22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો અને 100થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતની કાર્યવાહી પછી ભારતીય પ્રતિનિધિમંડળો પાકિસ્તાનને ખુલ્લા પાડવા અને ઓપરેશન સિંદૂર વિશે જણાવવા માટે વિવિધ દેશોમાં પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચ્યું, જ્યાં તેમને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
#WATCH | Washington DC | "…It's no accident that the colour of the Sindoor is that bright vermilion red, which is not far from the colour of blood. There is a Hindi expression that 'khoon ka badla khoon'; here it was 'Sindoor ka badla khoon'," says Congress MP Shashi Tharoor in… pic.twitter.com/HjJVyBGt8x
— ANI (@ANI) June 4, 2025
કોંગ્રેસ સાંસદ શશિ થરુર દ્વારા અમેરિકામાં આપવામાં આવેલા નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમણે **’ઓપરેશન સિંદૂર’ના નામનો ઊંડો અર્થ જાહેર મંચ પરથી રજૂ કર્યો હતો, જે માત્ર એક સામરિક કાર્યવાહીની ઓળખ ન હતી, પણ તેને ભાવનાત્મક અને સંસ્કૃતિગત સંદર્ભ પણ આપ્યો.
અહીં તેના મુખ્ય મુદ્દા છે:
શશિ થરુરનું નિવેદન – ‘ઓપરેશન સિંદૂર’ વિશે
📍 સ્થળ: નેશનલ પ્રેસ ક્લબ, વોશિંગ્ટન ડી.સી.
📍 અવસર: ભારતના આતંકવાદ વિરોધી અભિયાન અંગે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટેનું સંવાદ સત્ર
#WATCH | Interacting with the Indian diaspora in Washington, DC, Congress MP Shashi Tharoor says "…Seven MPs representing five political parties, seven states and we also have two ambassadors with us, the current and the former ambassador of Washington. We have eight states and… pic.twitter.com/sLsFEWhFfv
— ANI (@ANI) June 5, 2025
ઓપરેશનનું નામ ‘ઓપરેશન સિંદૂર’ કેમ રાખવામાં આવ્યું?
સંવાદ સત્ર દરમિયાન થરૂરને ઓપરેશન સિંદૂર નામ વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર એક અદભૂત રીતે પસંદ કરાયેલ નામ છે. તેમણે અમેરિકાના લોકોને સમજાવતા કહ્યુ કે, “જો કેટલાક અમેરિકનો તેના વિશે જાણતા નથી, તો તે (સિંદૂર) એક પ્રતિક છે, જે હિન્દુ પરંપરામાં પરિણીત મહિલાઓના માથા પર લગાવવામાં આવે છે.”
તેમણે કહ્યું હતું કે, “લગ્ન સમારંભ દરમિયાન સિંદૂર લગાવવામાં આવે છે અને ત્યારબાદ દરરોજ પરિણીત મહિલાઓ તેને લગાવે છે. આતંકવાદીઓએ પહલગામમાં પરિણીત મહિલાઓના પતિઓની હત્યા કરી તેમનું સિંદૂર મિટાવ્યું હતું તેથી તે ‘ઓપરેશન સિંદૂર કા બદલા ખૂન’ જેવું છે.”
‘ઓપરેશન સિંદૂર’ શું છે?
22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પર્યટન વિસ્તાર પહલગામમાં 26 લોકોની હત્યા કરી હતી. જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકનો સમાવેશ થતો હતો. આ પછી સમગ્ર દેશમાં ભારે ગુસ્સો હતો અને લોકો આ ભયાનક હત્યાકાંડનો બદલો લેવા માટે સરકારને સતત અપીલ કરી રહ્યા હતા.
પહલગામ હુમલાના જવાબમાં ભારતે 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો અને 100થી વધુ આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા.