળી સરકાર પ્રસ્થાપિત થઇ છે. આજે દેશની જનતાને વડાપ્રધાન મોદી પ્રત્યે સંપુર્ણ વિશ્વાસ છે અને દેશના હિતમાં તેઓ નિર્ણય લેશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન ના નેતૃત્વમાં દુનિયાની નજર પણ ભારત તરફ છે. આજે ભારત જી-20ની અધ્યક્ષતા કરી શકે છે તે વડાપ્રધાન ના કાર્યક્ષમ દુરંદેશી નેતૃત્વને આભારી છે. ભાજપની સરકાર એ જવાબદારી વાળી સરકાર છે. ભાજપ સરકારે અત્યાર સુઘી કરેલા સેવા સુશાસન અને ગરિબ કલ્યાણના કામો પ્રજા સુઘી પહોંચે તે દિશામાં કામ કર્યુ છે.
પાટીલજીએ વડાપ્રધાન મોદી ના નેતૃત્વની કેન્દ્ર સરકાર એક દમદાર અને મજબૂત સરકાર ગણાવતા વધુ જણાવ્યું કે, આ સરકાર દેશ હિતમાં મજબૂત નિર્ણય લઇ શકે છે. આ સરકાર ભવિષ્યને ધ્યાને રાખી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરનારી સરકાર છે. ભાજપ સરકારે દેશમાં પારદર્શિતાનું નવુ ઉદાહરણ પુરુ પાડયું છે. 2014 પહેલાની સરકાર ભ્રષ્ટાચાર અને ગોટાળામા સામેલ તેમજ નકારાત્મકતાથી ભરેલી સરકાર હતી. 2014 પછી દેશની જનતામાં મોદી સરકાર એક નવુ આશાનું કિરણ પ્રસ્થાપિત કરવામાં સફળ રહી છે. જમ્મુ-કાશ્મિરમાં આર્ટિકલ 370 અને ત્રીપલ તલાક નાબુદ કરવાવાળી રાજકીય સરકાર છે જે અશ્કય હતું પરંતુ મોદી ના નેતૃત્વમાં થયેલા અકલ્પનિય નિર્ણયોના સાક્ષી આપણે બન્યા છીએ. દેશમાં સૌથી ઉંચો રેલવે બ્રીજ જમ્મુ-કાશ્મિરમાં મોદી ના નેતૃત્વમાં નિર્માણ પામ્યો છે.
પાટીલજીએ દેશના અર્થતંત્ર વિશે માહિતી આપતા વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી ના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર 10મા સ્થાનેથી 5માં સ્થાને આવ્યું છે અને હવે ચોથા નંબરનું અર્થતંત્ર બનવા તરફ આપણે આગળ વઘી રહ્યા છીએ. કોંગ્રેસ સરકારના સમયમા અર્થશાસ્ત્રી વડાપ્રધાન હતા જેમના માટે કોગ્રેસ મોટા દાવા કરતી હતી તેની સામે મોદી સાહેબે 11 નંબરથી 4 નંબર સુધી દેશની અર્થવ્યવસ્થા આગળ ધપાવી છે અને આવનાર દિવસમાં ત્રીજા નંબર ની અર્થવ્યવસ્થા દેશ બનવા જઇ રહ્યુ છે. 81 કરોડ થી વધુ લાભાર્થીઓને ગરિબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે જેના કારણે ગરિબિ રેખાથી નીચે જીવતા લોકોમાથી 25 કરોડ લોકોને ગરિબિ રેખાથી બહાર લાવવા સરકાર સફળ થઇ છે. વડાપ્રધાન ના નેતૃત્વમાં અનેક જનકલ્યાણ યોજનાનો સમાવેશ છે જેમા હર ઘર જલ યોજના કે જેમાં 15 કરોડ થી વધુ ગ્રામીણ પરિવારોને જળ પહોંચે તેની સુવિધા આપવામાં આવી, જગતના તાત એવા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂ.6 હજારની સહાય આપવામાં આવે છે.
