દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ.
ગોહિલવાડનાં ગૌરવરૂપ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલી રહી છે, તે શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ.
દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. કુંભક્ષેત્રમાં બાપા સિતારામ અન્નક્ષેત્રમાં યજ્ઞ અને દર્શન પૂજન તથા પ્રસાદ લાભ લેવાયો. ભારત સાધુ સમાજ અધ્યક્ષ મૂકતાનંદજીબાપુ, ગરીબરામબાપુ સહિત વિવિધ અખાડા ધર્માચાર્યો અને મહાનુભાવો સાથે પ્રાસંગિક મુલાકાતો લીધી.