પાટીલજીએ વડાપ્રધાન ના નેતૃત્વમાં થયેલા જુદા-જુદા ઓપરેશન અંગે માહિતી આપતા જણાવ્યું કે, રશિયા-યુક્રેન ના યુદ્ધ સમયે ભારતે સૌથી પહેલા તેમના નાગરિકોને સલામત ભારત પાછા લાવ્યું. ઓપરેશન દેવી શક્તિ થકી અફઘાનિસ્તાન માથી તેમજ ઓપરેશન રાહત થકી યમન થી પરત લાવવા તેમજ ઓપરેશન વેક્સિન થકી 115 થી વધુ દેશોને રસી પહોંચાડવાનું કામ કર્યુ છે, 48 જેટલા દેશમાં ભારતે રસી ફ્રીમાં પહોંચાડી છે. ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં રહેલા 9 આતંકી સેન્ટરોને નાશ કરવામાં આવ્યા જેમાં 100 થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ભારતીય સેના સ્વદેશી શસ્ત્રોથી સજ્જ બની છે. મોદી ના નેતૃત્વમાં ભારત કોઇ પણ આતંકી ઘટનાને સહન નથી કરતુ બદલામાં જડબાતોડ જવાબ આપે છે. ઓપરેશન સિંદુર થી આપણે મેસેજ આપ્યો છે કે ભારત ફકત વિકસીત નથી થયુ પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મોને જવાબ આપી શકે છે.
પાટીલજીએ આરોગ્ય લક્ષી કાર્યોની ની માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રઘાન ના નેતૃત્વમાં આજે દેશની જનતાને પાંચ લાખ સુઘીની ફ્રી સારવાર આયુષ્યમાન યોજના થકી આપી 15 કરોડ થી વધુ લોકોએ તેનો લાભ લીઘો છે. મહિલાઓને સશક્ત બનાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે જેમા લખપતિ દિદિ જેવી યોજના તેમના નેતૃત્વમાજ બની છે. સાંસદ તેમજ વિઘાનસભામા મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવ્યું છે. ઉજવલા યોજના હેઠળ 10 કરોડ થી વઘારે ગેસ કનેકશન મફત આપવામાં આવ્યા છે. દેશની મહિલાઓને સુરક્ષા પુરી પાડવા પણ તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. નળથી જળ યોજના હેઠળ 25 કરોડથી વધુ મહિલાઓને રાહત મળી છે. ભારત આજે વિકસીત ભારત બનવા આગળ વધી રહ્યુ છે. આજે 100 ટકા ઘરોમાં વિજ કનેકશન પહોંચ્યું છે.
પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, મોદી ના નેતૃત્વમાં દેશની અપેક્ષા કરતા વધુ કાર્યો થયા છે પહેલાની કોંગ્રેસ સરકારે તો દેશને અપેક્ષા રાખવાનું જ ભુલાવી દીધુ હતું. મોદી સરકારે જનતાને અપેક્ષા કરતા વધુ આપવું ક્વોલીટી સાથે આપવું તેમજ સમયસર આપવુ તે મંત્ર સાથે કામ કર્યુ છે. 11 વર્ષ દરમ્યાન કરેલા વિવિધ કાર્યો પુર્ણ કરવા મોદી અને તેમની સરકારને અભિનંદન પાઠવું છું
ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વિશ્વનેતા અને વડાપ્રધાન ના 11 વર્ષના કાર્યકાળને પુર્ણ થવા બદલ ગુજરાત અને ગુજરાતની જનતા વતી ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું. 11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસી માટે વિકાસનો દસક બન્યો છે. સર્વસમાવેશ,નિરંતર અને સતત પ્રગતીશીલ વિકાસથી દેશના સામાન્ય વ્યક્તિ નો સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. દેશની આઝાદીના 7 દાયકા પછી 2014મા પહેલા વડાપ્રધાન મળ્યા કે જેમને રાષ્ટ્રહિત પ્રથમ અને અંત્યોદયના ઉત્થાન સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ ના કાર્યમંત્ર સાથે કાર્ય કર્યુ છે. મોદી સાશન સંભાળતા જ કહ્યુ હતું કે તેમની સરકાર ગરિબ.વંચિત,પિડિત,શોષિત અને અંત્યોદયના કલ્યાણને પ્રાથમિકતા આપતી સરકાર રહેશે. ગુજરાતના સપુત મોદી એક પછી એક જનહિતના નિર્ણય અને કાનુની સુધારાના કામો પુર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે.
પટેલે વધુમાં જણાવ્યું કે, મોદી ના 11 વર્ષનો કાર્યકાળ સેવા સુશાસન સમર્પણ અને વિકાસની ગતીનો કાર્યકાળ છે. દેશની સેનાએ કરેલ સર્જીકલ અને એર સ્ટ્રાઇક તેમજ ઓપરેશન સિંદુર જેવા પરાક્રમથી દેશમા આતંરીક સુરક્ષા અને સલામતી સાથે શાંતિ પુર્ણ માહોલ પ્રસ્થાપિત કર્યો છે. ગુજરાત ભાગ્યશાળી છે કે મોદી ના નેતૃત્વનો લાભ 2.5 દાયકાથી મળી રહ્યો છે તેમના દિશા દર્શનમા ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યુ છે. વડાપ્રધાન મોદી કેન્દ્રમાં જવાબદારી સંભાળતા ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નો લાભ મળ્યો છે. મોદી ગુજરાતને અકલ્પનિય અને અગણિત વિકાસ કાર્યોની ભેટ અને યોજના માટે રૂપિયા આપ્યા છે. દેશમાં વર્ષોથી અટકેલા અને બંધ પડેલા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજકેટ પીએમ ગતી શક્તિમાં પુર્ણ થયા અને નવા ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ થયો છે.
પટેલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી ના પ્રયાસોથી ભારતને પહેલી બુલેટ ટ્રેનની ભેટ ગુજરાતને મળવાની છે. વંદેભારત ટ્રેન અને કચ્છ – અમદાવાદ વચ્ચે નમો ભારત ટ્રેન શરૂ કરવામાં આવી અને ગુજરાતમાં રેલવે લાઇનનું 100 ટકા ઇલેક્ટ્રીફિકેશન કરવામાં આવ્યું છે. ગુજરાતમા રાજકોટ અને સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજમા સ્થાન મળ્યુ છે. વડાપ્રધાન એ શરૂ કરાવેલ સ્માર્ટ સિટિ મિશન હેઠળ રાજયના 6 શહેરોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના વેપારી તરીકેની ઇમેજને ગ્લોબલ ઉત્પાદક અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી હબ તરીકે પ્રસ્થાપિત કરવામાં વાઇબ્રન્ટ સમિટની ભેટ મળી છે. ઉદ્યોગ અને રોકાણકારો આત્મનિર્ભર થયા છે અને ગુજરાત સૌથી વધુ રોજગારી આપતુ રાજય બન્યુ છે.
પટેલે વધુમાં જણાવ્યું કે, મોદી સરકારના નેતૃત્વમાં ગુજરાત આજે મશિન લર્નીગ,એઆઇ,સેમિ કન્ડકટર સહિતના ક્ષેત્રમાં લીડ મેળવી રહ્યુ છે. વડોદરા ખાતે ટાટા એરક્રાફટ કોમ્પેલક્ષનો પ્રારંભ થવાથી ગુજરાતમાં સૈન્ય વિમાનોનું ઉત્પાદન શરૂ થયું છે. મોદી ગુજરાતના હોલેસ્ટિક વિકાસ સાથે દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી ગતી શક્તિ યુનિવર્સિટી,ઇન સ્પીસ અને પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનની ભેટ આપી છે. મોદી ની વિઝનરી લીડરશીપમાં ગ્લોબલ વોર્મીગ અને ક્લાઇમેન્ટ ચેન્જના પડકારો સાથે રેન્યુએબલ એનર્જી અને ગ્રીન ગ્રોથથી પર્યાવરણ પ્રિય વિકાસનો ધ્યેય પાર પાડયો છે. કચ્છના ખાવડામાં એશિયાના સોથી મોટી હાઇબ્રિડ રીન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે
પટેલે વધુમાં જણાવ્યું કે, દેશના ગ્રીન કવર વઘારવા માટે એક પેડ મા કે નામ ની પ્રેરણા આપી જે પછી ગુજરાતે 17 કરોડ 50 લાખ વૃક્ષોના વાવેતર કરવામાં આવ્યું છે. ભુગર્ભ જળ ઉંચા લાવવા માટે કેચ ઘ રેઇન અભિયાનમાં ગુજરાતે મહત્વપુર્ણ યોગદાન આપ્યું છે. મોદી ખેડૂત અને ખેતીને વધુ સશક્ત કરવા માટે આપેલા અનેક વિધ કૃષિ આવકના સ્ત્રોત્રો અને આયોજનનો લાભ મળ્યો છે. ગુજરાતમાં આજે દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. મોદી ના મહિલા કલ્યાણ અભિગમને કારણે ગુજરાતમાં સાડા ચાર લાખ બહેનો લખપતી દીદી બની છે. રાજયમાં પ્રવાસન અને સંસ્કૃતિકને વેગ મળ્યો છે. 11 વર્ષનો કાર્યકાળ દેશના વિકાસનો સુવર્ણ કાળ બન્યો છે ગરિબિ ઘટી છે અને વિકાસના નવા નવા આયોમો સિદ્ધ થયા છે. મોદી ના નેતૃત્વમાં વિકસીત ભારત 2047મા પણ ગુજરાતને વિકાસના કામોની નવી દિશા મળતી રહેશે તેવો વિશ્વાસ છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, કિસાન મોરચાના પ્રમુખ તેમજ સંકલ્પથી સિદ્ધી અભિયાનના ઇન્ચાર્જ હિતેષભાઇ પટેલ,સહ ઇન્ચાર્જ વિમલભાઇ કગથરા,પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.